________________
ક્લેશ વિનાનું જીવન
૧૧૧ આપણે ‘લટકતી સલામ’ રાખવાની. ઘણા નથી કહેતા કે ભઇ, મારે તો આની જોડે ‘લટકતી સલામ ' જેવો સંબંધ છે ? ! એવી જ રીતે આખા જગત જોડે રહેવાનું. જેને ‘લટકતી સલામ’ આખા જગત જોડે આવડી એ જ્ઞાની થઇ ગયો. આ દેહ જોડે પણ ‘લટકતી સલામ !' અમે નિરંતર બધા જોડે ‘લટકતી સલામ' રાખીએ છીએ તો ય બધા કહે કે, ‘તમે અમારા પર બહુ સારો ભાવ રાખો છો.’ હું વ્યવહાર બધાં ય કરું છું પણ આત્મામાં રહીને.
પ્રશ્નકર્તા : ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઇ જાય છે તો શું કરવું ?
દાદાશ્રી : ડાહ્યો માણસ હોય ને તો લાખ રૂપિયા આપે તો ય વઢવાડ ના કરે ! ને આ તો વગર પૈસે વઢવાડ કરે, તો એ અનાડી નહીં તો શું ? ભગવાન મહાવીરને કર્મો ખપાવવા સાઠ માઇલ ચાલીને અનાર્ય ક્ષેત્રમાં જવું પડેલું, ને આજના લોક પુણ્યશાળી તે ઘેર બેઠા અનાર્ય ક્ષેત્ર છે ! કેવાં ધન્ય ભાગ્ય ! આ તો અત્યંત લાભદાયી છે કર્મો ખપાવવા માટે, જો પાંસરો રહે તો.
ક્લાકતો ગુનો, દંડ જિંદગી આખી ! એક કલાક નોકરને, છોકરાને કે બઇ ને ટૈડકાવ ટૈડકાવ કર્યો હોય તો પછી એ ધણી થઇને કે સાસુ થઇ ને તમને આખી જિંદગી કચડે કચડ કરશે ! ન્યાય તો જોઇએ કે ના જોઇએ ? આ ભોગવવાનું છે. તમે કોઇને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે, એક જ કલાક દુ:ખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે. પછી બૂમો પાડો કે “વહુ મને આમ કેમ કરે છે ?” વહુને એમ થાય કે “આ ધણી જોડે મારાથી આમ કેમ થાય છે ?” એને પણ દુ:ખ થાય, પણ શું થાય ? પછી મેં તેમને પૂછયું કે ‘વહુ તમને ખોળી લાવી હતી કે તમે વહુને ખોળી લાવ્યા હતા !” ત્યારે એ કહે કે, ‘હું ખોળી લાવ્યા હતો.' ત્યારે એનો શો દોષ બિચારીનો ? લઇ આવ્યા પછી અવળું નીકળે, એમાં તે શું કરે ?
ક્યાં જાય પછી ? કેટલીક સ્ત્રી તો પતિને મારે હઉ, પતિવ્રતા સ્ત્રીને તો આવું સાંભળતાં જ પાપ લાગે કે આવું બૈરી ધણીને મારે !
ક્લેશ વિનાનું જીવન પ્રશ્નકર્તા : જો પુરુષ માર ખાય તો તે બાયલો કહેવાય ને ?
દાદાશ્રી : એવું છે, માર ખાવો એ કાંઇ પુરુષની નબળાઇ નથી. પણ એના આ ઋણાનુબંધ એવા હોય છે, બૈરી દુઃખ દેવા માટે જ આવેલી હોય છે તે હિસાબ ચૂકવે જ.
ગાંડો અહંકાર, તો વઢવાડ કરાવે ! સંસારમાં વઢવાની વાત જ ના કરવી, એ તો રોગ કહેવાય. વઢવ એ અહંકાર છે, ખુલ્લો અહંકાર છે, એ ગાંડો અહંકાર કહેવાય, મનમાં એમ માને કે “મારા વગર ચાલશે નહીં.” કોઇને વઢવામાં તો આપણને ઊલટો બોજો લાગે, નયું માથું પાકી જાય. વઢવાનો કોઇને શોખ હોય ખરો ?
ઘરમાં સામા પૂછે, સલાહ માગે તો જ જવાબ આપવો. વગર પૂછયે સલાહ આપવા બેસી જાય એને ભગવાને અહંકાર કહ્યો છે. ધણી પૂછે કે, ‘આ પ્યાલા ક્યાં મૂકવાના છે ?' તો બઇ જવાબ આપે કે, ‘ફલાણી જગ્યાએ મૂકો.' તે આપણે ત્યાં મૂકી દેવા. તેને બદલે એ કહે કે, “તને અક્કલ નથી, ક્યાં મૂકવાનું તું કહે છે ? એટલે બઇ કહે કે, ‘તમારી અક્કલથી મૂકો.” હવે આનો ક્યાં પાર આવે ? આ સંયોગોની અથડામણ છે ! તે ભમરડા ખાતી વખતે, ઊઠતી વખતે અથડાયા જ કરે ! ભમરડા પછી ટીચાય છે ને છોલાય છે ને લોહી નીકળે છે !! આ તો માનસિક લોહી નીકળવાનું ને ! પેલું લોહી નીકળતું હોય તો તે સારું. પટ્ટી મારીએ એટલે બેસી જાય. આ માનસિક ઘા પર તો પટ્ટી ય ના લાગે કોઇ !
એવી વાણી બોલવા જેવી નહીં ! ઘરમાં કોઇને કાંઇ કહેવું એ મોટામાં મોટો અહંકારનો રોગ છે. પોતપોતાનો હિસાબ લઇને જ આવ્યા છે બધાં ! સહુ સહુની દાઢી ઊગે છે, આપણે કોઇને કહેવું નથી પડતું કે દાઢી કેમ ઉગાડતો નથી ? એ તો એને ઊગે જ. સહુ સહુની આંખે જુએ છે, સહુ સહુના કાને સાંભળે છે ! આ ડખો કરવાની શી જરૂરત છે ? એક અક્ષર પણ બોલશો નહીં. એટલા માટે અમે આ ‘વ્યવસ્થિત’નું જ્ઞાન આપીએ છીએ. અવ્યવસ્થિત ક્યારેય પણ થતું જ નથી. અવ્યવસ્થિત દેખાય છે તે પણ ‘વ્યવસ્થિત’