________________
વીતષ
૧૧૩
૧૧૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
જેવી ચીજ હોય તો તો છે તે મહાવીર ભગવાન કહેત ને કે ભઈ, અમુક રાગ ના કરશો, પણ દ્વેષ તો કરજો આ લોકો જોડે ?! દારૂ પીનારાં, વ્યભિચારી લોકો જોડે એ બધા જોડે, દ્વેષ કરજો. એવું ભગવાન કહે, પણ તે એમણે એમ કેમ ના કહ્યું?
પ્રશ્નકર્તા : એ વસ્તુમાં રાગ નહીં કરવાનો એટલે પછી વૈષ નથી આવતો.
દાદાશ્રી : છોડવાનો છે દ્વેષ જ. રાગને છોડવાનો જ નથી. પ્રશ્નકર્તા : ષ છોડીએ એટલે રાગ જાય?
દાદાશ્રી : એ રાગની ચિંતા કરશો જ નહીં. ભગવાને કહ્યું છે કે વીતષ થાવ. પછી વીતરાગ થવું, એ એની મેળે થવાય.
પ્રશ્નકર્તા: લોકો એમ કહે છે કે રાગ જ્યાં વધારે હોય ત્યાં જ વૈષ વધારે થાય.
પહેલાં દ્વેષ, સૂમમાં ! વૈષનાં પાયા ઉપર ઊભું રહ્યું છે. આનું ફાઉન્ડેશન જ દૈષનું છે. એટલે આપણે જ્ઞાન આપીએ એટલે દ્વેષ જતો રહે છે. પછી વસ્તુઓ તરફ ખેંચાણ રહે છે. તે ય વ્યવહારિક ખેંચાણ. નિશ્ચયનું ખેંચાણ નહીં. પણ ત્યાર પછી વીતરાગ થાય. વીતષ થયા પછી ઘણાં કાળે વીતરાગ થાય. વીતષ પહેલો થવો જોઈએ.
પ્રશ્નકર્તા દ્વેષ કરતાં રાગને છોડવો અઘરો છે.
દાદાશ્રી : ના, રાગ છોડવો સહેલામાં સહેલો છે. દ્વેષ જવો અઘરામાં અઘરો છે. આ પહેલાં દ્વેષ જતો નથી, તેથી જ આ રાગ જતો નથી. તે રાગ તો બિચારો દ્વેષ જાયને તો રાગ ચાલ્યો જાય,
હવે મોટામાં મોટા બુદ્ધિશાળી, વેદાંત માર્ગમાં, કબીર સાહેબ તે ય કહે છે ‘ભૂખ લગે તબ કુછ નહીં સૂઝે.’ જ્ઞાન-ધ્યાન બધું રોટીમાં જતું રહે છે, “કહત કબીરા સૂનો ભાઈ સાધુ, આગ લગો યે પોઠી મેં.”
ત્યારે વીતરાગોએ ‘આગ લગો યે પોઠીમેં ના કહ્યું. એમણે જ્ઞાનથી તપાસ કરી એની, જ્ઞાનથી પૃથ્થકરણ કર્યું અને આમને એમ જ લાગ્યું કે આ મારી જ પોઠી છે. માટે એને સળગાવી દોને અહીંથી. અને વીતરાગોએ પૃથ્થકરણ કર્યું કે હું જુદો, આ જુદું. આહારી આહાર કરે છે, હું તો નિરાહારી છું. એટલે આવી વીતરાગોએ શોધખોળ કરી પછી એણે દ્વેષ ના
ર્યો પોઠી ઉપર અને પેલાં દ્વેષ કરે ને ? આગ લગો યે પોઠીમેં, એ ઓછો દ્વેષ કહેવાય ? પોઠીને સળગાવી દે ! કોઈએ સળગાવ્યું હજુ ? બોલે ખરાં, પણ સળગાવે છે ખરાં ?
ત્યારે આ દુનિયામાં પહેલો દ્વેષ શેમાંથી આવે છે કે માણસ અહીંથી જંગલમાં નાસી ગયો, ત્યાં આગળ પણ ભૂખ લાગે, તે ઘડીએ અકળામણ થઈ જાય અને અકળામણમાં ઠેષ જ હોય, રાગ ના હોય. ભૂખ લાગે તે ઘડીએ છે તે એને બધું સોનું-બોનું દેખાડે તો એના ઉપર રાગ થાય એને ? એને દ્વેષ જ હોય. એટલે દ્વેષથી શરૂઆત થઈ છે આ સંસારની. ને હૈષનાં
દાદાશ્રી : નહીં. દ્વેષ છે માટે રાગ ઉત્પન્ન થાય છે એને. આ મને જો કોઈની પર દ્વેષ થાય તો રાગ ઉત્પન્ન થાય. મને દ્વેષ થતો નથી, પછી મને રાગ શી રીતે ઉત્પન્ન થાય તે ? એટલે શ્રેષમાંથી રાગ ઊભો થયો છે. આમાં ષ એ ‘કૉઝિઝ’ છે અને રાગ એ ‘પરિણામ’ છે. માટે પરિણામની ચિંતા તું ના કરીશ. ‘કૉઝિઝ'ની ચિંતા કર, કહે છે. એટલી ઝીણી વાત સમજાય નહીં ને ? આ બહુ ઝીણી, બહુ ઝીણી વાત છે !
પ્રશ્નકર્તા દ્વેષ એ કોઝ' અને રાગ એ ‘પરિણામ કેવી રીતે છે? દાદાશ્રી : હા, દ્વેષ એ કૉઝિઝ છે અને રાગ એ પરિણામ છે.
પ્રશ્નકર્તા : કારણ કે રાગ-દ્વેષ સાથે રહેલાં છે. રાગ હોય ત્યાં દ્વેષ હોય.
દાદાશ્રી : ના. દ્વેષ થાય છે અને દ્વેષના રિએક્શનમાં રાગ આવે છે. ષ જો જરાય ના થાય, તો રાગ જ ઉત્પન્ન ના થાય.