SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ક્લેશ વિનાનું જીવન ક્લેશ વિનાનું જીવન હું કહું કે ઢોળો તો ય એ ના ઢોળે. જાણી જોઇને કોઇ ઘી ઢોળતું હશે ? ના. છતાં ઘી ઢોળાય છે એ જોવા જેવું છે માટે આપણે જુઓ ! અમારે મતભેદ થતા પહેલાં જ્ઞાન ઓન-ધ-મોમેન્ટ હાજર રહે. “મેરી હાલત મેં હી જાનતા હું બોલે એટલે બીબી ખુશ થઇ જાય. અને આપણા લોક તો હાલત કે કશું કહે નહીં. અલ્યા, તારી હાલત કહે તો ખરો કે સારી નથી. માટે રાજી રહેજો.’ | બધાની હાજરીમાં, સૂર્યનારાયણની સાક્ષીએ, ગોરની સાક્ષીએ પૈણ્યો ત્યારે ગોરે સોદા કર્યા કે ‘સમય વર્તે સાવધાન' તે તને સાવધ થતાં ય નથી આવડતું ? સમય પ્રમાણે સાવધ થવું જોઇએ. ગોર બોલે છે, ‘સમય વર્તે સાવધાન.' તે ગોર સમજે, પરણનારો શું સમજે ?! સાવધાનનો અર્થ શું ? તો કે ‘બીબી ઉગ્ર થઇ હોય ત્યારે તું ઠંડો થઇ જજે, સાવધ થજે. હવે બેઉ જણ ઝઘડે તો તો પાડોશી જોવા આવે કે ના આવે ? પછી તમાશો થાય કે ના થાય ? અને પાછું ભેગું ના થવાનું હોય તો લઢો. અરે, વહેંચી જ નાખો ! ત્યારે કહે, “ના, ક્યાં જવાનું !” જો ફરી ભેગું થવાનું છે તો પછી શું કરવા લઢે છે ! આપણે એવું ચેતવું ના જોઇએ ? સ્ત્રી જાણે જાતિ એવી છે કે એ ના ફરે, એટલે આપણે ફરવું પડશે. એ સહજ જાતિ છે, એ ફરે એવી નથી. બૈરી ચિઢાય ને કહે, ‘હું તમારી થાળી લઈને નથી આવવાની, તમે જાતે આવો. હવે તમારી તબિયત સારી થઇ છે ને હૈડતા થયા છો. આમ લોકો જોડે વાતો કરો છો, હરોફરો છો, બીડી પીવો છો અને ઉપરથી ટાઇમ થાય ત્યારે થાળી માગો છો. હું નથી આવવાની ! ત્યારે આપણે ધીમે રહીને કહીએ, ‘તમે નીચે થાળીમાં કાઢો, હું આવું છું.” એ કહે, ‘નથી આવવાની.” તે પહેલાં જ આપણે કહીએ કે, હું આવું છું, મારી ભૂલ થઇ ગઇ લો. આવું કરીએ તો કંઈ રાત સારી જાય, નહીં તો રાત બગડે. પેલા ડચકારા મારતા તહીં સૂઇ ગયા હોય ને આ બઇ અહીં ડચકારા મારતાં હોય. બેઉને ઊંઘ આવે નહીં. સવારે પાછાં ચાપાણી થાય તે ચાનો પ્યાલો ખખડાવીને મુકી ડચકારો મારે કે ના મારે ? તે આ બઇએ ય તરત સમજી જાય કે ડચકારો માર્યો. આ કકળાટનું જીવન છે. આખા વર્લ્ડમાં આ હિન્દુઓ ગાળે છે જીવન ક્લેશમાં. ક્લેશ વગરનું ઘર, મંદિર જેવું ! જ્યાં ક્લેશ હોય ત્યાં ભગવાનનો વાસ રહે નહીં. એટલે આપણે ભગવાનને કહીએ, “સાહેબ તમે મંદિરમાં રહેજો, મારે ઘેર આવશો નહીં ! અમે મંદિર વધારે બંધાવીશું, પણ ઘેર આવશો નહીં !' જ્યાં ક્લેશ ન હોય ત્યાં ભગવાનનો વાસ નક્કી છે, એની તમને હું ‘ગેરેન્ટી' આપું છું. અને ક્લેશ તો બુદ્ધિ અને સમજણથી ભાંગી શકે એમ છે. મતભેદ ટળે એટલી જાગૃતિ તો પ્રકૃતિ ગુણથી પણ આવી શકે છે, એટલી બુદ્ધિ પણ આવી શકે તેમ છે. જાણ્યું તેનું નામ કે કોઇની જોડે મતભેદ ના પડે. મતિ પહોંચતી નથી તેથી મતભેદ થાય છે. મતિ ફુલ પહોંચે તો મતભેદ ના થાય. મતભેદ એ અથડામણ છે, ‘વિકનેસ' છે. કંઇક ભાંજગડ થઇ ગઇ હોય તો તમે થોડી વાર ચિત્તને સ્થિર કરો અને વિચારો તો તમને સૂઝ પડશે. ક્લેશ થયો એટલે ભગવાન જતા રહે કે ના જતા રહે ? પ્રશ્નકર્તા : જતા રહે. દાદાશ્રી : ભગવાન અમુક માણસોને ત્યાંથી જતા જ નથી, પણ ક્લેશ થાય ત્યારે કહે, “ચાલો અહીંથી, આપણને અહીં નહીં ફાવે.’ આ કકળાટમાં મને નહીં ફાવે. એટલે દેરાસરમાં ને મંદિરમાં જાય. આ મંદિરમાં ય પાછો ક્લેશ કરે. મુગટ, દાગીના લઇ જાય ત્યારે ભગવાન કહેશે કે અહીંથી પણ હેંડો હવે. તે ભગવાને ય કંટાળી ગયા છે. અંગ્રેજોના વખતમાં કહેતા હતા ને કે – ‘દેવ ગયા ડુંગરે, પીર ગયા મર્કે. અંગ્રેજોના રાજમાં ઢેડ મારે ધક્કે.” આપણા ઘરમાં ક્લેશરહિત જીવન જીવવું જોઇએ, એટલી તો આપણને આવડત આવડવી જોઇએ. બીજું કંઈ નહીં આવડે તો તેને આપણે સમજણ પાડવી કે, ‘ક્લેશ થશે તો આપણા ઘરમાંથી ભગવાન જતા રહેશે. માટે તું નક્કી કર કે અમારે ક્લેશ નથી કરવો.’ ને આપણે નક્કી કરવું કે ક્લેશ નથી કરવો. નક્કી કર્યા પછી ક્લેશ થઇ જાય તો
SR No.008856
Book TitleKlesh Vina nu Jivan
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2004
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size483 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy