________________
(૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ
૪૮૩
૪૮૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
જોઈએ ? હવે આટલું બધું અસંયમપણે કેમ પોષાય તે ? તમે ના સમજ્યા મેં વાત કરી તે ?
પ્રશ્નકર્તા : હા, સમજી ગયો.
આટલા સુખને માટે !
દાદાશ્રી : એ જ લાલચ આની ને કેટલાં દુઃખો ભોગવવાનાં !
પ્રશ્નકર્તા: આખી લાઈફ ખલાસ કરી નાખે છે એમાં. આખું જીવન રોજ એનું એ જ હેમરિંગ, એની એ જ અથડામણ ?
દાદાશ્રી : અત્યારે તો મને કેટલાય કહી જાય છે, આપણા મહાત્માઓ, કે, “મને કાલાવાલા કરાવડાવે.” ત્યારે મેં કહ્યું, ‘મૂઆ, તારો વક્કર જતો રહ્યો, ત્યારે શું કરાવડાવે ? હજુ સમજને યોગી થઈ જા ને !' હવે આને ક્યાંથી પહોંચી વળાય? આ દુનિયાને કંઈ પહોંચી વળાય ?
વિષય-ભીખ લાચાર બનાવે,
સંયમી તર સંસાર દીપાવે ! એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે છે, ત્યારે એક વખત એડવા દે છે. ત્યારે મૂઓ, એના કરતાં આ સમાધિ લેતો હોય તો શું ખોટું ? દરિયામાં સમાધિ લે, તો દરિયો સીધો તો ખરો, ભાંજગડ તો નહીં ! આ હારું, ચાર વખત સાષ્ટાંગ !
મુંબઈમાં એક માણસ મને ફરિયાદ કરવા આવ્યો અને કહે છે કે પાંચ વખત ફાઈલ નં. રને પગે લાગ્યો ત્યારે મારો સંતોષ થયેલો. મૂઆ, એના કરતાં... આ કઈ જાતનો માણસ, જાનવર છું કે શું મુઆ ? શું જોઈને મને કહેવા આવ્યો તું ? વિષયની ભીખ મંગાતી હશે ? તમને કેમ લાગે છે ? અલ્યા મૂઆ, પાંચ વખત ! હવે મને સીધું ડિરેક્ટ કહેવા આવ્યો તો મારે વઢવું પડ્યું, પછી મને કહે છે, હવે રસ્તો દેખાડો. ત્યારે મેં કહ્યું, હવે આ છૂટી જાય તે પછી રસ્તો દેખાડાય ! ધીમે ધીમે એ સીધું થઈ ગયું. ઊંધું ચાલે ત્યાર પછી શું થાય ?
મને એવું કહી ગયો કે મારે વિષયની ભીખ માંગવી પડે છે. અલ્યા મુઆ, વિષયોની ભીખ માગો છો ! કંઈ જાતના છો, જાનવર કરતાંય ભૂંડા છો ! વિષયની ભીખ મંગાતી હશે ? ખાવાની ભીખ ના મંગાય, ભૂખ્યા થયા હો તો કઈ ભીખ મંગાતી હશે ? કંઈ શૂરવીરપણું જોઈએ કે ના
દાદાશ્રી : આમ જે’ જે’ હઉ કરે માંગતી વખતે. બળ્યું તારી માંગ ! પાછો ધણી કહે છે, હું ધણી થઉં ! અલ્યા મૂઆ, આવો ધણી હોતો હશે ? અયુક્ત લાગતું નથી તમને ?
પ્રશ્નકર્તા : લાગે છે, દાદા.
દાદાશ્રી : આ યુક્ત વસ્તુ છે ? માણસને શોભે ? એટલે થોડો ઘણો સંયમ હોવો જોઈએ. બધું હોવું જોઈએ. સંયમી માણસે રહેવું જ જોઈએ. સંયમથી તો માણસની શોભા છે. સંયમના માટે શાસ્ત્રકારોએ નાનામાં નાનો સંયમ એ કહ્યો, કે મહિનામાં દસ દહાડા સુધી એને લેટ ગો કરે. અને મોટો સંયમ એ કહ્યો કે મહિનામાં ચાર જ વખત જાય. એનો કંઈક નિયમ તો હોવો જોઈએ કે ના હોવો જોઈએ ? આ મહિનામાં કેટલા દહાડા રજા મેલે છે ?
પ્રશ્નકર્તા : આઠ દિવસ. દાદાશ્રી : હા, તે એવું કંઈક નિયમ હોય કે નહીં ? પ્રશ્નકર્તા : પણ સંયમ કેવી રીતે રાખવો ?
દાદાશ્રી : આપણે કો'કને ઘેર ગયા હોય અને બહુ ભૂખ્યા હોય પણ એ કહેશે, અહીં તમને જમવાનું નહીં મળે તો તમે કહો કે “ભાઈ સાહેબ, આપો જમવાનું.” એ જે થવાનું હશે એ થશે પણ અત્યારે ચાલ્યા જાવ. વટવાળા હોયને ! સાવ વટ વગરના કૂતરા જેવા છો કંઈ ? પછી જમવા માટે ઊભો હોય પછી ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : હૈ, તે એવું આ બધું કંઈ વટ હોય કે ના હોય, બળ્યો ! સ્વમાન ફ્રેક્ટર થવા દેવું કે વિષય ફ્રેક્ટર થવા દેવું? કયું ફ્રેક્ટર થવા