________________
ગુરુ-શિષ્ય
દાદાશ્રી : બરોબર છે. પૂછીને ચોક્કસ કર્યું હોય તો સારું. દરેક વસ્તુ પૂછીને ચોક્કસ કરીએ.
એટલે આપણે એમને તરછોડ ના મારવી. જેને ગુરુ કર્યા હોય, તેને તરછોડ મારીએ એ ભયંકર ગુનો કહેવાય. એની પાસે કંઈકે ય લીધું હતું ને, આપણે ? કંઈક હેલ્પ થઈ હશે ને ? એણે તમને એકાદ પગથિયું તો ચઢાવ્યા હશે, માટે તમારે એનો ઉપકાર માનવાનો. એટલે અત્યાર સુધી પામ્યા, તેનો ઉપકાર તો ખરો ને ! કંઈક આપણને લાભ કર્યો, તે ભૂલાય નહીં ને ! એટલે ગુરુને છોડી દેવાના ના હોય. દર્શન એમનાં કરવાનાં. અને છોડીએ તો તો એમને દુઃખ થાય. એ તો આપણો ગુનો કહેવાય. તમારો ઉપકાર મારી ઉપર હોય અને હું તમને છોડી દઉં, તો ગુનો કહેવાય. એટલે છોડાય નહીં, કાયમ ઉપકાર રાખવો જ જોઈએ. એક આટલો ય ઉપકાર કર્યો હોય ને ભૂલે એ માણસ ખરો કહેવાય નહીં.
એટલે ગુરુ ભલે રહ્યા. ગુરુને રહેવા દેવાના. ગુરુને ખસેડવાના નહીં. કોઈ પણ ગુરુ હોય તો એને ખસેડવા જવું નહીં. આ દુનિયામાં ખસેડવા જેવું કશું નથી. ખસેડવા જાવ તો તમે જેના આધારે ચાલતા હતા એનાં તમે વિરોધી થયા કહેવાઓ. વિરોધી કંઈ થવાની જરૂર નથી.
શિષ્યની દ્રષ્ટિએ... પ્રશ્નકર્તા : તો કેવા ગુરુને શરણે ગયા હોય તો આત્મ ઉન્નતિ શક્ય
૭૪
ગુરુ-શિષ્ય પડે એવો ભાવ જોઈએ. વિરહ લાગવો જોઈએ.
ગુરુનું જ્ઞાન જેટલું કાચું એટલો ટાઈમ પેલા શિષ્યને વધારે લાગે. એકઝેક્ટ જ્ઞાન તરત ફળ જ આપી દે અને ભલે મને કેવળજ્ઞાન થતું અટક્યું છે, પણ ભેદ જ્ઞાન તો મારી પાસે આવી ગયું અને તે તરત ફળ આપે એવું છે.
ગુરુનો પ્રેમ - રાજીપો ! પ્રશ્નકર્તા: ગુરુ પ્રસન્ન થયેલા ક્યારે ગણાય ?
દાદાશ્રી : એ તો આપણે સંપૂર્ણ આજ્ઞામાં રહીએ તો પ્રસન્ન થાય. એ પ્રસન્ન થયેલા તો આપણને ખબર પડે, રાત-દિવસ પ્રેમમાં જ આપણને રાખે.
પ્રશ્નકર્તા : ગુરુ એક વખત પ્રસન્ન થાય એટલે આમ અમુક વર્તન જોઈને, પછી આપણાં વર્તનમાં કદાચ ખામી આવે, તો પાછળ નારાજ પણ થઈ શકે ને !
દાદાશ્રી : ગુરુ એટલે ક્યારેય પણ આખી જિંદગી સુધી આપણું મન બગડે નહીં, એવાં હોવા જોઈએ. જ્યારે જુએ ત્યારે મનને ઉલ્લાસ જ રહ્યા કરે. એવા ગુરુ જો મળે તો એમને શરણે જજે.
પ્રશ્નકર્તા : આપણને ખરાબ વિચાર આવે ને તરત આપણે ભાવના ફેરવી દઈએ. પણ આમાં ગુરુકૃપા આપણને કેટલે અંશે મદદરૂપ થાય ?
દાદાશ્રી : ગુરુકૃપાથી તો ઘણી મદદ થાય. પણ એવી આપણી ભાવના, પ્રેમ એવો જોઈએ. જેના વગર આપણને ગમે નહીં, ચેન ના
દાદાશ્રી : એવું છે ને, પ્રસન્ન કોનું નામ કહેવાય કે નારાજ જ ક્યારેય ન થાય. પેલા તો ભૂલ કર્યા જ કરે, એ નારાજ ના થાય.
અનોખી ગુરુદક્ષિણા ! પ્રશ્નકર્તા : આધ્યાત્મિક ગુરુ નિઃસ્પૃહી હોય તો તેને ગુરુદક્ષિણા કઈ રીતે આપી શકાય ?
દાદાશ્રી : એની આજ્ઞા પાળવાથી. એની આજ્ઞા જો પાળીએ ને તો એને ગુરુદક્ષિણા પહોંચી જાય. આ અમે પાંચ આજ્ઞા આપીએ છીએ, તે પાળે એટલે અમારી દક્ષિણા પહોંચી ગઈ.
પ્રશ્નકર્તા : વિદ્યાગુરુ નિઃસ્પૃહી હોય તો તેને ગુરુદક્ષિણા કઈ રીતે ચૂકવી શકાય ?
દાદાશ્રી : વિદ્યાગુરુ નિસ્પૃહી હોય તો એની સેવા કરીને, શારીરિક