SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય ડૉ. નીરુબહેન અમીન ક્યા અવતારમાં છોકરાં નથી થયાં ? મા-બાપ વિના કોનું અસ્તિત્વ હોઈ શકે ? ભગવાનો પણ માને પેટે જ જન્મ્યા હતા. આમ મા-બાપ છોકરાંનો વ્યવહાર અનાદિ અનંત છે. એ વ્યવહારમાં આદર્શતા કેમ કરીને આવે તે માટે બધા દિન-રાત મથતા દેખવામાં આવે છે. તેમાં ય આ કળિકાળમાં તો વાત વાતમાં મા-બાપ છોકરાં વચ્ચે મતભેદ ભાળવામાં આવે છે ત્યારે અરેરાટી વ્યાપી જાય. સંયુગમાં ય ભગવાન રામ અને લવ-કુશનો વ્યવહાર કેવો હતો ? ઋષભદેવ ભગવાનથી અળગો પંથ કાઢનાર મરીચિ ક્યાં ન હતા ? ધૃતરાષ્ટ્રની મમતા ને દુર્યોધનનો સ્વછંદ ક્યાં જાણીતો નથી ? મહાવીરના વખતમાં શ્રેણિક રાજા અને પુત્ર કોણીક મોગલોની યાદ અપાવે તેમ હતું. મોગલ બાદશાહો જગપ્રખ્યાત થયા ત્યારે એક બાજુ બાબર હતો કે જેણે હુમાયુના જીવન માટે પોતાના જીવનને સાટામાં આપવાની અલ્લાને બંદગી કરેલી ? ત્યારે બીજી બાજુ શાહજહાંને જેલમાં નાખીને ઔરંગઝેબ ગાદી પર બેઠેલો. તો રામ બાપને ખાતર જ વનવાસ ચાલ્યા ગયા હતા. શ્રવણે મા-બાપને કાવડમાં બેસાડી જાતે ઊંચકીને જાત્રા કરાવેલી. (મુખપૃષ્ઠ) આમ રાગ-દ્વેષની વચ્ચે ઝોલાં ખાતો મા-બાપ અને છોકરાંનો વ્યવહાર દરેક કાળમાં હોય છે. આ કાળમાં દ્વેષનો વ્યવહાર વિશેષ વિશેષ જોવામાં આવે છે. આવા કાળમાં સમતામાં રહી આદર્શ વ્યવહાર કરી નીકળી જવાનો રસ્તો અક્રમ વિજ્ઞાની સંપૂજ્ય દાદાશ્રીએ અત્રે પ્રરૂપ્યો છે. આજના યુવાવર્ગનું માનસ સંપૂર્ણપણે જાણી તેમને જીતવાનો રસ્તો સૂઝાડ્યો છે. પરદેશમાં વસતા ભારતીય મા-બાપો તેમ જ બાળકોની બે દેશના ભિન્ન ભિન્ન કલ્ચર વચ્ચે જીવન જીવવાની કઠીન સમસ્યાનો સુંદર ઉકેલ પ્રસંગે પ્રસંગે વાતચીત કરતાં ખુલ્લો કર્યો છે. જે સુજ્ઞ વડીલ વાંચકોને તેમજ યુવાવર્ગને ખૂબ ખૂબ ઉપયોગી બનશે, એમનાં આદર્શ જીવન જીવવા માટે. પ્રસ્તુત ગ્રંથ બે વિભાગમાં સંકલન થઈ પ્રકાશિત થાય છે. પૂર્વાર્ધ : મા-બાપનો છોકરાં પ્રત્યે વ્યવહાર. ઉત્તરાર્ધ : છોકરાંનો મા-બાપ પ્રત્યે વ્યવહાર. પૂર્વાર્ધમાં પરમ પૂજય દાદાશ્રી મા-બાપ સાથે સત્સંગ કરે છે. મા-બાપની અનેક મૂંઝવણો સંપૂજયશ્રી સામે અનેક પ્રસંગોએ રજૂ થયેલી. જેના સચોટ સોલ્યુશન પૂજયશ્રીએ આપ્યાં છે. જેમાં મા-બાપને વ્યવહારિક ગૂંચવાડાનાં સમાધાન મળે, તેમનાં પોતાના અંગત જીવનમાં જાતને સુધારવાની ચાવીઓ મળે તેમજ બાળકો સાથે વ્યવહારમાં પડતી મુશ્કેલીઓમાં અનેક ઉકેલ પ્રાપ્ત થાય છે અને જેથી સંસાર વ્યવહાર સુખમય પૂરો થાય. મા-બાપ અને છોકરાં વચ્ચે જે રિલેટિવ સંબંધ છે, તત્ત્વ દ્રષ્ટિએ જે વાસ્તવિકતાઓ છે, એ સમજ પણ જ્ઞાની પુરુષ આપે છે. જેથી મોક્ષ માર્ગે આગળ વધવામાં માબાપને મૂર્છા ઊડી જાય અને જાગૃતિ ખીલે. તે સર્વ ગ્રંથના પૂર્વાર્ધમાં સંકલિત થયું છે. જ્યારે ઉત્તરાર્ધમાં પરમ પૂજય દાદાશ્રી બાળકો, યુવાન છોકરાછોકરીઓ જોડે સત્સંગ કરે છે અને તેમણે પોતાના જીવનની અંગત મૂંઝવણોના સમાધાન મેળવ્યાં છે. મા-બાપ સાથે કેવો વ્યવહાર કરવો તેની સમજણ પ્રાપ્ત થાય છે, પરણવાની બાબતમાં સમજ એવી સરસ પ્રાપ્ત થાય છે કે યુવાનો પોતાના જીવનમાં સાચી વાત સમજીને પછી વ્યવહારનો પૂરેપૂરો ઉકેલ લાવી શકે. બાળકો પોતાના મા-બાપની સેવાનું મહાભ્ય અને પરિણામ સમજે તેની સમજણ ગ્રંથના ઉત્તરાર્ધમાં સમાવેશ થાય છે. મા-બાપની મૂંઝવણો જેવી કે છોકરાં માટે આટલું બધું કર્યું છતાં છોકરાં સામાં થાય છે તેનું શું ? છોકરાં મોટાં થઈને આવાં સંસ્કારી
SR No.008858
Book TitleMaa Baap Chhokarano Vyavahar Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size367 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy