________________
(૮) ‘આમ’ તૂટે શૃંખલા ઋણાનુબંધની
૧૭૩ પ્રતિક્રમણ તો ક્યારે કરવું કે કંઈક ગુસ્સો નીકળી ગયો હોય, ને કો'કને વાગ્યું હોય તો આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ.
પ્રશ્નકર્તા: પણ મનમાં આવો વિચાર આવ્યો હોય તો પ્રતિક્રમણ નહીં કરવાનું ?
દાદાશ્રી : એ તો એ બધું ચાલે જ. પેસતાંય સ્પીડી પેસે અને નીકળતાંય સ્પીડી નીકળે છે.
[૯] તિર્લેપતા, અભાવથી ફાંસી સુધી
એવી ખબર પડે જ પ્રશ્નકર્તા : સામા માણસને દુઃખ થયું એ કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : એ તો એનું મોઢુ-બોટું તરત ખબર પડી જાય. મોઢા ઉપરથી હાસ્ય જતું રહે. એનું મોઢું બગડી જાય. એટલે તરત ખબર પડેને, કે સામાને અસર થઈ છે એવી, ન ખબર પડે ?
પ્રશ્નકર્તા : પડે.
દાદાશ્રી : માણસમાં તો એટલી શક્તિ હોય જ કે સામાને શું થયું તે ખબર પડે !
પ્રશ્નકર્તા : પણ ઘણા એવા ડાહ્યા હોય છે કે જે મોઢા ઉપર એક્સેશન (હાવભાવ) ના લાવે.
દાદાશ્રી : તો પણ આપણે જાણીએ કે આ શબ્દો ભારે નીકળ્યા છે આપણા. એટલે એને વાગશે તો ખરું. માટે એમ માનીને પ્રતિક્રમણ કરી નાખવું. ભારે નીકળ્યું હોય તો આપણને ના ખબર પડે કે, એને વાગ્યું હશે ?
પ્રશ્નકર્તા : ખબર પડે ને.
દાદાશ્રી : તેય કરવાનું એને માટે નથી. એ આપણો અભિપ્રાય આમાં નથી. આપણે અભિપ્રાયથી દૂર થવા માટે છે. પ્રતિક્રમણ એટલે શું ? એ પહેલાંના અભિપ્રાયથી દૂર થવા માટે છે અને પ્રતિક્રમણથી