________________
ક્લેશ વિનાનું જીવન
આવી સરળતા આવી ત્યાંથી જ મોક્ષે જવાની નિશાની થઇ. આવી સરળતા
હોય નહીં ને ? મોક્ષે જવા માટે સરળ જ થવાનું છે. આ બહાર તો ધણી ચીટ-ચીટ કર્યા કરે. બૈરીનો માર પોતે ખાતો હોય તો ય બહાર કહે કે, ના, ના, એ તો મારી દીકરીને મારતી હતી !' અલ્યા, મેં જાતે તને મારતાં જોયું હતું ને ? આનો શો અર્થ ? ‘મિનિંગલેસ.’ એના કરતાં સાચેસાચું કહી દે ને ! આત્માને ક્યાં મારવાનું છે ? આપણે આત્મા છીએ, મારશે તો દેહને મારશે. આપણા આત્માનું તો કોઇ અપમાને ય કરી ના શકે. કારણ કે ‘આપણને’ એ દેખે તો અપમાન કરે ને ? દેખ્યા વગર શી રીતે અપમાન કરે ? દેહને તો આ ભેંસ નથી મારી જતી ? ત્યાં નથી કહેતા કે આ ભેંસે મને મારી ? આ ભેંસ કરતાં ઘરનાં બઇ મોટાં નહીં ? એમાં શું ? શેની આબરૂ જવાની છે ? આબરૂ છે જ ક્યાં તે ? આ જગતમાં કેટલા જીવો રહે છે ? કોઇ લૂગડાં પહેરે છે ? આબરૂવાળા કપડાં પહેરે જ નહીં. જેને આબરૂ નહીં તે કપડાં પહેરી આબરૂ ઢાંક ઢાંક કરે, જંયાથી ફાટે ત્યાંથી સાંધ સાંધ કરે. કોઇ જોઇ જશે, કોઇ જોઇ જશે ! અલ્યા, સાંધી સાંધીને કેટલા દહાડા આબરૂ રાખીશ ? સાંધેલી આબરૂ રહે નહીં. આબરૂ તો જ્યાં નીતિ છે, પ્રમાણિકતા છે, દયા છે, લાગણી છે, ‘ઓબ્લાઇઝિંગ નેચર' છે, ત્યાં છે.
૧૦૯
.... આમ ફસામણ વધતી ગઈ !
આ રોટલા ને શાક માટે શાદી કરવાની. ધણી જાણે કે હું કમાઇ લાવું, પણ આ ખાવાનું કરી કોણ આપે ? બાઇ જાણે કે હું રોટલા બનાવું હું ખરી, પણ કમાવી કોણ આપે? એમ કરીને બેઉ પરણ્યાં, ને સહકારી મંડળી કાઢી. પછી છોકરાં ય થવાનાં. એક દૂધીનું બી વાવ્યુ, પછી દૂધિયાં બેસ્યા કરે કે ના બેસ્યા કરે ? વેલાને પાંદડે પાંદડે દૂધિયાં બેસે, એવું આ માણસો પણ દૂધિયાંની પેઠ બેસ્યા કરે છે. દૂધી એમ નથી બોલતી કે મારાં દૂધિયાં છે. આ મનુષ્યો એકલા જ બોલે કે આ મારાં દૂધિયાં છે. આ બુદ્ધિનો દુરુપયોગ કર્યો, બુદ્ધિ ઉપર નિર્ભર રહી તેથી મનુષ્ય જાતિ નિરાશ્રિત કહેવાઇ. બીજા કોઇ જીવ બુદ્ધિ પર નિર્ભર નથી. એટલે એ બધાં આશ્રિત કહેવાય, આશ્રિતને દુઃખ ના હોય. આમને જ દુઃખ બધું હોય !
આ વિકલ્પી સુખો માટે ભટક ભટક કરે છે, પણ બૈરી સામી થાય
ક્લેશ વિનાનું જીવન
ત્યારે એ સુખની ખબર પડે કે આ સંસાર ભોગવવા જેવો નથી. પણ આ તો તરત જ મૂર્છિત થઇ જાય ! મોહનો આટલો બધો માર ખાય છે, તેનું ભાન પણ રહેતું નથી.
૧૧૦
બીબી રીસાયેલી હોય ત્યાં સુધી ‘યા અલ્લાહ પરવર દિગાર' કરે અને બીબી બોલવા આવી એટલે મિયાંભાઇ તૈયાર ! પછી અલ્લાહ ને બીજું બધું બાજુએ રહે ! કેટલી મૂંઝવણ !! એમ કાંઇ દુઃખ મટી જવાનાં છે ? ઘડીવાર તું અલ્લાહ પાસે જાય તો કંઇ દુઃખ મટી જાય ? જેટલો વખત ત્યાં રહું એટલો વખત મહીં સળગતું બંધ થઇ જાય જરા, પણ પછી પાછી કાયમની સગડી સળગ્યા જ કરવાની. નિરંતર પ્રગટ અગ્નિ કહેવાય, ઘડીવાર પણ શાતા ના હોય ! જ્યાં સુધી શુદ્ધાત્મા સ્વરૂપ પ્રાપ્ત ના થાય, પોતાની દ્રષ્ટિમાં ‘હું શુદ્ધ સ્વરૂપ છું.’ એવું ભાન ના થાય ત્યાં સુધી સગડી સળગ્યા જ કરવાની. લગ્નમાં પણ દીકરી પરણાવતા હોય તો ય મહીં સળગ્યા કરતું હોય ! નિરંતર બળાપો રહે ! સંસાર એટલે શું ? જંજાળ. આ દેહ વળગ્યો છે તે ય જંજાળ છે ! જંજાળનો તે વળી શોખ હોતો હશે ? આનો શોખ લાગે છે એ ય અજાયબી છે ને ! માછલાંની જાળ જુદી ને આ જાળ જુદી ! માછલાંની જાળમાંથી કાપી કરીને નીકળાય પણ ખરું, પણ આમાંથી નીકળાય જ નહીં. ઠેઠ નનામી નીકળે ત્યારે નીકળાય ! અંતે તો ‘લટકતી સલામ' !
આમાં સુખ નથી એ સમજવું તો પડશે ને ? ભાઇઓ અપમાન કરે, બઇસાહેબ પણ અપમાન કરે, છોકરાં અપમાન કરે ! આ તો બધો નાટકીય વ્યવહાર છે, બાકી આમાંથી કોઇ સાથે ઓછા આવવાના છે ?
તમે પોતે શુદ્ધાત્મા ને આ બધા વ્યવહારો ઉપરછલ્લા એટલે કે ‘સુપરફલુઅસ’કરવાનો છે. પોતે ‘હોમ ડિપાર્ટમેન્ટ'માં રહેવું અને ‘ફોરેન’માં ‘સુપરફલુઅસ’ રહેવું. ‘સુપરફલુઅસ’ એટલે તન્મયાકાર વૃત્તિ નહીં તે, ‘ડ્રામેટિક’ તે. ખાલી આ ‘ડ્રામા’ જ ભજવવાનો છે. ‘ડ્રામા’માં ખોટ ગઇ તો પણ હસવાનું ને નફો આવે તો પણ હસવાનું. ‘ડ્રામા’માં દેખાવ પણ કરવો પડે, ખોટ ગઇ હોય તો તેવો દેખાવ કરવો પડે ! મોઢે બોલીએ ખરાં કે બહુ નુકસાન થયું, પણ મહીં તન્મયાકાર ના થઇએ.