________________
રાગ-દ્વેષ
તો પ્રતિક્રમણ કર. સમાધાન થતું થતું જો એ સમાધાન આપણા મનનું ફીટ થઇ જાય. તે પછી આપણે જેવી એ દશા ઉત્પન્ન થાય, તે ઘડીએ આ સમાધાન હાજર થઇ જાય. આ જ્ઞાન હાજર થઇ જાય એટલે એ ફળ આપે આપણને. એટલા માટે રાત-દહાડો સાંભળ સાંભળ કરવાનું, ધંધો બંધ કરીને નહીં. ધંધો ય ચાલુ રાખવાનો અને આ ય ચાલુ રાખવાનું. જે એક પક્ષમાં પડે, એ બન્ને પક્ષનું ખરાબ કરે છે. સંસાર પક્ષમાં પડ્યો તો સંસારે ય બગાડે છે અને આ નિશ્ચય પક્ષે આત્માને ય બગાડે છે. ધર્મમાં પડેલો સંસારને બગાડે છે અને આત્માને ય બગાડે છે, બેઉ બગાડે છે. પણ બન્નેમાં રહ્યો સમતુલામાં તો એ કશું બગાડતો નથી, એ આપણે કહેવા માંગીએ છીએ. ઘેલા ના થશો.
રાગ-દ્વેષ રહિત તે શુદ્ધ જ્ઞાત ! હવે આત્માને ઉપયોગમાં રાખવો એટલે, આત્મા કોઈ વસ્તુ નથી, જ્ઞાન-દર્શન છે. તે જ્ઞાન-દર્શનને ઉપયોગમાં રાખવાનું, શુદ્ધ જ્ઞાન-દર્શન. શુદ્ધ જ્ઞાન-દર્શન કોને કહેવાય ? ત્યારે કહે, રાગ-દ્વેષ વગરનું જ્ઞાન-દર્શન એ શુદ્ધ જ્ઞાન-દર્શન અને આ જગતની પાસે જે જ્ઞાન-દર્શન છે એ રાગવૈષવાળું છે. તે અશુદ્ધ છે, રાગ-દ્વેષ સહિત છે અને રાગ-દ્વેષ રહિત તે શુદ્ધ જ્ઞાન કહેવાય.
ગમો-અણગમો અહંકાર ભળે તો જ રાગ-દ્વેષ ! પ્રશ્નકર્તા : આપણી ચિત્તધારામાં આ ગમો-અણગમો આવ્યો તો આ જ્ઞાતા-દ્રષ્ટામાં અજાગૃતિ ખરી કે નહીં ?
દાદાશ્રી : જાગૃતિપૂર્વક પોતાને ખબર પડે. અહીં બેસે છે આ, અહીં ના બેસે. પછી ત્યાં ય ના બેસે. મારું કહેવાનું, બાંકડો છે ધેરે, આપણે રસ્તા પર ચાલ્યા, બેસવાનો થાક લાગ્યો. એક ભાંગલો બાંકડો છે અને નીચે જરા સડેલો છે, તે બાંકડા ઉપર બેસવા કરે એથી કંઈ એમાં રાગ-દ્વેષ નથી હોતાં, ગમો-અણગમો હોય છે, લાઈક એન્ડ ડીસલાઈક !
પ્રશ્નકર્તા : એટલે પ્રાકૃતિક જે માલ ભરેલો હોય એ જ ?
દાદાશ્રી : એ જ, બીજો નહીં, એને અહંકાર ભળ્યો હોત તો રાગષ થાત. આજે જો એનો અહંકાર ના ગયેલો હોત, તો એ જ વસ્તુ માટે રાગ-દ્વેષ થાત. અહંકાર ગયાનું ફળ એ થયું કે રાગ-દ્વેષ ના થાય. પ્રશ્નકર્તા: ખાલી ગમો-અણગમો રહે.
તથી રાગ-દ્વેષ, અક્રમ જ્ઞાત પામ્યા પછી ! પ્રશ્નકર્તા ગમે અને બહુ ગમેમાં શું ફરક ? બહુ ગમે એટલે રાગ