________________
પૈસાનો
વ્યવહાર
૧૩૭
પૈસાનો
વ્યવહાર
પ્રશ્નકર્તા : એ ચંદુભાઈ સાડી વેચવાવાળા.
દાદાશ્રી : તમે શુદ્ધાત્મા છો, અને પછી આ ચંદુભાઈ કહો તો યુ આર નોટ રિસ્પોન્સીબલ.
અને બીજી રીતે કોઈને સામું પ્રત્યક્ષ દુ:ખ થયેલું લાગે એને. તો તમારે ચંદુભાઈને કહેવું જોઈએ કે ભઈ ‘તમે’ અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. બાકી તમારી જોખમદારી બિલકુલ નથી રાખી મેં. તમારી જોખમદારી ઊડાડી મેલી છે આ.
પ્રશ્નકર્તા : તમે એ રીતે ચંદુભાઈને છૂટા મૂકી દો તો એ તો ગમે તે કરે.
દાદાશ્રી : ના. એ તેથી જ મેં વ્યવસ્થિત કહેલું કે એક વાળ ફેરફાર કરવાનો અધિકાર એક જિંદગી માટે નથી. ‘વન લાઈફ' માટે હું !! જે લાઈફમાં હું વ્યવસ્થિત આપું છું, એ વ્યવસ્થિતમાં ફેરફાર થઈ શકે એમ નથી. ત્યારે જ હું તમને છૂટા મૂકી દઉં છું. એટલે હું જોઈને કહું છું, ને તેથી મારે વઢવું ના પડે, કે બૈરી જોડે કેમ ફરતા'તા ? ને કેમ આમ તમે ?! મારે કશું વઢવું ના પડે. બીજી લાઈફ માટે નહીં, પણ આ એક લાઈફ માટે. યુ આર નોટ રિસ્પોન્સીબલ એટ ઓલ ! એટલું બધું કહ્યું છે પાછું.
આ છે અક્રમ વિજ્ઞાન આ તો વિજ્ઞાન છે, તરત મુક્તિને આપનારું છે. અને જો આ વિજ્ઞાન સમજી જાય તો તાળા મળે એવું છે. જ્યાંથી તાળો મેળવો ત્યાંથી તાળા મળ્યા જ કરે, અને જે કોઈ પણ વસ્તુનો તાળો ના મળતો હોય તો એ વિજ્ઞાન જ ના કહેવાય. તાળો મેળવવો હોય તો તાળો મળી રહેવો જોઈએ. વિરોધાભાસ ક્યારે પણ ના આવવો જોઈએ. સો વર્ષ થાય, પણ વિરોધાભાસ હોય નહીં. એનું નામ સિદ્ધાંત કહેવાય. આ અક્રમસિદ્ધાંત બુદ્ધિને ગાંઠતું નથી. ભલભલા બુદ્ધિશાળીઓ મુંબઈમાં આવ્યા, પણ કોઈને ગાંઠતું જ નતી. કારણ કે બુદ્ધિથી પરવસ્તુ છે આ !! બુદ્ધિ તો લિમિટેડ હોય. આની લિમિટે ય ના હોય.
બ્લેક માર્કેટીંગનું શું ? પ્રશ્નકર્તા : કેટલીક જગ્યાએ માણસો ભૂખે મરે છે અને એક બાજુ બ્લેકમાં પૈસા બનાવું છું. એનો સમભાવે નિકાલ કેવી રીતે થાય ?
દાદાશ્રી : એ જે કરે છે ને, એ જ બરાબર છે. પ્રકૃતિ જે જે કરે ને એ કૉઝની ઇફેક્ટ જ છે. પછી આપણે જાણીયે, આપણને સમજણ પડે કે આ ન્યાયમાં નથી થયું એટલે આપણે ચંદુલાલને કહેવાનું કે આ ના કરો. માફી માંગી લેવાની કે આવું ફરી નહીં કરું, એ કહે પણ ફરી એવું જ કરે. કારણ પ્રકૃતિમાં ગુંથાયેલું એવું છે ને ! “આપણે” ધોતા જવાનું પછી પાછળથી.
વ્યાજ ખવાય કે નહીં ? પ્રશ્નકર્તા : વ્યાજ ખવાય કે ના ખવાય ?
દાદાશ્રી : વ્યાજ ચંદુલાલને ખાવું હોય તો ખાય. પણ એને કહેવું કે પ્રતિક્રમણ કરજો પછી.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ શું કામ કરવાનું ? વ્યાજ એ અતિક્રમણ છે ?
દાદાશ્રી : અતિક્રમણ કર્યું માટે. વ્યાજને અતિક્રમણ ક્યારે કહેવાય છે ? સામા માણસને મનદુઃખ થાય ને એવું વ્યાજ હોય. તેને અતિક્રમણ કહેવાય છે.
પ્રશ્નકર્તા : એ શાસ્ત્રમાં વ્યાજ ખાવાની ના લખી છે, એ શું ગણતરીઓ છે?
દાદાશ્રી : વ્યાજ માટે ના તો એટલા માટે લખેલી છે કે, જે વ્યાજ ખાય છે એ માણસ ત્યાર પછી કસાઈ જેવો થઈ જાય છે, માટે ના પાડી છે. એ અહિતકારી છે એટલા માટે !
દુ:ખ થાય ત્યાં પ્રતિક્રમણ ! આદર્શ વ્યવહારથી આપણાથી કોઈને ય દુઃખ ના થાય. તેટલું જ જોવાનું, છતાં પણ આપણા થકી કોઈને દુઃખ થાય તો તરત જ પ્રતિક્રમણ કરી લેવાનું,