SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) ‘આમ’ તૂટે શૃંખલા ઋણાનુબંધની ૧૭૩ પ્રતિક્રમણ તો ક્યારે કરવું કે કંઈક ગુસ્સો નીકળી ગયો હોય, ને કો'કને વાગ્યું હોય તો આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રશ્નકર્તા: પણ મનમાં આવો વિચાર આવ્યો હોય તો પ્રતિક્રમણ નહીં કરવાનું ? દાદાશ્રી : એ તો એ બધું ચાલે જ. પેસતાંય સ્પીડી પેસે અને નીકળતાંય સ્પીડી નીકળે છે. [૯] તિર્લેપતા, અભાવથી ફાંસી સુધી એવી ખબર પડે જ પ્રશ્નકર્તા : સામા માણસને દુઃખ થયું એ કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : એ તો એનું મોઢુ-બોટું તરત ખબર પડી જાય. મોઢા ઉપરથી હાસ્ય જતું રહે. એનું મોઢું બગડી જાય. એટલે તરત ખબર પડેને, કે સામાને અસર થઈ છે એવી, ન ખબર પડે ? પ્રશ્નકર્તા : પડે. દાદાશ્રી : માણસમાં તો એટલી શક્તિ હોય જ કે સામાને શું થયું તે ખબર પડે ! પ્રશ્નકર્તા : પણ ઘણા એવા ડાહ્યા હોય છે કે જે મોઢા ઉપર એક્સેશન (હાવભાવ) ના લાવે. દાદાશ્રી : તો પણ આપણે જાણીએ કે આ શબ્દો ભારે નીકળ્યા છે આપણા. એટલે એને વાગશે તો ખરું. માટે એમ માનીને પ્રતિક્રમણ કરી નાખવું. ભારે નીકળ્યું હોય તો આપણને ના ખબર પડે કે, એને વાગ્યું હશે ? પ્રશ્નકર્તા : ખબર પડે ને. દાદાશ્રી : તેય કરવાનું એને માટે નથી. એ આપણો અભિપ્રાય આમાં નથી. આપણે અભિપ્રાયથી દૂર થવા માટે છે. પ્રતિક્રમણ એટલે શું ? એ પહેલાંના અભિપ્રાયથી દૂર થવા માટે છે અને પ્રતિક્રમણથી
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy