________________
૨૫૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
નિઃશંક ફરતા મેં જોયેલા, અને તે ય ભયંકર કળિયુગમાં ! અને નવે ય છોડીઓ પૈણી. આ શંકામાં રહ્યો હોત તો કેટલો જીવત એ ?! માટે કોઈ દહાડો શંકા ના કરવી. શંકા કરે તો એને પોતાને ખોટ જાય.
કોણ છોડી ને કોણ બાપ? નાટકતાં પાત્રો ત કો' સાવ !
એકની એક છોડી હોય ને તેને કોઈ ઉઠાવી જતો હોય, ને બાપ વીતરાગ હોય તો તે શું કરે ? મહાવીરને છોડી હતી કે નહીં ? એવું વીતરાગની એકની એક છોડી હોય ને કોઈ ઉઠાવી જતો હોય તો શું
કરે ?
(૧૧) વારસામાં છોકરાંતે કેટલું?
છોકરાં માટે વાપર્યું. બંધાય ભાથું; પારકા માટે વાપરે તે પુણ્ય સાચું !
પ્રશ્નકર્તા : એને અટકાવવા પ્રયત્ન કરે. ને છતાં ય લઈ જાય તો કંઈ નહિ.
દાદાશ્રી : એ પ્રયત્નો પણ ડ્રામેટિક કરે. ડ્રામેટિક, નાટકમાં આમ કરે ને કે, “શું સમજે છે તું તારા મનમાં ? તારા પર દાવો માંડીશ. તને કોર્ટમાં ફરિયાદ કરીશ. આમ કરીશ, તેમ કરીશ.’ બધું બોલે. નાટકી બધું બોલે.
પોતાની એકની એક છોકરી હોય, ત્યાં જ્ઞાની પુરુષ શું કરે ? નાટકી કરે. છોકરી હોતી જ નથી પોતાની ! જ્યાં દેહ જ પોતાનો નથી ત્યાં છોકરી પોતાની શી રીતે હોઈ શકે ? અને જે બને છે, જે બની રહ્યું છે, એ કોઈની સત્તાની વાત નથી. પણ છતાં ય તે ઘડીએ તમારાથી એમ ના કહેવાય કે, “સારું ભઈ, ત્યારે તું લઈ જા બા.” એવું ના બોલાય. એ વ્યવહાર પાંગળો દેખાય.
પ્રશ્નકર્તા : બધું કરવું છતાં નિર્લેપ રહેવું.
દાદાશ્રી : હા. છતાં નિર્લેપ રહેવું. ખરું સમજી ગયા. દેહ જ આપણો નથી. આ તો ગાળો ખાઈને કર્મ બાંધવા નીકળ્યા છે લોકો !!
પ્રશ્નકર્તા : પુણ્યના ઉદયે, જોઈએ તેનાં કરતાં વધારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો ?
દાદાશ્રી : તો વાપરી નાખવી. છોકરાં હારું બહુ રાખવી નહિ. એમને ભણાવવા, ગણાવવા, બધું કમ્પ્લીટ કરી, એમને સર્વિસ લગાવી દીધાં. એટલે પછી એ ડાળે (કામ) લાગ્યાં, એટલે બહુ રાખવી નહિ. એટલું ધ્યાન રાખવાનું કે જેટલું આપણી જોડે આવે એટલું જ આપણું.
તમારે કેટલા દીકરા છે ? પ્રશ્નકર્તા: ત્રણ. બે દીકરા ને એક દીકરી.
દાદાશ્રી : માથાકૂટ કોણે કરી ? તમે કરી. ભોગવશે કોણ ? આ બધાં, પણ એ લોકો સાથે લઈને આવ્યાં હોય !
પ્રશ્નકર્તા : હું મૂકી જઈશ તો છોકરાં વાપરશે.