________________
૧૫૪
પ્રતિક્રમણ
(૭) થાય ચોખ્ખો વ્યાપાર
૧૫૩ પ્રશ્નકર્તા : એનું પ્રતિક્રમણ કરીએ તો શું થાય ?
દાદાશ્રી : આપણે એના અભિપ્રાયમાં નથી. એવો અભિપ્રાય આજે નથી. આજે તો ખુબ ફોર્સ (ધક્કા)થી થયા કરે છે આ. આજે તારો એવો ચોરી કરવાનો અભિપ્રાય ખરો ?
પ્રશ્નકર્તા : બિલકુલ નહીં.
દાદાશ્રી : એટલા માટે પ્રતિક્રમણ કર્યું તો જાણવું કે, આજે એનો અભિપ્રાય નથી. પૂર્વ ફોર્સથી થયા કરે છે.
પ્રશ્નકર્તા : એનું આવતા ભવે કર્મફળ બદલાઈ જાય ?
દાદાશ્રી : નહીં. આ ભવમાં જ ઊડી ગયું કહેવાયને? જગતના લોકોને ચોરી કરવાનો અભિપ્રાય હોય, તે અભિપ્રાય તો મજબૂત કરે કે આ કરવું જ જોઈએ. અને તને શું થાય ?
પ્રશ્નકર્તા : આવું ના હોવું ઘટે.
દાદાશ્રી : એટલે તું ઉત્તરમાં જઈ રહ્યો છે ને લોક દક્ષિણમાં જઈ રહ્યું છે. આ તો ચંદુલાલનું પાછલું સ્વરૂપ દેખાય છે. કેવું ભયંકર હતું એ હિસાબે ? પાછલું સ્વરૂપ કેવું હતું ?
પ્રશ્નકર્તા : બહુ ભયંકર. પ્રતિક્રમણ કર્યા પછી ફરી દોષો કન્ટિન્યુઅસ (સતત) દેખાયા જ કરતા હોય તો શું કરવું ?
દાદાશ્રી : એનાં ફરી ફરી પ્રતિક્રમણ કરવાં. નહીં તો બધા દોષોનું જાણું પ્રતિક્રમણ કરવું, પા કલાક દોષો દેખાયા કરતા હોય, પછી જાથું પ્રતિક્રમણ, ભેગું પ્રતિક્રમણ કરવું જોઈએ.
લોકો કહે છે કે, “આપણે ભેળસેળ કરીશું ને ભગવાન પાસે માફી માગી લઈશું.’ હવે માફી આપનારો કોઈ છે નહીં. તમારે જ માફી માંગવી ને તમારે ને તમારે જ માફી આપવાની.
અતીતિમાં ખૂબ ખૂબ પ્રતિક્રમણ એક જણ કહે, ‘મને ધર્મ નથી જોઈતો. ભૌતિક સુખો જોઈએ
છે.’ તેને હું કહીશ, ‘પ્રમાણિક રહેજે, નીતિ પાળજે.’ મંદિરમાં જવાનું નહીં કહું. બીજાને તું આપું છું એ દેવધર્મ છે. પણ બીજાનું, અણહક્કનું લેતો નથી એ માનવધર્મ છે. એટલે પ્રામાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. ‘ડીસ ઑનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ !!!” ઑનેસ્ટ થવાતું નથી, તો મારે શું દરિયામાં પડવું ? મારા દાદા શીખવાડે છે કે, ડીસઑનેસ્ટ (અપ્રામાણિક) થાઉં તેનું પ્રતિક્રમણ કર. આવતો ભવ તારો ઉજળો થઈ જશે. ડીસઑનેસ્ટીને ડીસનેસ્ટી જાણ ને તેનો પશ્ચાત્તાપ કર. પશ્ચાત્તાપ કરનાર માણસ ઑનેસ્ટ છે એ નક્કી છે..
દાન આપે, અનીતિથી પૈસા કમાય, એ બધું જ છે. તે એનો ઉપાય બતાવેલો હોય કે અનીતિથી પૈસા કમાય તો ચંદુલાલને રાત્રે શું કહેવું ? કે પ્રતિક્રમણ કર કર કરો કે, અનીતિથી કેમ કમાયા ? માટે પ્રતિક્રમણ કરો. રોજ ચારસો-પાંચસો પ્રતિક્રમણ કરાવડાવે. પોતાને કરવાનું નહીં, “ચંદુલાલ’ની પાસે કરાવડાવવું. જે અતિક્રમણ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવડાવે.
હમણાં ભાગીદાર જોડે મતભેદ પડી જાય, તો તરત તમને ખબર પડી જાય કે, “આ વધારે પડતું બોલી જવાયું. એટલે તરત એના નામનું પ્રતિક્રમણ કરવું. આપણું પ્રતિક્રમણ કેશ પેમેન્ટનું (રોકડું) હોવું જોઈએ. આ બેંકેય કેશ કહેવાય છે અને પેમેય કેશ કહેવાય છે.
અટકે અંતરાય કેમ કરીને ? ઑફિસમાં પરમિટ (પરવાનો) લેવા ગયા, પણ સાહેબે ના આપી તો મનમાં થાય કે ‘સાહેબ નાલાયક છે, આમ છે, તેમ છે'. હવે આનું ફળ શું આવશે તે જાણતો નથી. માટે આ ભાવ ફેરવી નાખવો, પ્રતિક્રમણ કરી નાખવું. એને અમે જાગૃતિ કહીએ છીએ.
આ સંસારમાં અંતરાય કેવી રીતે પડે છે તે તમને સમજાવું. તમે જે ઑફિસમાં નોકરી કરતા હો ત્યાં તમારા ‘આસિસ્ટન્ટ’ (મદદનીશ)ને અક્કલ વગરના કહો, એ તમારી અક્કલ પર અંતરાય પડ્યો ! બોલો, હવે આ અંતરાયથી આખું જગત ફસાઈ ફસાઈને આ મનુષ્ય જન્મ