SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) નિર્લેપતા, અભાવથી ફાંસી સુધી ૧૭૭ ૧૭૮ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. દાદાશ્રી : અત્યારે અસરકારક ના હોય, પણ એ કરતાં કરતાં પછી અસરકારક થતો જાય. પ્રશ્નકર્તા : એક દહાડો થઈને ઊભું રહે. દાદાશ્રી : પતાવવાની સ્પીડેય એટલી જ છે. પ્રશ્નકર્તા : નાનપણથી એવું જ હોય તો એનો અર્થ ગયા ભવે એવા ભાવ કરેલા ? દાદાશ્રી : રોફ પાડવા, ગયા અવતારના ભાવ કરેલા, બીજાને દબડાવી દઉં, બીજાને આમ કરી નાખું, બિવડાવી દઉં, બીજાને આમ કરી નાખું. પ્રશ્નકર્તા: તો આ બિવડાવીએ એટલે તો કેટલો મોટો દોષ થયો કહેવાય ? દાદાશ્રી : એ તો જ્યારે ખબર પડેને, ત્યારે ખબર પડે. એવું તમને કોઈ બિવડાવે ત્યારે ખબર પડે કે ઓહોહો ! આ લોકો આવું કરે છે ! પણ તે આપણે કરીએ છીએ તે ખબર ના પડે ? દુખ દેવાયાનું પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : મારાથી એને દુઃખ થાય એવું કશું કરવું નથી, છતાં એને દુઃખ દેવાઈ જાય છે. એવી આપ કૃપા કરો કે, મારાં પરમાણુ ઊછળે નહીં. દાદાશ્રી : આજે તમને આશીર્વાદ આપીશું. તમારે એની માફી માંગ માંગ કરવાની. ગયા અવતારમાં બહુ એને ગોદા માર માર કરતી હતી. પ્રશ્નકર્તા : બહુ થયું. મારી મોટી ગાંઠ છે આ. દાદાશ્રી : હા. એ તો કંઈ કરવું પડેને ? એની માફી માંગ માંગ કર્યા કરવી. નવરાશ મળે કે ક્ષમા માગું છું અને પ્રતિક્રમણ કરવું. ટૂંકમાં કરવું. એની જોડે અતિક્રમણ કર્યું છે. એટલે પ્રતિક્રમણ કરવું પડે. ગોદા માર માર કર્યા છે તે ? પ્રશ્નકર્તા : હું એના બહુ જ પ્રતિક્રમણ કરું છું. દાદાશ્રી : ખૂબ કરજે. હું એની ક્ષમા માગું છું અને હે દાદા ભગવાન ! મને એને કંઈ દુ:ખ નહીં આપવાની, ત્રાસ નહીં આપવાની શક્તિ આપો. એ માગ માગ કરવાનું. અમે એ ચીજ આપીએય ખરા. તું બોલીશ તો મળશે. પ્રશ્નકર્તા : રોજ માંગીશ. દાદાશ્રી : સારું. પ્રશ્નકર્તા : આપણાથી કિંચિત્માત્ર દુઃખ થઈ ગયું હોય તો અહીં એકાંત મળ્યું હોય તો એમનું પ્રતિક્રમણ કરીએ. એ ચાલી શકે ? દાદાશ્રી : એ તો તરત જ તે ઘડીએ જ કરી નાખવું. કોઈને દુ:ખ દેવાની ઇચ્છા તને થતી નથી ને હવે ? પ્રશ્નકર્તા : કોઈ વાર દેવાઈ જાય. દાદાશ્રી : દુઃખ દેવાઈ જાય તો શું કરો ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ. દાદાશ્રી : પ્રતિક્રમણ કર્યું એટલે પછી કોર્ટમાં કેસ નહીં ચાલવાનો. ‘ભઈ, તારી માફી માગીએ છીએ' એમ કરીને નિકાલ કરી નાખ્યો. પસ્તાવાથી કર્મો ખપે પ્રશ્નકર્તા ઃ કોઈ પણ માણસને તરછોડ મારીને પછી પસ્તાવો થાય તો તે શું કહેવાય ? દાદાશ્રી : પસ્તાવો થાય એટલે પછી તરછોડ મારવાની ટેવ છૂટી
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy