________________
(૮) “આમ” તૂટે શૃંખલા ઋણાનુબંધની
૧૬૯
૧૭)
પ્રતિક્રમણ
નાખેલું મીઠું કાઢી નાખવું. એ તો આપણું વિજ્ઞાન એવું છે કે કાઢી નાખે. એ તો પછી હું... બીજા મલમપટ્ટા મારી મારીને પછી સમું કરી દેવું. લોહી નીકળતું બંધ કરી દેવું. પછી જો અવળું ફર્યું, એવું આપણે જાણ્યું કે પછી, તમને ના સમજાય અવળું ફર્યું ?
પ્રશ્નકર્તા : સમજાય.
દાદાશ્રી : પછી છોડી દેવાનું આપણે. પછી એના મલમપટ્ટા જ માર માર કરવાના. પછી એને લોહી નહીં નીકળે. પણ ફરી એ કો'ક દહાડો કહેશે કે, આવજો. તો આપણે ફરી પાછું જવું ત્યાં. અને લોહી નીકળ્યું તો સામો વાયદો થઈ જશે.
પ્રશ્નકર્તા : એટલે એવું બને છે. પેલી વ્યક્તિનું ઑપરેશન કરવા જઈએ તો બીજા પચ્ચીસનો પાછળ લોચો પડતો હોય છે.
દાદાશ્રી : હા. તો એવું થઈ ગયું છે. એટલે એવું સાચવીને કામ લઈ લેવું. એને વિવેક કહેવામાં આવે છે. સાચી વસ્તુ પણ વિવેકથી આપવી જોઈએ. એ ધોલ મારીને ના અપાય. સાચી વસ્તુ ખવડાવીએ તોય ધોલ મારીને ના અપાય. કારણ કે બધાનું વોટીંગ છેને ? ગામડાનું કામ હોય તો ચાલ્યું જાય. એ લોકો હાર્ટલી, એટલે તમારું ચાલ્યું જાય. બાકી અહીં શહેરમાં ના ચાલે. શહેરમાં કશું ના ફાવે.
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : ત્યાં હાટલી એટલે બધું ચાલ્યું જાય. એટલે જોઈ લેવું. ક્યાં બગડી જાય છે તે તપાસ કરી લેવી, કે આવું ના હોવું જોઈએ.
તો તોડાય નહીં.
હું બિલીફ જ તોડી આપું છું ને ? કે ના, તમે ચંદુભાઈ ન હોય. ચંદુભાઈ તમે નહીં. એટલે એમ કરતાં કરતાં એની મોટી જબરજસ્ત કેટલા અવતારની બિલીફ, એ તો ફ્રેકચર થવા માંડે. એકઝેક્ટનેસ હોવું જોઈએ. નહીં તો એને બહુ દુઃખ થાય. ભગવાન વિશેની બિલિફ હું તોડું છું. માટે “ભગવાન નથી' એવું કહું તો માર્યો ગયો. પછી એને સમજાવતાં આવડવું જોઈએ કે કેવી રીતે નથી અને કેવી રીતે છે. એ બધું હોવું જોઈએ. અને કોને માટે ભગવાન છે અને ભગવાન કોને માટે નથી. એવી બધી રીતથી સમજણ પાડું, એના મનને સહેજે પણ દુઃખ ના થાય. આપણું એક્ય હથિયાર વાગે નહીં. આપણું હથિયાર આપણને વાગે પણ એને ના વાગે એ તારે ખાસ જાણવું જોઈએ.
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : એને ઑપરેશન કહેવાય છે. થોડી થોડી કચાશ હોય તો કાઢી નાખવી. નવી ક્ષમાપના લઈ લેવી જોઈએ. સામા માણસને કિંચિત્માત્ર દુઃખ ના થવું જોઈએ. એ ધ્યેયપૂર્વકનું જીવન હોય.
દુઃખ કરવા માટે આપણે આવ્યા નથી. કંઈ બને તો સુખ થાઓ, એ આપણો ધ્યેય છે. અગર તો દુ:ખ કોઈને ન હોવાં જોઈએ. એટલે અણસમજણથી, આપણી ભૂલથી જ સામાને દુઃખ થાય. એની ભૂલથી થતું હોય તે પણ આપણને ન હોવું જોઈએ. એની ભૂલથી, એટલે એ ભૂલવાળો છે જ, એને તમે સુધારવા નીકળ્યા છો તો એને દુઃખ કર્યા વગર જ સુધારવો જોઈએ.
જોતાં જ અભાવ આવે ત્યાં... પ્રશ્નકર્તા : કોઈકવાર અમુક વ્યક્તિને જોઈને, એનું વર્તન જોઈને, અભાવ આવી જાય છે.
દાદાશ્રી : એ તો પહેલાંની આપણને આદત ખરીને, એ આદતનો
એની રીત આવડવી જોઈએ પ્રશ્નકર્તા: હું આપને એ જ કચાશની વાત કહેવા માંગતો હતો કે જ્યારે કોઈની બિલિફ તૂટે છે, એ વખતે એનો અહમ્ દુભાય છે ?
દાદાશ્રી : આપણને બિલિફ તોડતાં ના આવડે એને દુઃખ થાય,