________________
હું કોણ છું?
દાદાશ્રી : “My ઈગોઈઝમ” બોલશો તો એટલું જુદું પાડી શકશો. પણ તેથી આગળ જે છે, એમાં તમારો ભાગ શું છે તે તમે જાણતા નથી. એટલે પછી પૂરેપૂરું સેપરેશન થાય નહીં. તમારું અમુક જ હદ સુધી જાણો. તમે સ્થૂળ વસ્તુ જ જાણો છો, સૂક્ષ્મમાં જાણતા જ નથી. આ તો સૂક્ષ્મ બાદ કરવાનું, એ પછી સૂક્ષ્મતર બાદ કરવાનું, પછી સૂક્ષ્મતમ બાદ કરવાનું એ જ્ઞાની પુરુષનું જ કામ.
પણ એક એક સ્પેરપાર્ટસ બધા બાદ કરતાં કરતાં જઈએ તો I ને My એ બે જુદું થઈ શકે ખરું ને ? 1 My બે જુદા પાડતાં છેવટે શું રહે ? Myને બાજુએ મૂકો, તો છેવટે શું રહ્યું ?
પ્રશ્નકર્તા : 1. દાદાશ્રી : તે 1 એ જ તમે છો ! બસ, તે 1 ને રીયલાઈઝ કરવાનું
હું કોણ છું ? જુદો છું આનાથી. એટલે જ્ઞાની પુરુષની પાસે, એમના ટચમાં રહીએ તો એ ભેદજ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને પછી આપણને જુદું પડી જાય.
'I અને My’ ના ભેદ પાડે તો બહુ સહેલું છે ને આ ? મેં આ રીત બતાવી તે રીતે અધ્યાત્મ સહેલું છે કે અઘરું છે ? નહીં તો આ કાળના જીવોનો તો શાસ્ત્રો વાંચી વાંચીને દમ નીકળી જાય.
પ્રશ્નકર્તા : તમારા જેવાની જરૂર ખરી ને, સમજવા માટે તો ?
દાદાશ્રી : હા, જરૂર ખરી. પણ જ્ઞાની પુરુષ તો બહુ હોય નહીં ને ! પણ કો'ક કાળે હોય. ત્યારે કામ કાઢી લેવાનું આપણે. જ્ઞાની પુરુષનું સેપરેટર લઈ જવું એકાદ કલાકને માટે, એનું ભાડું-બાડું ના હોય ! તેનાથી સેપરેટ કરી લાવો. એટલે 1 છૂટો થઈ જાય, નહીં તો ના થાય ને !Iછૂટું થઈ ગયું એટલે બધું કામ થઈ જાય. આ બધાં શાસ્ત્રોનો સાર આટલો જ છે.
આત્મા થવું હોય તો “મારું” બધું સોંપી દેવું પડશે. જ્ઞાની પુરુષને My સોંપી દેશો તો 1 એકલું તમારી પાસે રહેશે. 1વિથ My, એનું નામ જીવાત્મા. ‘હું છું અને આ બધું મારું છે” એ જીવાત્મા દશા. અને “હું જ ને મારું ન્હોય” એ પરમાત્મ દશા. એટલે Myને લઈને આ મોક્ષ નથી થતો. ‘હું કોણ છું' નું ભાન થાય તો My છૂટી જાય. My જો છૂટ્યું તો બધું છૂટ્યું. - My ઈઝ રિલેટીવ ડિપાર્ટમેન્ટ એન્ડ I ઈઝ રીયલ. એટલે 1 ટેમ્પરરી હોય નહીં, 1 ઈઝ પરમેન્ટ. My ઈઝ ટેમ્પરરી. એટલે આમાં તમારે I ખોળી કાઢવાનો છે.
પ્રશ્નકર્તા : તો સેપરેટ કરીને એમ જાણવાનું છે કે જે બાકી રહ્યું
દાદાશ્રી : હા, સેપરેટ કરીને જે બાકી રહ્યું તે તમે પોતે છો. I એ તમે પોતે જ છો. એની તપાસ તો કરવી પડશે ને ? એટલે આ સહેલો રસ્તો છે ને, I અને My જુદાં કરે તો ?
પ્રશ્નકર્તા : આમ તો સહેલો રસ્તો છે, પણ પેલું સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ જુદું થાય તો ખરું ને ? એ જ્ઞાની વગર ના બને ને ?
દાદાશ્રી : હા, તે જ્ઞાની પુરુષ દેખાડી દે. તો તેથી અમે કહીએ છીએ ને, સેપરેટ I એન્ડ My વિથ જ્ઞાનીઝ સેપરેટર. એ સેપરેટરને શાસ્ત્રકારો શું કહે છે ? ભેદજ્ઞાન કહે છે. ભેદજ્ઞાન વગર તમે શી રીતે બાદ કરશો ? કઈ કઈ ચીજ તમારી છે અને કઈ કઈ તમારી નથી, એ બેનું તમને ભેદજ્ઞાન નથી. ભેદજ્ઞાન એટલે “મારું” બધું આ છે અને “હું”
(૪) જગતમાં ઉપરી કોણ ?
જ્ઞાતી જ ઓળખાવે “હું'તે ! પ્રશ્નકર્તા: “હું કોણ છું' એ જાણવાની જે વાત છે, તે આ સંસારમાં