________________
ક્લેશ વિનાનું જીવન
ક્લેશ વિનાનું જીવન
સામાને જોવાનું છે. તમારે સામાનું હિતાહિત જોવું, પણ તમે હિત જોનારામાં, તમારામાં શક્તિ શી છે? તમે તમારું જ હિત જોઇ શકતા નથી, તે બીજાનું હિત શું જુઓ છો ? સહુ સહુના ગજા પ્રમાણે હિત જુએ છે, એટલું હિત જોવું જોઇએ. પણ સામાના હિતની ખાતર અથડામણ ઊભી થાય એવું હોવું ના જોઇએ.
પ્રશ્નકર્તા : સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર હોય તો એનું શું કરવું ?
દાદાશ્રી : પરિણામ ગમે તે આવે, આપણે તો ‘સામાનું સમાધાન કરવું છે એટલું નક્કી રાખવું. ‘સમભાવે નિકાલ” કરવાનું નક્કી કરો, પછી નિકાલ થાય કે ના થાય તે પહેલેથી જોવાનું નહીં. અને નિકાલ થશે ! આજે નહીં તો બીજે દહાડે થશે, ત્રીજે દહાડે થશે. ચીકણું હોય તો બે વર્ષે, ત્રણ વર્ષ કે પાંચ વર્ષે ય થશે. વાઇફના ઋણાનુબંધ બહુ ચીકણાં હોય, છોકરાંઓના ચીકણા હોય, માબાપના ચીકણાં હોય ત્યાં જરાક વધુ સમય લાગે. આ બધા આપણી જોડે ને જોડે જ હોય, ત્યાં નિકાલ ધીમે ધીમે થાય. પણ આપણે નક્કી કર્યું છે કે જ્યારે ત્યારે ‘આપણે સમભાવે નિકાલ કરવો છે” એટલે એક દહાડો એ નિકાલ થઇ રહેશે, એનો અંત આવશે. જ્યાં ચીકણા ઋણાનુબંધ હોય ત્યાં બહુ જાગૃતિ રાખવી પડે, આવડો અમથો સાપ હોય પણ ચેતતા ને ચેતતા રહેવું પડે. અને બેફામ રહીએ, અજાગ્રત રહીએ તો સમાધાન થાય નહીં. સામી વ્યક્તિ બોલી જાય ને આપણે પણ બોલી જઇએ, બોલી જવાનોય વાંધો નથી, પણ બોલી જવાની પાછળ આપણે “સમભાવે નિકાલ” કરવો છે એવો નિશ્ચય રહેલો છે, તેથી વૈષ રહેતો નથી. બોલી જવું એ પુદ્ગલનું છે અને દ્વેષ રહેવો, એની પાછળ પોતાનો ટેકો રહે છે. માટે આપણે તો ‘સમભાવે નિકાલ કરવો છે એમ નક્કી કરી કામ કર્યું જાવ, હિસાબ ચૂકતે થઇ જ જશે. ને આજે માંગનારને ના અપાયું તો કાલે અપાશે, હોળી પર અપાશે, નહીં તો દિવાળી પર અપાશે. પણ માંગનારો લઇ જ જશે.
આ જગત ચૂકતે કર્યા પછી નનામીમાં જાય છે. આ ભવના તો ચૂકતે કરી નાખે છે જે ગમે તે રસ્તે, પછી નવાં બાંધ્યાં તે જુદાં. હવે
આપણે નવા બાંધીએ નહીં ને જૂનાં આ ભવમાં ચૂકતે થઇ જ જવાનાં. બધો હિસાબ ચૂકતે થયો એટલે ભઇ ચાલ્યા નનામી લઇને ! જ્યાં કંઈ પણ ચોપડામાં બાકી રહ્યું હોય ત્યાં થોડા દહાડા વધારે રહેવું પડે. આ ભવનું આ દેહના આધારે બધું ચૂકતે જ થઇ જાય. પછી અહીં જેટલી ગૂંચો પાડી હોય તે જોડે લઇ જાય ને ફરી પાછો નવો હિસાબ શરૂ થાય.
. માટે અથડામણ ટાળો ! માટે જ્યાં હો ત્યાંથી અથડામણને ટાળો. આ અથડામણો કરી આ લોકનું તો બગાડે છે, પણ પરલોક હઉ બગાડે છે ! જે આ લોકનું બગાડે તો પરલોકનું બગાડ્યા વગર રહે નહીં ! આ લોક સુધરે તેનો પરલોક સુધરે. આ ભવમાં આપણને કોઈ પણ જાતની અડચણ ના આવી તો જાણવું કે પરભવે પણ અડચણ છે જ નહીં અને અહીં અડચણ ઊભી કરી તો તે બધી ત્યાં જ આવવાની છે.
પ્રશ્નકર્તા : અથડામણમાં અથડામણ કરીએ તો શું થાય ?
દાદાશ્રી : માથું ફૂટી જાય ! એક માણસ મને સંસાર પાર કરવાનો રસ્તો પૂછતો હતો. તેને મે કહ્યું કે, “અથડામણ ટાળજે.” મને પૂછયું કે, ‘અથડામણ એટલે શું ?” ત્યારે મેં કહ્યું કે “આપણે સીધા ચાલતા હોઇએ ને વચમાં થાંભલો આવે તો આપણે ફરીને જવું કે થાંભલાને અથડાવવું ?” ત્યારે એ કહે, “ના. અથડાઇએ તો માથું તૂટી જાય.’
આ પથરો આમ વચ્ચે પડેલો હોય તો આપણે શું કરવું જોઇએ ? ફરીને જવું જોઇએ. આ ભેંસના ભાઇ રસ્તામાં વચ્ચે આવે તો શું કરો ? ભેંસના ભાઇને ઓળખો ને તમે ? એ આવતો હોય તો ફરીને જવું પડે, નહીં તો માથું મારે તો તોડી નાખે બધું. તેવું માણસો ય કોઇક એવા આવતા હોય તો ફરીને જવું પડે. તેવું અથડામણનું છે. કોઈ માણસ વઢવા આવે, શબ્દો બોમ્બગોળા જેવા આવતા હોય ત્યારે આપણે જાણવું કે અથડામણ ટાળવાની છે. આપણા મન ઉપર અસર બિલકુલ હોય નહીં છતાં કંઈક અસર ઓચિંતી થઇ, ત્યારે આપણે જાણીએ કે સામાના મનની અસર આપણા પર પડી; એટલે આપણે ખસી જવું. એ બધી અથડામણો છે. એ જેમ જેમ સમજતા જશો તેમ તેમ અથડામણને ટાળતા જશો,