SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ગમો-અણગમો ૧0 આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) કહેવાય ? દાદાશ્રી : ગમે એટલે આઈ લાઈક અને બહુ ગમે એમાં વેરી લાઈક. એમાં કશું ફેર નહીં. રાગ ના થાય. આપણું જ્ઞાન આપ્યા પછી રાગ થાય જ નહીં. અમારી આજ્ઞા પાળે તો રાગ થાય નહીં. રાગે ય ના થાય. ને પે ના થાય અને રાગ-દ્વેષથી સંસાર ઊભો રહ્યો છે. આપણું જ્ઞાન મળ્યા પછી રાગ-દ્વેષ થાય નહીં અને ક્રોધ-માન-માયા-લોભ થાય છે એ રાગદ્વેષ રહિત થાય છે. એમાંથી એસ્ટેક્ટ ખેંચાઈ ગયેલો છે. જેમ તજમાંથી એક્સ્ટ્રક્ટ ખેંચી લીધો હોય ને તો કહેવાય તજ પણ તજના ગુણ ના હોય, એ લાકડું જ હોય. એટલે આ એક્સ્ટ્રક્ટ ખેંચાઈ ગયેલો છે. જેમાં અહંકાર ભળ્યો હોય એ રાગ-દ્વેષ કહેવાય. ડિસ્ચાર્જ રાગ-દ્વેષને ગમો-અણગમો કહે છે, એટલે કોઈ વસ્તુ ગમતી હોય આપણને અને કેટલીક ના ગમતી હોય એ રાગ-દ્વેષ નથી. ગમો-અણગમો એ ડિસ્ચાર્જ છે. રાગ-દ્વેષ હોય તો તો કર્મ બંધાઈ જ જાય. ગમવામાં અહંકાર ભળે ત્યારે રાગ કહેવાય. ગમો-અણગમો તો તમને હોય જ એવું નહીં, અમને હઉ હોય. કોઈ અહીં ગાદી પર બેઠેલું ના હોય, તો અમે અહીંથી પેસીએ તો સીધા અહીં ગાદી પર આવીને જ બેસીએ. અહીં નીચે ના બેસીએ ત્યારે કોઈ કહે, ગાદી પર તમને રાગ છે ? ના. એ કહેશે, તમે અહીં નીચે બેસો તો અમે ત્યાં બેસીએ. અમને દ્વેષ નથી છતાં લાઈક અને ડીસ્લાઈક રહ્યું. પહેલાં તો અમે આ લાઈક જ કરીએ પણ અહીંથી ઊઠાડે તો અમને દ્વેષ ના થાય પણ બેસીએ તો અહીં જ. એ કર્મ કંઈ ચોંટે નહીં. ભાવતું-તા ભાવતુંમાં ડખલ કોની ? ખોરાક ખઈ લીધો પછી ના સાંભરે, એ રાગ-દ્વેષ ગયા તેથી. પ્રશ્નકર્તા: ખોરાકમાં પણ લાઈક-ડીસ્લાઈક હોય છે ને ? ખોરાકની અંદર આ ગમે-ના ગમે એવું હોય છે ને ? દાદાશ્રી: ખરુંને. બધામાં, એ દરેક વસ્તુમાં. ખોરાક ના ભાવવો અને અણગમો થવો એ બેમાં બહુ ફેર. એને ખાટું ખાવું હોય છતાં ખવાય નહીં એ જુદું પાછું. એ અંદર પરમાણુની ડખલ છે. તે ખાવા દે નહીં. દસ વર્ષ પહેલાં તમે કહેતાં હોય કે ગોળનો લાડવો મને ભાવતો નથી અને આજે તમે કહો કે ખાંડનો ભાવતો નથી ને ગોળનો ભાવે છે. શું કારણ ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. મહીં પરમાણુઓ બદલાયા. જે માંગનારા છે અંદર, તે બધા બદલાયા અને પેલા વ્યવહારિક માણસને સમજાય કે હું જ કરું છું. આ બધું. આપણે એને પૂછીએ, ‘તું કરતો હોય તો તારે ખાવું છે, તો તને કેમ નથી ખવાતું ?’ પણ હું શું કરું ? ભાવતું નથી’ કહે છે. અલ્યા, પણ શાથી ? તારે ખાવું છે તો ભાવતું નથી, તો કોની ડખલ છે તે કહે મને. એ એમ જાણે કે ભાવતો નથી તે મારો સ્વભાવ થઈ ગયો. હવે શી રીતે આવી સમજણ પડે ? બીજી ડખલ છે એની ખબર નહીં ને ?! દાદાતો ગમો-અણગમો ! પ્રશ્નકર્તા : અક્રમ જ્ઞાનીને ગમો-અણગમો હોય ખરો ? દાદાશ્રી : ગમો-અણગમો દેખાવ પૂરતો હોય, નાટકીય. નાટકમાં ના ગમે એની ઉપર દ્વેષ નથી અને ગમે એની પર રાગ નથી. પ્રશ્નકર્તા: જરા દાખલો આપીને સમજાવોને, નાટકીય ગમો ને અણગમો. દાદાશ્રી : ‘ભિક્ષા દેને મૈયા પીંગળા' કહે છેને, પણ અંદર મનમાં સમજતો હોય કે ‘હું લક્ષ્મીચંદ છું, આ નાટક ના કરું તો મારો પગાર કાપી લે.” એટલે રડે, બનાવટી રડે. હવે એને જોઈને જતાં રહ્યા હશે ચાર જણ, પાછાં નથી આવ્યા. એ જાણે કે આ ખરેખર બિચારાને આટલું બધું દુ:ખ થાય છે ! એને પૂછયું હોત તો ખબર પડે કે આ નાટકમાં છે. ‘હું લક્ષ્મીચંદ તરગાળો છું’ એ જાણતો હોયને એ ? પ્રશ્નકર્તા : હા, એ તો જાણતો હોય, બરોબર છે. દાદાશ્રી : હં. એટલે તમે હું શુદ્ધાત્મા જાણોને અને ચંદુભાઈનું નાટક
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy