SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ વીતષ ૧૧૬ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) પ્રશ્નકર્તા : વૈષ થાય. મંડાણ ઉપરથી ફાઉન્ડેશન ઊભું રહ્યું છે આ. અને રણમાં પસંદગી પોતાની ! પ્રશ્નકર્તા : વીતરાગ કેવી રીતે થવાય ? દાદાશ્રી : વીતરાગ એની મેળે જ થવાય. વીતરાગને માટે કશું કરવાનું નથી. વીતષ કરવું એ જ મોટામાં મોટી ભાંજગડ. પ્રશ્નકર્તા : આપે તે દિવસે કહ્યું હતું ને કે દ્વેષથી રાગ છે. દાદાશ્રી : હા, બધું શ્રેષમાંથી જ રાગ છે. કડવું ખાધા પછી જરાક અમથું બીજું કશું ખાધું હોય તો એ વસ્તુ ઉપર આપણને રાગ બેસે ! એ ખાધું તે કડવું જરા ઓછું કરે ને ?! અને એમ ને એમ ખાધું હોય તો રાગ ના બેસે. એટલે આ બ્રેષથી રાગ ઉત્પન્ન થયેલો છે. તે પહેલાં દ્વેષ જાય છે ને પછી રાગ જાય છે. રાગ એટલે પસંદગીની વસ્તુ છે અને દ્વેષ એ કુદરતી દાદાશ્રી : એટલે આ બધું દ્વેષનું કારણ છે. આ પાંચ ઈન્દ્રિયો, એની બિગિનિંગ દ્વેષનું કારણ છે અને પછી રાગ ક્યારે થાય છે ? પછી ભલે ને ચોરી કરીને લાવ્યો, પણ રોટલો હોય કે રોટલી હોય અને આ બાજુ વેઢમી હોય, તો તરત કહેશે, વેઢમી ખાઉં ! એ રાગ આમાં પસંદગી આવે ને ? પણ મૂળ તો ષ થાય છે ને ? મૂળ દ્વેષ થાય છે, પછી રાગ આવે છે. એટલે રાગ તો આપણી એક જાતની શોખની વસ્તુ છે. રાગ તો સરપલ્સ થાય ત્યાર પછીનો. પણ મૂળ જે જરૂરિયાત છે તેમાં તો ષ જ થાય. નેસેસીટીમાં જો એ ખૂટી પડ્યું એટલે દ્વેષ. તે રોટલો કોઈ લઈ લે તે વખતે, ત્યારે એની પર કેટલો દ્વેષ થઈ જાય ? એટલે રાગ જતો રહે એવો છે. રાગનો પછી વાંધો નહીં. પ્રશ્નકર્તા : લોકો એમ કહે, રાગ ઉપર જ આખો સંસાર ઊભો છે. હોય. દાદાશ્રી : આપણું અક્રમ વિજ્ઞાન શું કહે છે, ષના પાયા ઉપર જ ઊભું રહેલું છે આ. એ જેનો પાયો તૂટી ગયો, તો રાગ એની મેળે જતો રહેશે. તે રાગ ચાનો રાગ હોયને, એને પહેલી જલેબી ખવડાવીએ તો ? પ્રશ્નકર્તા : ચા મોળી લાગે. અત્યારે અહીં એક મોટો રાજા હોય, બહુ સુખીયો હોય, કોઈની ઉપર રાગ-દ્વેષ કરતો ના હોય. બધા ન્યાયી છે, એટલે આપણે કોઈનું કશું લેવું નહીં એવા સચ્ચાઈ વ્રતવાળો છે. જૂઠું ના બોલે એવો છે. પણ જંગલમાં ગયો હોય અને કંઈ ભૂલો પડી ગયો, તે ભૂખ લાગે તે ઘડીએ એને રાગ થાય ? ભૂખ લાગે એટલે શું થાય ? દુઃખ થાય ને વેદના થાયને ? હવે ભૂખ્યા થયેલાં છે એટલે ત્યાં આગળ એ શું કરે? ગમે તે જઠું બોલીને, ચોરી કરીને પણ કંઈક ખાય. ખાય કે ના ખાય ? અને પેલા ગરીબ માણસના છોકરાનું લીંટ પડ્યું હોય તો ય એવો રોટલો ખઈ જાય કે ના ખઈ જાય ? પ્રશ્નકર્તા: ખઈ જાય. કારણ કે એને ભૂખ જાગી છે. દાદાશ્રી : ચાનો રાગ મોળો પડી જાય. આ જ્ઞાન આપીએ છીએ ને જ્ઞાનથી જે સુખ ઉત્પન્ન થાય છે, તેનાથી આ બીજા સુખ મોળા લાગે છે. એટલે રાગ ઊડી જાય છે. પ્રશ્નકર્તા એ અનુભવ સિદ્ધ વસ્તુ છે. દાદાશ્રી : હા, અનુભવ સિદ્ધ. ચાર કષાયો એ છે દ્વેષ જેટલું ગમે એટલું રાગ કહેવાય અને ના ગમે એ વૈષ કહેવાય. રાગ બહુ ગમે છે? આર્ત ને રૌદ્રધ્યાન ? તો પછી ? શી રીતે રાગ કહે છે ? દાદાશ્રી : કારણ કે એને મહીં જે દુઃખ થાય છે એ વૈષ થાય છે. તે પેટમાં આટલું નાખે ત્યારે શ્રેષ શાંત થાય. અને જૂઠું બોલીને આપણે કો’કનું લઈ આવ્યા હોય કે પછી પડાવી લે તેની ઉપર દ્વેષ થાય ને કે રાગ થાય ?
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy