________________
૪૫૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૨૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો
૪૫૫ રહે તો આવતે અવતાર પુરુષ થાય.
પ્રશ્નકર્તા: જે સ્ત્રીઓ છે એ પોતાની જાતે લિબરેટ થઈ શકે છે અને બીજાને કરવા મદદરૂપ થઈ શકે છે.
દાદાશ્રી : હં, બરાબર છે, તે ? પ્રશ્નકર્તા ઃ તો એ સમજાવો. દાદાશ્રી : સ્ત્રીઓ તો બહુ હેલ્પફૂલ છે.
પ્રશ્નકર્તા: હવે આમ કલ્યાણ કરે છે પણ પાછું બીજી બાજુ આપણે કહીએ કે સ્ત્રીઓમાં કપટ છે. તો એ કેવી રીતે એ થાય છે ?
દાદાશ્રી : એ તો એનો કપટનો સ્વભાવ છે. એ તો હંમેશાં સ્વભાવ હોય, પણ બીજા ગુણો હોયને, પાછા સ્ત્રીના ! સ્ત્રીનું ફોર્મેશન, પુરુષનું ફોર્મેશન બે જુદાં હોય છે.
સ્ત્રીઓને એમ ના કહેવાય હલકી,
તીર્થકરોની મા, જો સૃષ્ટિ મલકી ! પ્રશ્નકર્તા : સ્ત્રીને એક બાજુ લક્ષ્મી કહે છે ને બીજી બાજું કપટવાળી, મોહવાળી...
દાદાશ્રી : લક્ષ્મી કહે ત્યારે કંઈ એ જેવી તેવી છે ? ધણી નારાયણ કહેવાય તો એ શું કહેવાય ? એટલે એ જોડીને લક્ષ્મીનારાયણ કહે છે. ત્યારે એ સ્ત્રી તે કંઈ હલકી છે ? એ તીર્થંકરની મા છે. જેટલા તીર્થકરો થયાને, ચોવીસ, એમની મા કોણ ?
સ્ત્રી સુખી જો માથે પિતા-પતિ-પત્ર,
અક્રમમાં માથે જ્ઞાત-આજ્ઞા માત્ર ! પ્રશ્નકર્તા : પણ આજકાલ તો જુદું છે અહીંયાંની દુનિયામાં અને હિન્દુસ્તાનમાંય. કારણ કે સ્ત્રીઓ કમાતી થઈ એટલે એ પણ કહે છે કે મને ચલાવતા આવડે છે, મને ધંધો ચલાવતા આવડે છે.
દાદાશ્રી : અત્યારે તો કહેને બધું કમાય છે એટલે. કોઈ સ્ત્રી એવું કહે કે મારામાં ને પુરુષમાં શું ફેર રહ્યો છે ? હું આટલો પગાર લાવું છું, હું આટલું ભણી છું, તો આપણે કહીએ, ‘રાતે સાડા બાર વાગ્યા પછી એકલા આ રોડ પર જજો જોઈએ, તો હું કહું પુરુષ છું તું. તને બાથમાં ઉઠાવી જશે.” એ જાણે પછી જાય નહીં, નીકળે નહીં. એ પુરુષને કોઈ ના ઉઠાવે. પુરુષ પાસે ઘડિયાળ લઈ લે બહુ ત્યારે, એને ઉઠાવી ના જાય. તમે ના સમજ્યા ?
પ્રશ્નકર્તા : સમજ્યા.
દાદાશ્રી : એટલે પેલી બઈ ટાઢી પડી ગઈ પછી. ધણીને જવાબ દેતા ના આવડે, તો પછી એ તો ચઢી બેસેને અને જવાબ દે તોય એ તો વકીલાતના જવાબ આપે. એ વકીલાતનાં જવાબમાં તો ખઈ જાય એવી હોય છે. વકીલાતનાં જવાબ ના જોઈએ, એઝેક્ટ જવાબ હોવો જોઈએ. ઉઘાડું પાડી દે એવું. આપણે એમ વકીલાત કરીએ તો એ આમ કરે, આપણે આમ કરીએ તો એ આમ કરે. એનો આ જજમેન્ટ આપનારો કોઈ જજ હોવો જોઈએ.
પ્રશ્નકર્તા: તો એ કઈ સ્વતંત્રતાની વાત કરતી હોય છે ? સ્ત્રીઓ જ્યારે સ્વતંત્રતાની વાત કરતી હોય છે, તે કઈ સ્વતંત્રતાની વાત કરે છે ?
દાદાશ્રી : એ તો કહે છે, તમારું અને અમારું બધું લેવલ સરખું. તો આપણે કહેવું કે મને એનો વાંધો નથી, પણ મૂછો આવવા ને, પછી કરીશ. લેવલ તો સરખું દેખાવું જોઈએને ?
પ્રશ્નકર્તા : દાદા, આ સ્ત્રીઓ પાટલૂન પહેરે છે, ટાઈ પહેરે છે.
પ્રશ્નકર્તા : સ્ત્રીઓ.
દાદાશ્રી : ત્યારે એમને કેમ હલકી કહેવાય ? મોહ તો હોય જ હંમેશાં સ્ત્રી થઈ એટલે. પણ જન્મ કોને આપ્યો. મોટા મોટા તીર્થકરોને બધા... મોટા લોકોને તો એ જ જન્મ આપે છે, એને કેમ આપણથી વગોવાય ? તે આપણા લોક વગોવે છે.