________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨ ૧૩ તો હમણે બંધ રાખવાની. જયારે એડમીશન લેવા જેવું થાય ત્યારે કરવાની.
અમારી હાજરીમાં જરા ય એ ઊંઘ ના આવે કોઈને. ખામી નહીં આવવી જોઈએ બધી. વિનય નિરંતર રહેવો જોઈએ. આખો દહાડો મારી હાજરીમાં આંખ મિંચાય એ ચાલે નહીં અને અપવિત્રતા તો બિલકુલ ચાલે નહીં, અહીં બિલકુલ પવિત્ર પુરુષોનું કામ. પવિત્રતા હોય તો ત્યાં ભગવાન આઘાપાછા થાય નહીં !
મેં બધાને કહ્યું છે, ભઈ આવું પોલ તો ના ચાલે. એ અનિશ્ચય છે, આ આપ્તપુત્રો પૈણ્યા નથી પણ નિશ્ચય છે એટલે વર્તન બગડવા નહીં દેવાનું. એકેએકે બોલો જોઈએ, દ્રઢતાથી કોણ પાળશે ? એકેએકે બોલો ઊભા થઈને બોલોને !
[૧૧] સેફસાઈડ સુધીની વાડ.
વર્તન બગડે, તેને તો ડિસમિસ કરજો. કરાર લખીને મને આપ્યા. ના ચાલે અપવિત્રતા, ભૂંડ જેવું વ્યવહાર ! ભૂંડ ને આમાં ફેર શું રહ્યો તે ?! જો પવિત્ર માણસો તૈયાર થયા છે, જગતનું કલ્યાણ કરશે !
જરૂરિસ્યાતો બ્રહ્મચર્યતા સાધકતી.... તને બ્રહ્મચર્ય માટે પણ તાવી જોતાં આવડે ખરું ? એ તાવી જોતાં આવડે તો કામનું ! બધી રીતે તાવી જોવું જોઈએ !
પ્રશ્નકર્તા ઃ આમાં મને પોતાને એવું લાગે છે કે, મારો પુરુષાર્થ બહુ મંદ છે.
દાદાશ્રી : એ તો ત્યાં આગળ બધા જોડે રહેશેને, તે જો જો પુરુષાર્થનો જોગ !! પછી સ્ત્રી તો દીઠી ગમે નહીં. કારણ કે સત્સંગમાં રહેને એ તો બધા. પછી વિચારો એ બાજુ આવે નહીં !
પ્રશ્નકર્તા : એ સંગની બહુ અસર પડે.
દાદાશ્રી : પછી બહુ સહેલું પડે. અત્યારે તો સંજોગો નથી ને ? તે આ બધા વિપરીત સંજોગો, કુસંગના અને પોતાને આજ્ઞા પાળવાની શક્તિ નથી બરોબર, દાદાની આજ્ઞા પાળો તો કશું નડે નહીં. એ તો આનો ઉપાય, ત્યાં બધા જોડે રહેશે ત્યારે જ થાય. એનો બીજો કોઈ ઉપાય નથી.