________________
વીતષ
૧૨૧
૧૨૨
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
તો હતો જ નહીં. આ કેરી રત્નાગીરીની ક્યારે જરૂર પડે ? પેલી મળતી હોય અને આ મળતી જ ના હોય તો ?
દાદાશ્રી : એટલે દ્વેષ જાય જ નહીં. એટલા માટે આ અમે વીતરાગ વિજ્ઞાન આપી અને તમને વીતષ બનાવ્યા.
પ્રશ્નકર્તા : ભૂખ તો લાગે દરરોજ, પછી વીતષ બન્યા કેવી રીતે કહેવાય ?
આ મનુષ્યોને જે હાજતો છે ને, એ બધી જ દૈષવાળી છે. રાગ પછી ઊભો થયેલો છે. પછી તો વેણાવેણ થયું કે આ આના કરતાં આ સારું, એનાં કરતાં આ સારું, એનાં કરતાં આ સારું, એના કરતાં આ સારું, પણ જ્યારે ભૂખ લાગી હોય ને તો સારું-ખોટું કહે છે એ ?
દાદાશ્રી : એ તો હજુ સાયન્સ તમે સમજશો ત્યારે તે દહાડે, હજુ તો સમજવાનું બાકી છે ને ? એ બધા સમજીને બેઠાં છે કે કોને ભૂખ લાગી ને કોને નહીં, એ બધું જાણે છે. કોને ભૂખ લાગી, એ બધું તમે બધાં જાણીને બેઠાં ને ? અને પેલાં તો એમ જ જાણે કે મને ભૂખ લાગી છે.
આ ભૂખ ના લાગતી હોત ને, તરસ ના લાગતી હોત, તો આ સાધુ ઉપાશ્રયમાંથી બહાર ના નીકળે. રાગ તો પછી ઊભો થયેલો છે. રાગ એટલે આ સારું ને આ ખોટું એ પછીનો ભાગ છે. મૂળ બધું અહીંથી જ ઊભું થયું છે. એ મૂળને જો પકડે, તો કામ જ નીકળી જાય ને ?
એટલે આ વીતદ્વેષ તમને કર્યા. તે વીતરાગ મારી જોડે બેસી બેસીને થઈ જવાનું. જેટલો વખત બેસાય એટલો વખત. જેનાંથી જેટલો લાભ લેવાય એટલો. અને એક અવતારી છે, બે અવતારી, ત્રણ અવતાર, પાંચ અવતાર, બહુ ત્યારે પંદર અવતાર થશે, પણ બીજી તો ખોટ નહીં જાય ને ? અને એનું સુખ વર્તતું હોયને આપણને ?
સુખ વર્તે ત્યારે અહીંયા આવેને બધા, રોજ ? છ-છ, સાત-સાત કલાક અહીં મુંબઈમાં કોણ આટલો સમય બગાડે ? કોઈ ચાર કલાક, કોઈ ત્રણ કલાક, કોઈ બે કલાક, કોઈ કોઈ સાત-આઠ કલાકનું. છ કલાકે ય આવનારા હશે ને અહીં ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે દ્વેષ તો આ જીવનમાં કોઈ પણ જે વિષયો છે ને, તે વિષયો દુ:ખ દે છે. એટલે દ્વેષ થાય છે એને. એટલે દ્વેષથી પ્રયત્ન કરીને, કોઈ એને હોલવવા પ્રયત્ન કરે છે. સારું-ખોટું પછી શીખ્યો કે આ કેરી રત્નાગીરીની છે ને આ એ છે. એ રાગ તો પછી ઘણાં કાળે શીખ્યો. રાગ
એ બધી છે અશાતા વેદનીય ! આપણને ભૂખ લાગી હોયને, એ ભૂખ હોય છે, તેને અશાતા વેદનીય કહેવાય છે. હવે અશાતા વેદનીય બહારનું કોઈ કરતું નથી. અશાતા વિદનીય એટલે આપણને મહીં દ્વેષ થયા કરે, અણગમો ઉત્પન્ન થાય અને વચ્ચે જે કોઈ આવ્યું એને દબડાવીએ. હવે અશાતા વેદનીય કુદરતી રીતે થાય છે, કોઈએ કર્યું નથી. દેહ ધર્યો તેનો દંડ છે. એટલે દ્વેષ ઉત્પન્ન થાય છે તેનો. આ બધી અશાતા વેદનીયથી તરસ લાગે છે. તેથી ‘લાગે છે' શબ્દ આવે છેને એ બધું અશાતા વેદનીય. તરસ લાગે છે એ, ભૂખ લાગે છે, ઊંઘ લાગે છે, થાક લાગે છે, લાગે છે, લાગે છે એટલે સળગે છે એ બધી અશાતા વેદનીય. ઊંઘેય લાગે છેને ?! એ બધી અશાતા વેદનીય, અને તેથી વૈષ ઊભો થાય છે. અને દ્વેષમાંથી પછી અશાતા વેદનીયને લઈને ખાવાનુંજમવાનું ખોળેને ! પછી જે હોય એ ખઈ લે. એને ટાઢું પાડવા માટે અને પછી પસંદ કરે એ રાગ ઉત્પન્નની શરુઆત થઈ. એટલે રાગ તો એકે એક આપણી પસંદગી છે કે આ કે આ કે આ. અને દ્વેષ તો ફરજિયાત છે. ભઈ, આ ખાધા વગર તો ચાલે જ નહીંને ! તો ઊંધ્યાં વગર ચાલે જ નહીં ! ઊંઘતા અટકાવે એની ઉપર શું થાય આપણને ? રાગ આવે કે દ્વેષ આવે ?
પ્રશ્નકર્તા એકદમ દ્વેષ આવે.
દાદાશ્રી : ભૂખ લાગી હોય ને અટકાવે શું થાય ? રાગ એટલે પોતાની મુન્સફી, પોતાનો સ્વતંત્ર છે. દ્વેષમાં સ્વતંત્ર છે જ નહીં. હવે આ તો શાસ્ત્ર વાંચે કે ઝીણવટથી વિચાર કરે ?