________________
ગમો-અણગમો
૧૦૧
૧૦૨
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
કર્યા કરો. નાટક તો કરવું પડેને, જેમ છે એમ !
આ ગમો-અણગમો એ બધો શરીરનો સ્વભાવ છે. શરીરનો એટલે ધૂળનો, પુદ્ગલનો સ્વભાવ છે. તમને થાય છે તે એને રતિ-અરતિ કહેવાય છે. અમે આવીએ એટલે દરેક માણસ સેફસાઈડ ખોળે કે ના ખોળે ? તો સેફસાઈડ ઉપર બેસે ને એ રતિ કહેવાય. એટલે પછી કો'ક પૂછે અરે, તમે દાદાનું જ્ઞાન લીધું છે ને આ રતિ કેમ છે તમને ? એ પુદ્ગલનો સ્વભાવ જ એવો છે. એ સારું હોય ત્યાં જ પહેલો બેસે. પછી કોઈ કહે કે આ તમે ગાદી ઉપર કેમ બેઠા છો ? નીચે બેસો. તો હું નીચે બેસું બા. એમાં ચેન્જ ના થાય મહીં વાતાવરણ, જરાક ટપકુંય ફરે નહીં. એટલે રતિ-અરતિ તો થાય જ ઠેઠ સુધી. પુદ્ગલનો સ્વભાવ જ છે.
પ્રશ્નકર્તા : ક્રમિકના જ્ઞાની હોય, એને ઈફેક્ટ એકલી હોય તો રતિઅરતિ જ થાય?
ઉપેક્ષા તો આપણે ત્યાં કરીએ ને, આ કુસંગની આપણે ઉપેક્ષા રાખીએ. દારૂડિયો હોય, બીજો હોય એ રમી રમતાં હોય બીજા બધાય તો ઉપેક્ષા રાખીએ ત્યાં આગળ, દ્વેષ ના રાખીએ એવું કહેવા માંગે છે. દ્વેષ ના હોય એ ઉપેક્ષા કહેવાય. અને દ્વેષ હોય તો ઉપેક્ષા ના કહેવાય. સંસારના લોકો દ્વેષ રાખે, ખોટું ના ગમ્યું એની ઉપર દ્વેષ અને ગમતા ઉપર રાગ. ઉપેક્ષા એટલે એ બાજુ પે ય નહીં અને રાત્રે ય નહીં. આપણે શું લેવાદેવા એમ કરે કે થઈ ગયું છુંટું.
પ્રશ્નકર્તા : ઉપેક્ષા શા આધારે આવે ઉદયમાં?
દાદાશ્રી : એ પોતાનું હિતાહિતનું સાધન જુએ એટલે ઉપેક્ષા કરે છે. દ્વેષ કરીએ તે ખોટું લાગે છે. ખોટું હોય છે અને ખોટાને ખોટું જાણવાનું છે. પાછો એની પર દ્વેષ ન થાય. એટલે પોતાના આત્માના હિતને માટે એ ઉપેક્ષા રાખવાની.
પ્રશ્નકર્તા : ઉદયકર્મ મુજબ જેનું પ્રવર્તન હોય તેને ઉપેક્ષા કહેવાય ?
દાદાશ્રી : એમને જેટલો અહંકાર શુદ્ધ કરવાનો બાકી રહ્યો છે એટલામાં જ રાગ-દ્વેષ હોય એમને અને બીજામાં અરતિ-રતિ જ હોય. બહારના માણસોને તો બધામાં જ રાગ-દ્વેષ હોય. નાની નાની બાબતમાં ય રાગ ને દ્વેષ. જ્ઞાની હોય તેનું ફળ આ. અડધું જ્ઞાન હોય તો અડધું. જેટલો અહંકાર ઓછો થયો એટલા રાગ-દ્વેષ ઓછા થઈ જાય. જેટલો સાબૂત હોય, તેમાં રાગ-દ્વેષ થાય. એ બહુ ઝીણી વાતો બધી ! તમારે તો આટલી જ સમજવાની. પાંચ આજ્ઞા મારી પાળો, તેમાં જ છે તમારું કૉઝીઝ, બાકી બધી ઇફેક્ટ.
દાદાશ્રી : બધા ઉદયકર્મ જ છે ને ! ઉપેક્ષા એટલે શું કહેવાનું છે કે જેનાં તરફ ખરાબ ભાવ આપણને આમ ઉદયકર્મને આધારે થયા કરે અને પોતે આમાં જુદાં રહે છે, કે આમ ન હોવું ઘટે.
ઉપેક્ષાથી શરૂ વીતરાગતાતી વાટ ! પ્રશ્નકર્તા : ઉપેક્ષા અને દ્વેષને જરા સમજાવો ને !
પ્રશ્નકર્તા : એટલે આ તમે જે ઘણીવાર કહો છો ને કે ભઈ અમે તો પોટલા જેવા છીએ. જ્યાં લઈ જાઓ ત્યાં જઈએ. તો એ ઉપેક્ષા ભાવનો દાખલો આપ કહેવાય ?
દાદાશ્રી : ના. આ તો માલિકી વગરનો જ ભાવ કહેવાય.
આ ઉપેક્ષા એટલે શું કહેવા માગે છે, કે એ જાણે છે જ નહીં. એવું ધ્યાનમાં જ ના લો.
પ્રશ્નકર્તા : એમાં અહંકાર હોયને, ઉપેક્ષામાં ?
દાદાશ્રી : ઉપેક્ષા એટલે ના ગમતું હોય છતાં દ્વેષ નહીં. અને દ્વેષ એટલે ઉપેક્ષા ના હોય પણ ના ગમતું હોય ત્યાં દ્વેષ હોય. એટલું તો એ સમજે કે આ ષ કરવામાં ફાયદો નથી. આ નુકસાનકારક છે એમ સમજીને ઉપેક્ષા રાખે.
દાદાશ્રી : એ તો અહંકારનું જ કામ છે. ઉપેક્ષા તો અહંકાર હોય