________________
પૈસાનો વ્યવહાર
પ૯
૫૯
પૈસાનો વ્યવહાર
યોજના થી ત્યાંથી જ આપણે ના સમજીએ કે રૂપકમાં આવવાનું છે ? ગયા અવતારમાં યોજના ઘડાઈ ને તૈયાર થઈ ગયેલું. આ રૂપકમાં આવ્યું, અત્યારે યોજના ઘડાઈ છે, તે આવતા અવતારની. એ પાછું રૂપકમાં આવશે.
વેપારમાં વહ્યા ભવો..... આ તો ટાયરની દુકાન કાઢે છે, ત્યારે એમ જ જાણે છે, બસ, ટાયર વગર તો દુનિયામાં ચાલે એવું નથી, એટલે દરેક અવતારમાં દુકાનો માંડેલી હોય છે. વેપાર, વેપાર ને વેપાર. પોતાના સ્વરૂપભણી દૃષ્ટિ જ ગઈ નથી. પોતે કોણ, તેની દૃષ્ટિ કરી નથી.
વતવાસ, વેપારમાં....
પ્રશ્નકર્તા : હમણાં તો વનવાસ ચાલે છે.
દાદાશ્રી : આવડા મોટા શહેરમાં રહો છો ને પછી વનવાસ કહો છો એનું કારણ તો કંઈક હશે ને ? સાસુ બહુ પજવે છે ?
થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યની અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત આવે. જે ચઢ-ઉતર થાય એનું નામ જ ધંધો, પૂરણ-ગલન છે એ. પૂરણ થયું એનું ગલન થયા વગર રહે જ નહીં. આ પૂરણ-ગલનમાં આપણી કશી મિલકત નથી, અને જે આપણી મિલકત છે, તેમાંથી કશું જ પૂરણ-ગલન થતું નથી ! એવો ચોખ્ખો વ્યવહાર છે ! આ તમારા ઘરમાં તમારાં વહુ-છોકરા બધા જ પાર્ટનર્સ છે ને ?
પ્રશ્નકર્તા : સુખદુઃખના ભોગવટામાં ખરાં.
દાદાશ્રી : તમે તમારી બૈરી-છોકરાંના વાલી કહેવાઓ. એકલા વાલીએ શા માટે ચિંતા કરવી ? અને ઘરનાં તો ઊલટું કહે છે કે તમે અમારી ચિંતા ના કરશો.
પ્રશ્નકર્તા : ચિંતાનું સ્વરૂપ શું છે? જમ્યા ત્યારે તો હતી નહીં ને આવી ક્યાંથી ?
દાદાશ્રી : જેમ બુદ્ધિ વધે તેમ બળાપો વધે. જન્મ્યા ત્યારે બુદ્ધિ હોય છે? ધંધા માટે વિચારની જરૂર છે. પણ તેની આગળ ગયા તો બગડી જાય. ધંધા અંગે દસ-પંદર મિનિટ વિચારવાનું હોય. પછી એથી આગળ જાઓ ને વિચારોના વળ ચઢવા માંડે તે નોર્માલિટીની બહાર ગયું કહેવાય, ત્યારે તેને છોડી દેજો. ધંધાના વિચાર તો આવે, પણ એ વિચારમાં તમ્પાકાર થઈને એ વિચાર લંબાય તો પછી એનું ધ્યાન ઉત્પન્ન થાય ને તેથી ચિંતા થાય. એ બહુ નુકસાન કરે.
પ્રશ્નકર્તા : પણ ધંધાની જવાબદારીઓ હોય તેનું શું? દાદાશ્રી : ધંધાની જવાબદારી છે, તો સંડાસ નહીં જતા હોય ને ? પ્રશ્નકર્તા : એ તો નિત્યકર્મ છે. શરીર ધર્મ તો બજાવવા જ પડે ને !
દાદાશ્રી : તો આ યે નિત્યકર્મ છે. જેમ ઊંઘવું એ નિત્યકર્મ છે તેમ આ યે નિત્યકર્મ છે બધા. આ નિત્યકર્મને ટેલી અને મહીં અજંપો કર્યા કરે છે. અને તેથી આવતા અવતાર બગડી જાય બધા.
કોણ કોને નથી છોડતું !
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : હા, કેટલીક જગ્યાએ સાસુઓ એવી હોય છે તે વહુને ને આપણને ભેગા જ ના થવા દે એટલે વનવાસ થઈ જાય છે પછી ? સાસુ તમારી સારી છે ને ? પછી આ વનવાસ શાથી ? એ મને કહો ને !
પ્રશ્નકર્તા : કામધંધા બાબતમાં.
દાદાશ્રી : ઓહો ! ધંધો બરોબર મળતો નથી, નહીં ? ભાવ ઓછો હશે તો ય નથી મળતો ?
ચિંતાથી ધંધાતું મોત ! પ્રશ્નકર્તા : ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય બગડવાનું વધારે. ચિંતા ના