SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ગતિસહાયક તત્ત્વ - સ્થિતિસહાયક તત્ત્વ ! પ૩ ૫૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) જેટલું અખંડ છે, એટલે જ્યાં આગળ તમારે કામ જોઈએ, ત્યાં આગળથી મળી રહે એ તમને. હવે જ્યારે ગતિ કરનારું તત્ત્વ છે. ત્યારે એવું સ્થિર કરનારું તત્ત્વ પણ અખંડ જ છે. તે પણ અવિનાશી છે. આ પ્રમાણે બધાના સ્વભાવ છે પાછા. એ બધા પોતપોતાના ગુણધર્મના આધારે હોય છે. આ જડ અને ચેતન સનાતન તત્ત્વો છે. એટલે અહીંથી એને ગતિ કરવી હોય તો એને ગતિ કરાવનારું સનાતન તત્ત્વ હોવું જોઈએ તો દહાડો વળે. પ્રશ્નકર્તા : પુદ્ગલને અને આત્માને એક જ ગતિસહાયક તત્ત્વ ગતિ આપે છે ? દાદાશ્રી : હા, એક જ તત્ત્વ. ગતિ આપનારી શક્તિ એ અનાદિ શક્તિ છે, અવિનાશી છે, અનંત છે. તેને ત્રણેવ કાળ છે અને એ શક્તિ દરેક પરમાણુને ખસેડે છે. તે શક્તિ અણુની અંતર્ગત છે પણ પરમાણુની બહાર છે, આત્માની બહાર છે. તે શક્તિ પોતે કંઇ જ હલાવતી નથી પણ ખસેડવામાં હેલ્પ કરે છે. આ ગતિસહાયક તત્ત્વ છે. મોક્ષેય લઈ જાય ગતિસહાયક ! પ્રશ્નકર્તા: આ જીવને મરતી વખતે ઉપરથી વિમાન લઈ જાય, આત્માને ઉપર લઈ જવા માટે વિમાનની વાત કરે છે ને ? દાદાશ્રી : વિમાન તો આ બાળ લોકોને સમજાવવા માટે. એ તો ધર્માસ્તિકાય લઈ જાય છે. એટલે આ લોકોને ધર્માસ્તિકાય સમજાવાય નહીંને, તે આ વિમાન કહે. પ્રશ્નકર્તા ઃ તો એના થકી જ આપણે જે કંઈ કરવું છે, તે એમની મદદથી જ થઈ શકે. આપણે મોક્ષે જવું છે તો એ ગતિસહાયક અને સ્થિતિસહાયક તત્ત્વની મદદ કેવી રીતે લેવાની ? દાદાશ્રી : ઉપયોગ થઈ જ રહેવાનો. આ તમે ઘેરથી અહીં આવ્યા, એ તમારા ભાવ પૂર્વે કરેલા. અત્યારે તમે નવા કરતા નથી. પ્રશ્નકર્તા : અત્યારે મોક્ષે જવાના ભાવ કરીએ છીએને આપણે ? દાદાશ્રી : અત્યારે તમે ભાવ નથી કરતા. પ્રશ્નકર્તા : તો ? દાદાશ્રી : એ તો પૂર્વે કરેલા છે, એ ઉદયમાં આવ્યા. એટલે એ બધું ડિસ્ચાર્જ કર્મ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બેઉ ડિસ્ચાર્જ કર્મ છે. નવાં કર્મ બાંધે ત્યારે એ પાછાં નવેસરથી કરવાં પડે. એટલે સુધી કે ઠેઠ મોશે પહોંચાડતાં સુધી એ ડિસ્ચાર્જ. પ્રશનકર્તા : હું એ જ પૂછું છું કે મોક્ષે જવા માટે એ હેલ્પફૂલ ખરાં કે નહીં ? દાદાશ્રી : એ ઠેઠ મોશે પહોંચાડે ત્યારે એ ડિસ્ચાર્જ પૂરું થાય. પ્રશ્નકર્તા : મોક્ષે જવા માટે એનો કઈ રીતે ઉપયોગ કરવો ? દાદાશ્રી : આપણે ઉપયોગ નહીં કરવાનો, એ તો એ પોતે જ લઈ જાય. પ્રશ્નકર્તા : દાદા, એ જે તત્ત્વો છે એનો અમલ ઑટોમેટિક જ થાય છે ? દાદાશ્રી : એ ઑટોમેટિક જ. પ્રશ્નકર્તા : પણ ભાવ તો કરવો પડે ? દાદાશ્રી : ભાવ પહેલાં કરેલા, તેનું ફળ આવ્યું આ. નવું કરવાનું નહીં આપણે. ઠેઠ મોશે પહોંચાડે ત્યારે પછી એનું કાર્ય પૂરું થાય. પ્રશનકર્તા : જો આપણે ભાવ કરીએ તો ગતિસહાયક તત્ત્વ અને સ્થિતિસહાયક તત્ત્વ આપણને મદદ કરે ખરા હજી પણ ? દાદાશ્રી : હં.
SR No.008841
Book TitleAptavani 14 Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages243
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size135 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy