________________
વીતષ
૧૨૩
૧૨૪
પ્રશ્નકર્તા : દાદા, ઝીણવટથી ક્યાંથી વિચાર કરે ?!
દાદાશ્રી : શાસ્ત્રોમાં વાંચે. શાસ્ત્રો તો લખ્યા છે તે બધાને માટે ભેગાભેગી દવા મૂકી છે. જેને જે અનુકૂળ આવે એ દવા લેજો. ખોટાં બૈરી છોડીને નાસી જશો નહીં, જેને કર્મનો ઉદય હોય તે છોડજો. કર્મના ઉદય ના હોય તો તેવું. કર્મના ઉદયવાળાને અહીં આગળ સંસારી બનાવી એને તો નાસી જાય ત્રીજે દા'ડે નાસી જાય.
દ્વેષ જ પ્રથમ, પછી રણ ! પોતાની સ્ત્રી જોડે જરાય દ્વેષ ના થાય ને, તો સ્ત્રી પર રાગ જ ના થાય. એવો નિયમ છે. એટલે ના છૂટકે સ્ત્રી પર રાગ કરે છે બિચારો. આ તો દ્વેષ થાય છે, માટે એ ષ જ એને ધક્કો મારીને રાગમાં પાડી નાખે છે. જો કેષ ના થતો હોયને તો સ્ત્રી પર રાગ જ ના થાય. એ થોડાક જ વિચારથી સમજી જાય કે આ રાગ કરવા જેવી ચીજ જ હોય. ભરત રાજાને તેરસો રાણીઓ હતી, પણ રાગ થયો હશે પણ દ્વેષ નહીં થયો હોય એમને ! વીતદ્વેષ થયેલા હતા, ભરત રાજા !
આ તો એક સ્ત્રી પૈણી લાવ્યો અને કાળી હોય, ત્યારે બીજી કોઈ ગોરી સ્ત્રી હોય તો એની પર રાગ થાય જ. અરે, તારે વહુ છે ને ? ત્યારે કહે, પણ ગોરી નથી ને ! એટલે બિલકુલ ગોરી હોય જ નહીં તો રાગ થાય એને ?
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) બાળકો પૂર્વતા દ્વેષતા પરિણામે ! દ્વેષ ન હોય તારે બૈરાં-છોકરા જોડે, તો રાગ જ ઉત્પન્ન ના થાય.
પ્રશ્નકર્તા : એ કઈ રીતે ? ગમતી હોય એવી વસ્તુ, જેના ઉપર રાગ હોય, એના ઉપર દ્વેષ હોય ?
દાદાશ્રી : દ્વેષ જ હોય, ત્યારે જ રાગ થાયને ! દ્વેષ વગર રાગ ના થાય.
પ્રશ્નકર્તા: પહેલો દ્વેષ હોય એમ ?
દાદાશ્રી દ્વેષ વગર રાગ જ ના થાય. રાગમાંથી દ્વેષ ને દ્વેષમાંથી રાગ. છોકરાંને દવા પાઈએ તો આમ ફૂંક મારીને આપણાં આંખમાં નાખે
તો ?.
પ્રશ્નકર્તા તો હૈષ થાય.
દાદાશ્રી : તો દ્વેષ થાય. એટલે પહેલો દ્વેષ જાય તો પછી રાગ જતો રહે. અત્યારે તમારે દ્વેષ જતો રહ્યો છે. કોઈની ઉપર દ્વેષ ના થાય, પણ રાગ તો રહેવાનો. પણ તે નિકાલી રાગ. આ તો નિકાલી એ ય નહીં.
પ્રશ્નકર્તા : ન થાય.
પ્રશ્નકર્તા : મને દ્વેષમાંથી રાગ થાય એ હજી બરાબર ન બેઠું, કહે છે. બાળકને જોઈને પહેલો તો રાગ થાય છે આપણને.
દાદાશ્રી : જ્યાં દ્વેષ થયો હોય ત્યાં જ રાગ થાય, નહીં તો રાગ જ ના થાય.
પ્રશ્નકર્તા: પૂર્વભવનાં કોઈ કર્મને કારણે દ્વેષ થયો હોય ?
દાદાશ્રી : બસ, મૂળ દ્વેષનું જ કારણ છે. સ્ત્રીની જરૂર છે, આ ઈન્દ્રિયો એવી છે કે જ્યાં સુધી “જ્ઞાન” ના થાય તો એને સ્ત્રીની, બધી વસ્તુની જરૂર છે બધી.
પ્રશ્નકર્તા : જ્ઞાન થાય પછી જરૂર નથી ?
દાદાશ્રી : જ્ઞાન થયા પછી જરૂર નથી, એટલે સ્ત્રી એકલીનું વિષય વિકાર) અટકી જાય. બીજું બધું, ખોરાક તો જોઈએ ઠેઠ સુધી, દેહ જીવે છે ત્યાં સુધી.
દાદાશ્રી : તેનાં પરિણામે આ રોગ થાય છે. અને એની ઉપર બહુ જ દ્વેષ થયા કરતો હોય ને તે આ ફેરે છોકરાને ત્યાં છોકરો થઈને ખોળામાં રમવા આવે ને આપણે એને બચીઓ ભરે એ. અલ્યા મૂઆ, નહોતો ગમતો ને આ શું કામ બચીઓ ભરે છે ?