SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) નિર્લેપતા, અભાવથી ફાંસી સુધી ૧૭૯ ૧૮૦ પ્રતિક્રમણ જાય, થોડો વખત તરછોડ મારીને. પસ્તાવો ના કરે ને મેં કેવું સારું કર્યું માને, તો તે નર્ક જવાની નિશાની. ખોટું કર્યા પછી પસ્તાવો તો કરવો જ જોઈએ. પ્રશ્નકર્તા : સામાનું મન ભાંગ્યું હોય તો તેમાંથી છૂટવા શું કરવું? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાં. અને સામો મળે તો મોઢે બોલવું કે “ભઈ, મારામાં અક્કલ નથી, મારી ભૂલ થઈ’, એમ કહેવું. આવું બોલવાથી એના ઘા રુઝાય. ઉપાય, તરછોડતાં પરિણામતો પ્રશ્નકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડનાં પરિણામ ભોગવવાનો વારો ના આવે ? દાદાશ્રી : તરછોડના માટે બીજો કોઈ ઉપાય નથી, એક પ્રતિક્રમણ કર કર કરવાં. જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવાં. અને પ્રત્યક્ષ ભેગા થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માંગવી કે, ‘ભઈ, મારી તો બહુ ભૂલ થઈ, હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.” એટલે સામાવાળાના ઘા રૂઝાતા જાય. આપણે આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એના ઘા રુઝાય. અમને પાછલા અવતારના તરછોડનું પરિણામ દેખાય છે. તેથી તો હું કહ્યું કે, કોઈને તરછોડ ના વાગે. મજૂરનેય તરછોડ ના વાગે. અરે ! છેવટે સાપ થઈનય બદલો વાળે. તરછોડ છોડે નહીં, એક માત્ર પ્રતિક્રમણ બચાવે. આવાં પાપો ધોવાય ? પ્રશ્નકર્તા : કોઈને આપણે દુઃખ પહોંચાડીએ અને પછી આપણે પ્રતિક્રમણ કરી લઈએ, પણ એને જબરજસ્ત આઘાત, ઠેસ વાગી હોય તો એનાથી આપણને કર્મ ના બંધાય ? દાદાશ્રી : આપણે એના નામનાં પ્રતિક્રમણ કર્યા કરીએ ને એને જેટલા પ્રમાણમાં દુઃખ થયું હોય એટલા પ્રમાણમાં પ્રતિક્રમણ કરવાં પડે. પ્રશ્નકર્તા : સાસુએ વહુને કહ્યું, ને પેલી વહુએ આપઘાત કરી નાખ્યો, ત્યાં સુધીનું થયું. એમાં એ મરી ગઈ. પછી એનું પ્રતિક્રમણ કરીએ તો સામાને શાંતિ થાય ? દાદાશ્રી : આપણે તો પ્રતિક્રમણ કર્યા કરવાનાં, બીજી જવાબદારી આપણી નથી. અને જો જીવતો હોય તો આપણે કહેવું, શું નામ છે આપનું ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : તે જીવતો હોય તો આપણે એનેય કહેવાય કે “આ ચંદુભાઈ (ફાઈલ નં.૧)માં તો અક્કલ નથી. તમે એને માફ કરજો.” એવું કહેવું આપણે. એટલે ખુશ થઈ જાય. આપણી અક્કલ ઓછી છે, એવું દેખાડ્યું કે સામો ખુશ થઈ જાય. એવું કહેવું કે, ‘ચંદુભાઈમાં કંઈ બરકત નથી, અક્કલ નથી, તેથી આ તમને આવું કર્યું. એટલે આવું થયું હશે.' એવું કહીએ એટલે પેલો ખુશ થઈ જાય. હાથ ભાંગી ગયા પછીએ જો કદી એટલું કહીને તો હાથ ભાંગી જવાની ખોટને ના ગણે. પેલો ખુશ થઈ જાય. કારણ કે ભાંગી જવો એ ડિસાઈડડ (નિશ્ચિત) હતું પણ નિમિત્ત આપણે હતા. તે નિમિત્ત થઈ ગયું. એટલે વાળી દીધું. રકમ જમા-ઉધાર થઈ ગઈ. આમ ફાંસી આપતાંય તિર્લેપ પ્રશ્નકર્તા : માઠા ભાવ થઈ જાય છે, પણ તરત જ એમ થાય છે કે આ મેં ભૂલ કરી. દાદાશ્રી : એટલે આ તમને કહ્યું કે, રિલેટિવમાં જે ડિસ્ચાર્જ ભાવ છે, એ માઠા ભાવ છે. ડિસ્ચાર્જમાં માઠા ભાવ થાય છે. અને ચાર્જ થતું નથી. માઠા ભાવ ઉપર તરત જ એમ કહે છે કે આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. એ શું કહે છે ? સંયમ. નહીં તો માઠા
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy