________________
ક્લેશ વિનાનું જીવન
ક્લેશ વિનાનું જીવન ઘમસાણ ચાલતું હોય તેનું શું થાય ? દાદાશ્રી : એ કામનું નહીં. મૌન તો પહેલામાં પહેલું મનનું જોઇએ.
ઉત્તમ તો, ‘એડજસ્ટ એવરીવ્હેર'! પ્રશ્નકર્તા : જીવનમાં સ્વભાવ નથી મળતા તેથી અથડામણ થાય છેને ?
દાદાશ્રી : અથડામણ થાય તેનું જ નામ સંસાર છે ! પ્રશ્નકર્તા : અથડામણ થવાનું કારણ શું ? દાદાશ્રી : અજ્ઞાનતા.
પ્રશ્નકર્તા : એકલું શેઠ જોડે જ અથડામણ થાય એવું નથી, બધાં જોડે થાય છે, તેનું શું ?
દાદાશ્રી : હા, બધા જોડે ય થાય. અરે, આ ભીંત જોડે ય થાય. પ્રશ્નકર્તા : એનો રસ્તો શું હશે ?
દાદાશ્રી : અમે બતાવીએ છીએ પછી ભીંત જોડે પણ અથડામણ ના થાય. આ ભીંત જોડે અથડાય તેમાં કોનો દોષ ? જેને વાગ્યું તેનો દોષ. એમાં ભીંતને શું ! ચીકણી માટી આવે ને તમે લપસ્યા એમાં ભૂલ તમારી છે. ચીકણી માટી તો નિમિત્ત છે. તમારે નિમિત્તને સમજીને મહીં આંગળા ખોસી દેવા પડે. ચીકણી માટી તો હોય જ, ને લપસાવવું એ તો એનો સ્વભાવ જ છે.
પ્રશ્નકર્તા : પણ કંકાસ ઊભા થવાનું કારણ શું? સ્વભાવ ના મળે તેથી ?
દાદાશ્રી : અજ્ઞાનતા છે તેથી. સંસાર તેનું નામ કે કોઇ-કોઇના સ્વભાવ મળે જ નહીં. આ ‘જ્ઞાન મળે તેનો એક જ રસ્તો છે. ‘એડજસ્ટ એવરીવ્હેર’ ! કોઇ તને મારે તો ય તારે તેને “એડજસ્ટ' થઈ જવાનું.
પ્રશ્નકર્તા : વાઇફ જોડે ઘણીવાર અથડામણ થઈ જાય છે. મને કંટાળો ય આવે છે.
દાદાશ્રી : કંટાળો આવે એટલું જ નહીં, પણ કેટલાંક તો દરિયામાં પડતું નાખે, બ્રાંડી પીને આવે.
મોટામાં મોટું દુ:ખ શેનું છે ? ‘ડિસએડજસ્ટમેન્ટ’નું, ત્યાં “એડજસ્ટ એવરીવ્હેર’નું કરે તો શું વાંધો છે.
પ્રશ્નકર્તા : એમાં તો પુરુષાર્થ જોઇએ.
દાદાશ્રી : કશો પુરુષાર્થ નહીં. મારી આજ્ઞા પાળવાની કે ‘દાદા' એ કહ્યું છે કે “એડજસ્ટ એવરીવ્હેર.' તે એડજસ્ટ થયા કરે. બીબી કહે કે, ‘તમે ચોર છો.’ તો કહેવું કે, “યુ આર કરેક્ટ.’ અને થોડીવાર પછી એ કહે કે, “ના, તમે ચોરી નથી કરી.” તો ય ‘યુ આર કરેક્ટ.' કહીએ.
એવું છે બ્રહ્માનો એક દિવસ, એટલી આપણી આખી જિંદગી ! બ્રહ્માનો એક દહાડો જીવવું ને આ શી ધાંધલ ? વખતે આપણને બ્રહ્માના સો વર્ષ જીવવાનું હોય તો તો આપણે જાણીએ કે ઠીક છે, એડજસ્ટ શા માટે થઇએ ? ‘દાવો માંડ’ કહીએ. પણ આ તો જલદી પતાવવું હોય તેને શું કરવું પડે ? “એડજસ્ટ’ થઇએ કે દાવો માંડો કહીએ ? પણ આ તો એક દહાડો જ છે, આ તો જલદી પતાવવાનું છે. જે કામ જલદી પતાવવું હોય તેને શું કરવું પડે ? ‘એડજસ્ટ’ થઇને ટૂંકાવી દેવું, નહીં તો લંબાયા કરે કે ના લંબાયા કરે ?
બીબી જોડે લઢે તો રાત્રે ઊંઘ આવે ખરી ? અને સવારે નાસ્તો ય સારો ના મળે.
અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ ! વ્યવહારમાં કેમ કરીને રહેવું તે ય આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય તે ય આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે.
- ઘરમાં ચલણ છોડવું તો પડે છે ?
ઘરમાં આપણે આપણું ચલણ ન રાખવું, જે માણસ ચલણ રાખે તેને ભટકવું પડે. અમે ય હીરાબાને કહી દીધેલું કે અમે નાચલણી નાણું છીએ. અમને ભટકવાનું પોષાય નહીં ને ! નાચલણી નાણું હોય તેને શું