SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વીતદ્વેષ ૧૨૫ ૧૨૬ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદાશ્રી : આ રોજ ઘરમાં કકળાટ છે, એનું કારણ જ એ છે. રાગનું કારણ છે. એ અતિ થાય એટલે દ્વેષ થાય. રોજ રાગનું પરિણામ આ દ્વેષ આવે છે. રાગમાંથી દ્વેષ, દ્વેષમાંથી રણ ! ક્લેશનું કારણ દ્વેષ છે. બહુ રાગ થાય ત્યારે અણગમો ઉત્પન્ન થાય. અમુક હદ સુધીનો પરિચય રાગમાં પરિણમે છે અને ‘રીજ પોઈન્ટ’ આવે તે પછી આગળ વધે તો ષમાં પરિણમે. ઠેષ થાય છે તે વખતે જ રાગનાં કારણો સેવાય છે. અને આ બધાનાં મૂળમાં રાગ-દ્વેષ એ “ઈફેક્ટ' છે ને અજ્ઞાન એ “કોઝ' છે ! પ્રશ્નકર્તા : એક જગ્યાએ વાંચ્યું છે આપ્તવાણીમાં કે રાગથી દ્રષના બીજ પડે છે અને દ્વેષથી રાગના બીજ પડે છે એ જરા સમજાવો, એ કેવી રીતે બને ? દાદાશ્રી : કેમ ? નહીં તો શું લાગે છે તમને ? પ્રશ્નકર્તા: દ્વેષથી રાગ એ વાત સમજાય છે, પણ રાગથી ષ નથી સમજાતું. દાદાશ્રી : શું સમજાય છે, દ્વેષથી રાગમાં ? પ્રશ્નકર્તા: આપે એમ કહેલું કે આનું મોટું મારે જોવું નહીં અને એ પછી પુત્ર તરીકે પેદા થયો. દાદાશ્રી : ત્યાં બચીઓ કર્યા કરે. પ્રશ્નકર્તા: પણ એ દ્વેષથી રાગ ઊભો થયો એનો અર્થ એ થયોને ? દાદાશ્રી : બેઉ સામસામી જ છે. પેલું પેલું ઊભું કરે અને પેલું પેલું ઊભું કરે. વીતરાગને અડે નહીં. પ્રશ્નકર્તા : રાગથી શ્રેષ કેવી રીતે ઊભો થાય એ જરા સમજાવો. દાદાશ્રી : તમને બહુ રાગ હોયને તોય છે તે અતિ થાય એટલે દ્વેષ થાય. પ્રશ્નકર્તા : અતિ થાય એટલે દ્વેષ થાય એક સિદ્ધાંત થયો, પણ એ સિદ્ધાંતનો દાખલો આપીને સમજાવોને. પ્રશ્નકર્તા: એક સ્ત્રીને પોતાના ધણી પ્રત્યે બહુ જ રાગ હોય એટલે પછી એમાં તકરાર ઊભી થાય ? દાદાશ્રી : હા, પછી છે તે એ કંઈક બહાર ગયો ને ના અવાયું તો ચિઢાયા કરે. વીતરાગને કશું ના થાય. બધું રાગવાળાને ઝઘડા જ થયા કરે. પ્રશ્નકર્તા : બહુ રાગ હોય તો થાય એ વાત ખરી છે. દાદાશ્રી : ઓછો હોય તોય થાય, બળ્યું. પ્રશ્નકર્તા ઓછો હોય તો થોડોક થાય અને પેલું વધારે થાય. દાદાશ્રી : પણ થયા કરે ખરો. છોકરા ઉપર બહુ રાગ હતો, એકનો એક છોકરો, તે મુંબઈથી એના બાપા આવ્યા છ મહિને, એટલે છોકરો પપ્પાજી' કહેવા માંડ્યો એટલે એમણે ઊંચકી લીધો એકદમ ઊંચકીને જે દબાવ્યો, તે પેલો બહુ દબાઈ ગયો એટલે બચકું ભરી લીધું. અતિરેકથી બગડે બધું. બધું પ્રમાણ શીખી લેવું જોઈએ. સપ્રમાણ કરતાં કરતાં વીતરાગ થાય. ધીમે ધીમે પ્રમાણમાં લાવતાં લાવતાં વીતરાગ થાય. બચકું ભરી લે કે ના ભરી લે છોકરું ? પ્રશ્નકર્તા: હા, હા. બચકું ભરી લે. દાદાશ્રી : એ કાયદેસર હતો કે છોકરો કાયદેસર ? પ્રશ્નકર્તા: છોકરાએ કાયદેસર કર્યું. હા, બરાબર છે. દાદાશ્રી : તો ય મૂઆ દબાવ દબાવ કરે તે. પ્રશ્નકર્તા : બહુ રાગ કર્યો એમાં પેલા છોકરાને દ્વેષ થયો. દાદાશ્રી : ના, એટલે બહુ રાગ થયો માટે ષ થયો. પછી પેલું બચકું
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy