________________
(૬) રહે ફૂલ, જાય કાંટા
૧૪૩
૧૪૪
પ્રતિક્રમણ
સુધી બન્યું હોય તે, સાંજના ‘ચંદુલાલ’ની ખબર લઈ નાખું, તમે સાચુંખોટું શું કર્યું ? તેનો બધો હિસાબ સાંજના કરી લે.
દાદાશ્રી : એવું છેને, બને ત્યાં સુધી શૂટ ઑન સાઈટ રાખવું. થઈ ગયું ને તરત જ પ્રતિક્રમણ કરવું. અને ના બને તો સાંજે ભેગા કરીને કરવું. પણ ભેગાં કરવા જતાં રહી જશે બે-ચાર. એ ક્યાં રાખવા જઈએ ? અને કોણ રાખે એને ? એ તો “શુટ ઑન સાઈટ'નો આપણો ધંધો છે !
તથી જન્મ લઢવા માટે પ્રશ્નકર્તા : દોષો માટે તો સંપૂર્ણ જાગૃતિ રાખવાની છે. એની પાછળ પડવાનું છે ?
દાદાશ્રી : દોષોનો નિવેડો લાવવાનો છે. નિકાલ કરી નાખવાનો
ત્યારે જ આયુષ્ય ઊડે પ્રશ્નકર્તા : ‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ કરે છે તે પણ એક ધ્યાનનું પરિવર્તન જ છેને ?
દાદાશ્રી : હા, એ ધ્યાનનું જ પરિવર્તન છે.
પ્રશ્નકર્તા: ‘શૂટ’ કર્યું એટલે એણે પુદ્ગલને નષ્ટ કર્યું, જે ‘વ્યવસ્થિત'માં હતું તેમાં ડખલ કરી. તો બીજો જન્મ થાય તે કેવો આવે ?
દાદાશ્રી : એય એના જેવો ને જેવો જ આવે. જે લિંક છે એવી ને એવી આવે.
પ્રશ્નકર્તા : જે ‘શૂટ’ કરીને ફેરવી નાખે છે, તેનું એટલું જ આયુષ્ય કે ટૂંકું?
દાદાશ્રી : એ આયુષ્ય એનું અહીંયાં તૂટી જવાનું હતું, એટલે તે ઘડીયે તુટવાના બધા “સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' ભેગા થાય ને આયુષ્ય ઊડી જાય, ભમરડો ઝટપટ ફરી જાય !
તારે કેમનું રહે છે ? પ્રશ્નકર્તા : પાંચસોથી હજાર દોષો દેખાય છે.
દાદાશ્રી : જુઓને, રોજ પાંચસો દોષ દેખાય છે. તું અહીં પેપરમાં લખું તો તારે ત્યાં બીજે દહાડે દર્શન કરવા આવે લોકો ! બાકી કોઈને દોષ દેખાતા હશે ? પાંચ દોષ ના દેખાય, મોટા મોટા આચાર્યો છે પણ એમને દોષ ના દેખાય !
હવે તમારી પોતાની કેટલી ભૂલો દેખાય છે મહીં ? પ્રશ્નકર્તા : અનેક.
દાદાશ્રી : ત્યારપછી ? જો એક જ દેખાય તો ભગવાન ગણાય. તો બધી દેખે ત્યારે શું થાય ?
પ્રશ્નકર્તા : દોષોનું પ્રતિક્રમણ કરીએ છીએ, એમાં અંદર જે પ્રક્રિયા થાય છે, તેમાં દોષનો નિવેડો આવે છે, શૂટ શબ્દ કરતાં નિવેડો આવે છે ?
દાદાશ્રી : એ તો ગમ્મતને માટે શૂટ શબ્દ છે. શૂટ તો શુરાતન રહે, લોક સાંભળે તો શૂરાતન આવે ?
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની પ્રક્રિયાથી દોષનો એન્ડ આવે, સમાધાન કરીને નિવેડો આવતો હોય છે ?
દાદાશ્રી : સમાધાન થાય પછી, શૂટ-બૂટ કરવાનું ત્યાં ન હોય. આપણું વિજ્ઞાન શું કહે છે ? તું પેલાને મારીને આવ્યો તો પ્રતિક્રમણ કર. ખરી રીતે ભગવાન શું કહે છે ? નિવેડો લાવો, નિકાલ કરો. ઠેઠ સુધી લઢશો નહીં, લઢવા માટે જન્મ નથી. ભગવાને “માર’ શબ્દ લખવા ન દીધો. “માર’ ના લખશો કહે છે. ‘માર' શબ્દથી જ હિંસાની મહીં શરૂઆત થાય છે.