________________
વીતદ્વેષ
૧૧૭
૧૧૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પ્રશ્નકર્તા : દાદા, હવે બીજું પૂછું. દ્વેષ જે તમે કહો છો, આ રાગ ને દ્વેષ બે શબ્દો છે. રાગની અંદર લોભ અને માયા આવે છે અને દ્વેષની અંદર માન અને ક્રોધ આવે છે તો.....
એટલે દ્વેષ છે, એ ગમે છે ખરું ?
પ્રશ્નકર્તા : ગમતું નથી.
દાદાશ્રી : કોણ ગુનેગાર ખોળી કાઢો, આમાં રાગ ને દ્વેષમાં ? આ ગુનેગારો નહીં જડવાથી તો આખું જગત લબડ્યું છે.
આની મહીં મસાલા-બસાલા નાખીને પાય, તો મને રાગ થશે તેનો વાંધો નથી. પણ જરાં આ યાદ આવશે ફરી તો વાંધો નથી. પણ કડવું આપે અને એ પીતી વખતે દ્વેષ થાય તે વાંધો છે. અને રાગ થશે, તને યાદ આવશે, એનો વાંધો નથી. ફરી આ રસ પી જઈશ. ત્રીજી વખત આવે તો ત્રીજી વખત પી જઈશ. પણ એનો અંત હોય છે. પેલો અનંત હોય છે. એને અંત જ નહીં એટલે આ અંતવાળુ છે.
પ્રશ્નકર્તા : શાસ્ત્રોમાં પણ એમ કહેવાય છે, કે મમતા છોડો. મમતા છોડવાની છે. એટલે મમતા છોડવાની છે એટલે રાગ છોડવાની વાત પહેલાં આવે ને ?
દાદાશ્રી : આ તમે બધી વાતો કરો છો, એ બધી બહારની વાતો કરો છો. એને અને આને લેવા-દેવા નથી.
પ્રશ્નકર્તા : એ શાસ્ત્રમાં જે લખ્યું છે એની વાત કરું છું.
દાદાશ્રી : શાસ્ત્રો તો સાચા છે, પણ એ બહારની વાત છે. બહારની વાત એટલે શૂળ વાતો. લૌકિક વાતો અને આ અલૌકિક વાત છે.
ક્રોધ-માન-માયા-લોભ તો એ જ ઠેષ છે. એ ચારેવ દ્વેષ છે. પ્રશ્નકર્તા : શાસ્ત્રમાં બેને કહ્યાં છે.
દાદાશ્રી : એ તો બેને કહેવાનાં, પણ સરવાળે બધાં દ્વેષ જ છે. કારણ કે આત્માને પીડે છે, એ બધા કષાય કહેવાય. એટલે એ હોય ત્યાં સુધી બધું ઊભું થાય. આપણાં અહીં વીતદ્વેષ કર્યા તમને. તમારે એટલું જોઈ લેવાનું કે આપણે વીતદ્વેષ થયેલાં છીએ એવું લાગે છે ?
પ્રશ્નકર્તા : લાગે છે.
દાદાશ્રી : તો વીતરાગ એ પરિણામ છે. એટલે એમાં કશું કરવું પડ્યું નથી. કૉઝિઝ કાઢી નાખ્યું ને ! મૂળ કૉઝિઝ કાપી નાખ્યું.
હવે વાત એટલી બધી ઝીણી છે કે ઘણાં વર્ષે નથી સમજાય એવી ! આ બુદ્ધિગમ્ય વાત નથી, આ તો જ્ઞાનગણ્ય વાત નીકળી ગઈ. જો નીકળી ગઈ ને ?
દાદાશ્રી : મમતાની અહીં વાત જ ના હોય. આપણે અહીં મમતા શબ્દની વાત જ ના હોય. એ વીદ્વેષ એટલે શું ? ‘મમતા ગયા પછી બ્રેષ જાય, નહીં તો જાય નહીં,’ એ વાત જ અહીં ના હોય. એ વાત તો બહારની
થઈ.
પ્રશ્નકર્તા : બહારની જ વાત છે.
દાદાશ્રી : પણ એ વાત જ અહીં કામ લાગે નહીં ? એ તો આપણે અહીં તો વીતદ્વેષ થાય. પહેલા આ વીતદ્વેષ થયેલાં ને ? વીતરાગ નથી કરેલાં. વીતરાગ કરવાનાં નથી, વીતરાગ થયા કરશો. બીજ કાઢી નાખ્યું મેં,
બી ઊડ્યું.
- આ ના સમજાય તો બાર-બાર મહિના સુધી લોકોને ના સમજાય એવી વાત છે. બાર મહિને નહીં, લાખ વર્ષ સુધી ના સમજાય એવી વાત
પ્રશ્નકર્તા: પણ એ હકીકત તો સાચી છે, દરેકને એવો અનુભવ છે, કે અત્યારે દ્વેષ થતો નથી, કશાયના ઉપર...
દાદાશ્રી : દ્વેષ નામે ય કોઈને ય થતો નથી. ફક્ત કેરીઓ ભાવે છે ખરી, બધું આ સારું લાગે છે, મીઠું લાગે છે બધું. જ્યારે કડવું હોય છે,