________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : સ્વીકારી લઈને કામ આગળ ચલાવવું પડે. આપણો જ હિસાબ આ. કંઈ પારકો હિસાબ નથી અને તે લમણે લખેલા પાછાં. મેં જાણ્યું કે આ કાળમાં આવું ‘અનૂસર્ટિફાઈડ ફાધર્સ ને અસર્ટિફાઈડ મધર્સ’ શા હારું લખાઈ ગયું હશે ? હું ય વિચાર કરતો હતો કે આવા કંઈ શબ્દ બોલાતા હશે ? એક-બે જણે મને કહ્યું ય હતું કે “આવું આવું લખ્યું ?” મેં કહ્યું, ‘હા, લખ્યું.’ એવા ફાધર છે તે ખબર પડી જશે.
સમજાવવાથી સુધરે સુપુત્રો
છોડને તે વઢીને ઉછેરાય? પ્રેમથી પાણી પણ પીધળાયા
પ્રશ્નકર્તા : આપણને એમ થતું હોય કે આનું ભલું થાય છે તો એને ટોકટોક કરીએ, તો એ નહીં સારુંને ? કોઈને વઢીએ, ટોકીએ, એનાં સારા માટે તો એ કરવું કે નહીં ?
દાદાશ્રી : ના, એ તો આપણા હાથમાં નહીં. એ તો ટોકાય, એ કરવા જેવી વસ્તુ નહીં, પણ ટોકાય તે આપણે જોયા કરવાનું. આપણે ના કરવું હોય તો ય થઈ જાય એ તો. ના વઢવું હોય તો ય વઢી જવાય. એટલે એ આપણે જોયા કરવાનું કે આમ ન હોવું ઘટે, એવું આપણે મનમાં અભિપ્રાય રહેવો જોઈએ.
પ્રશ્નકર્તા: હં, કે આમ નહીં કરવું.
દાદાશ્રી : આમ હોવું ઘટે નહીં એવો આપણો અભિપ્રાય ફેર થયો એટલે આપણે છૂટા. આપણી જવાબદારી નહીં પછી.
પ્રશ્નકર્તા : મૌનવ્રત લઈએ તો કેવું ? મૌન લઈએ તો, બોલવું જ