________________
ક્લેશ વિનાનું જીવન
કરવાનું ? એને ભગવાનની પાસે બેસી રહેવાનું. ઘરમાં તમારું ચલણ ચલાવવા જાવ તો અથડામણ થાય ને ? આપણે તો હવે સમભાવે નિકાલ’ કરવાનો. ઘરમાં ‘વાઇફ’ જોડે ‘ફ્રેન્ડ’ તરીકે રહેવાનું . એ તમારા ‘ફ્રેન્ડ’ ને તમે એમના ‘ફ્રેન્ડ’ ! અને અહીં કોઇ નોંધ કરતું નથી કે ચલણ તારું હતું કે એમનું હતું ! મ્યુનિસિપાલીટીમાં નોંધ થતી નથી ને ભગવાનને ત્યાં ય નોંધ થતી નથી. આપણે નાસ્તા સાથે કામ છે કે ચલણ સાથે કામ છે ? માટે કયે રસ્તે નાસ્તો સારો મળે એની તપાસ કરો. જો
૫૭
મ્યુનિસિપાલિટીવાળા નોંધ રાખતા હોત કે કોનું ચલણ ઘરમાં છે તો હું ય એડજસ્ટ ના થાત. આ તો કોઇ બાપો ય નોંધ કરતું નથી !
આપણા પગ ફાટતા હોય ને બીબી પગ દબાવતી હોય ને તે વખતે કોઇ આવે ને આ જોઇને કહે કે, ‘ઓહોહો ! તમારુ તો ઘરમાં ચલણ બહુ સરસ છે.’ ત્યારે આપણે કહીએ કે, ‘ના, ચલણ એનું જ ચાલે છે.’ અને જો તમે એમ કહ્યું કે ‘હા, અમારું જ ચલણ છે તો પેલી પગ દબાવવાનો છોડી દેશે. એના કરતાં આપણે કહીએ, ના, એનું જ ચલણ છે.'
પ્રશ્નકર્તા : એને માખણ લગાવ્યું ના કહેવાય ?
દાદાશ્રી : ના, એને સ્ટ્રેઇટ વે કહેવાય; અને પેલા વાંકાચૂંકા રસ્તા કહેવાય. આ દુષમકાળમાં સુખી થવાનો આ હું કહું છું તે જુદો રસ્તો છે. હું આ કાળ માટે કહું છું. આપણે આપણો નાસ્તો શું કરવા બગાડીએ ? સવારમાં નાસ્તો બગડે, બપોરે નાસ્તો બગડે, આખો દહાડો બગડે !!
‘રીએકશતરી' પ્રયત્નો ત જ કરાય !
પ્રશ્નકર્તા : બપોરે પાછું સવારની અથડામણ ભૂલીયે જઇએ ને સાંજે પાછું નવું થાય.
દાદાશ્રી : એ અમે જાણીએ છીએ, અથડામણ કઇ શક્તિથી થાય છે. એ અવળું બોલે છે તેમાં કઇ શક્તિ કામ કરી રહી છે. બોલીને પાછા ‘એડજસ્ટ’ થઇએ છીએ, એ બધું જ્ઞાનથી સમજાય તેમ છે છતાં એડજસ્ટ થવાનું જગતમાં. કારણ કે દરેક વસ્તુ ‘એન્ડવાળી’ હોય છે. અને વખતે એ લાંબા કાળ સુધી ચાલે તો ય તમે તેને ‘હેલ્પ' નથી કરતા, વધારે
ક્લેશ વિનાનું જીવન
નુકસાન કરો છો. તમારી જાતને નુકસાન કરો છો ને સામાનું નુકસાન થાય છે ! એને કોણ સુધારી શકે ? જે સુધરેલો હોય તે જ સુધારી શકે. પોતાનું જ ઠેકાણું ના હોય તે સામાને શી રીતે સુધારી શકે ?
પ્રશ્નકર્તા : આપણે સુધરેલા હોય તો સુધારી શકીએ ને ? દાદાશ્રી : હા, સુધારી શકીએ.
પ્રશ્નકર્તા : સુધરેલાની વ્યાખ્યા ?
દાદાશ્રી : સામા માણસને તમે વઢો તો ય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો આપો તો ય એને તમારામાં પ્રેમ દેખાય કે ઓહોહો ! મારા ફાધરનો મારા પર કેટલો બધો પ્રેમ છે ! ઠપકો આપો, પણ પ્રેમથી આપો તો સુધરે. આ કોલેજોમાં જો પ્રોફેસરો ઠપકો આપવા જાય તો પ્રોફેસરોને બધા મારે !
૫૮
સામો સુધરે એ માટે આપણા પ્રયત્નો રહેવા જોઇએ, પણ જે પ્રયત્નો ‘રીએકશનરી’ હોય એવા પ્રયત્નોમાં ના પડવું. આપણે એને ટૈડકાવીએ ને એને ખરાબ લાગે એ પ્રયત્ન ના કહેવાય. પ્રયત્ન અંદર કરવા જોઇએ, સૂક્ષ્મ રીતે ! સ્થૂળ રીતે જો આપણને ના ફાવતું હોય તો સૂક્ષ્મ રીતે પ્રયત્નો કરવા જોઇએ. વધારે ઠપકો ના આપવો હોય તો થોડાકમાં કહી દેવું જોઇએ કે, ‘આપણને આ શોભે નહીં.’ બસ આટલું જ કહીને બંધ રાખવું. કહેવું તો પડે પણ કહેવાની રીત હોય.
... નહીં તો પ્રાર્થનાનું ‘એડજસ્ટમેન્ટ’ !
પ્રશ્નકર્તા : સામાને સમજાવવા મેં મારો પુરુષાર્થ કર્યો, પછી એ સમજે ના સમજે એ એનો પુરુષાર્થ ?
દાદાશ્રી : આટલી જ જવાબદારી આપણી છે કે આપણે એને સમજાવી શકીએ. પછી એ ના સમજે તો એનો ઉપાય નથી. પછી આપણે એટલું કહેવું કે, ‘દાદા ભગવાન ! આને સત્બુદ્ધિ આપજો.' આટલું કહેવું પડે. કંઇ એને અદ્ધર ના લટકાવાય, ગપ્પુ નથી. આ ‘દાદા’નું ‘એડજસ્ટમેન્ટ’નું વિજ્ઞાન છે, અજાયબ ‘એડજસ્ટમેન્ટ’ છે આ. અને જ્યાં ‘એડજસ્ટ’ નહીં થાય ત્યાં તેનો સ્વાદ તો આવતો જ રહેશે ને તમને ?