________________
(૨૦) પરિણામો, છૂટાછેડાનાં
૪૨૯
૪૩
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
હોત તો ડિવોર્સ કરતે કદાચ.
દાદાશ્રી : એમ ? દરેકના ઘરમાં શાંતિ થઈ ગઈ ! શાંતિ નહોતી તે થઈ ગઈ !
ધણી વઢે તો શું કરું તું હવે ? પ્રશ્નકર્તા : સમભાવે નિકાલ કરી દેવાનો. દાદાશ્રી : એમ ! જતી ના રહું હવે ?
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો એટલી સારી કહેવાય ને ? પ્રશ્નકર્તા : એટલા એના મા-બાપના સંસ્કાર. દાદાશ્રી : નહીં, તમારું પુણ્ય સારું જોર કરે છે. પહેલી સદી નહીં, પણ બીજી સદી ને !
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એ જતા રહે ત્યારે શું કરું તું હવે ? મને તારી જોડે નહીં ફાવે તો ?
પ્રશ્નકર્તા : બોલાવી લાવવાના. માફી માંગીને, પગે લાગીને બોલાવી લાવવાનું.
દાદાશ્રી : હા, બોલાવી લાવવાના. અટાવી-પટાવીને માથે હાથ મૂકી, માથે હાથ ફેરવી. આમ આમેય કરવું કે ચૂપ પાછું.
અક્કલથી જ કામ થતું હોય તો અક્કલ વાપરવી. પછી બીજે દહાડે આપણને કહે, “જો મારા પગને અડી હતીને ?” તો એ વાત જુદી હતી, કહીએ. તમે કેમ ભાગી જતા’તા, ગાંડાં કાઢતા હતા, તેથી અડી. એ જાણે કે આ કાયમને માટે અડી. એ તો તત્પરતી, ઓન ધી મોમેન્ટ (તન્ત્રણ) હતી !!
પ્રશ્નકર્તા : દાદા, મારે તો પહેલી વાઈફ હતી એની જોડે દસ વર્ષ સુધી કોર્ટ ચાલી.
દાદાશ્રી : પછી ? પ્રશ્નકર્તા : પછી સહુ સહુને ઘેર. દાદાશ્રી : પછી આ વાઈફની કોર્ટ નથી થઈને ?