SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ-દ્વેષ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) જેટલો રોગ હતો એટલો એમને મહીં રાગ હતો. દાદાશ્રી : એ નિયમ જ છે. જેટલો રોગ એટલો રાગ જ હોય. આજે એને રાગરૂપી રોગ હોય યા ના પણ હોય. એમ કેમ ? આ અત્યારે જે આ રોગ છે તે રાગનું જ પરિણામ છે. પણ આજે રાગ ન પણ હોય. આ તમને બધાને કંઇ રોગ હોય, હવે એ રાગનું પરિણામ છે. તમને રાગ-દ્વેષ નથી એટલે અત્યારે બીજા એવા રાગ પરિણામ ના હોય. એની જગ્યાએ. પેલું મૂર્છા થઈને તે આત્મા આખો એની મહીં પેસી જાય. પ્રશ્નકર્તા : મૂર્છા આવે છે એ પ્રાકૃતિક સ્વભાવની મૂર્છા ? દાદાશ્રી : હા, પ્રાકૃતિક સ્વભાવની મૂર્છા છે. આપણે એને ચારિત્રમોહ કહ્યો એટલે પહેલાનો મોહ ભરેલો છે તે આજે પ્રગટ થયો. તે આપણે જ્ઞાન કરીને સમભાવે નિકાલ કરીએ. સમભાવે નિકાલ કરવો એનું નામ જ્ઞાન કરીને નિકાલ કરી નાખવો. આંખને આમ ખેંચાય પણ જોડે જોડે જ્ઞાન હાજર હોય કે આવું ના હોવું જોઈએ. એ ઊડી ગયું બધું. આ જ્ઞાન મૂર્છા ઉડાવ્યા વગર રહે નહીં, પણ ચારિત્રમોહ તો હોય જ. પ્રશ્નકર્તા : એ બધું વ્યવસ્થિત ખરું ? દાદાશ્રી : હા, વ્યવસ્થિત ! રાગ-દ્વેષ રહિત તે અહિંસક ! પ્રશ્નકર્તા : કયા સ્ટેજમાં રાગ થાય તે હિંસા છે ? દાદાશ્રી : આ રાગ ને દ્વેષ બેઉ હિંસા છે. હે ય હિંસા છે ને રાગે ય હિંસા છે. રાગથી જ માણસો બધી હિંસામાં પ્રેરાય છે. એ સમજવા જેવી વાત છે. એકદમ ના સમજ પડે. ભગવાન અહિંસક કેમ કહેવાયા? ત્યારે કહે, એમનામાં રાગ-દ્વેષ ન હતા માટે એ અહિંસક કહેવાયા. સંપૂર્ણ અહિંસક ! પ્રશ્નકર્તા : સ્વભાવમાં હોય એ અહિંસક. દાદાશ્રી : સ્વભાવમાં હોવું એ તો જાણે ભગવાન કહેવાય. પણ આ રાગ-દ્વેષનો અભાવ થવો, એનું નામ અહિંસક. રાગ-દ્વેષનો અભાવ થવો પછી સ્વભાવમાં આવ્યા. જેટલો રોગ એટલો રણ! પ્રશ્નકર્તા : ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્ર વિષે લખેલું કે એમનામાં કૃપાળુદેવમાં આથી એમ કહી ના શકાય કે આમ જ છે. કારણ કે એવું કહી શકાય કે આ રાગનું પરિણામ છે આ. પણ અત્યારે રાગ છે એવું ના મનાય. હવે એ છે તે આ ઝીણી વાત તો કોઇને સમજાય નહીં ને આ વાત તો ? જ્ઞાની પુરુષ કહે ત્યારે સમજાય. આ તો દીઠું એવું કહ્યું. અને તીર્થકરોને. એમની ભૂમિકા જ એવી હોય કે વીતરાગ, રાગદ્વેષ રહિતનું પરિણામ હોય એમને. અને ફરી રાગ-દ્વેષ રહિત હોય, બન્ને ભેગું થાય. પ્રશ્નકર્તા દ્વેષને લીધે પણ રોગ હોય ને કે ખાલી રાગને લીધે જ હોય ? દાદાશ્રી : એ તો રાગ-દ્વેષ બન્નેથી રોગ. રાગ કહેવાનો અર્થ એટલે રાગ-દ્વેષ બન્ને હોય. એક હોય ને ત્યાં બીજું હોય છે. ઘણાં ખરા તો દૈષના જ રોગ હોય છે. ઘણાં ખરા બ્રેષના જે દુઃખ આપે ને બહુ એ શ્રેષના રોગ અને દુઃખ બહુ ના આપે એ રાગના રોગ. દુઃખ બહુ ના આપે, દવા જલ્દી મળી જાય એ બધા રાગના પરિણામ. એટલે હિસાબ છે બધો. જેટલું કૂદવું હોય એટલું કૂદો. તમારા જોરે. કૂદવાનું છે. માટે કોઇ ગાળ ભાંડે તો એનો નિવેડો લાવી નાખજો. કારણ કે સત્તા નથી કોઇને ગાળ ભાંડવાની. અને એણે જો ભાંડી તો ધેર ઇઝ સમથીંગ રોંગ. એનો નિવેડો લાવી નાખજો. કોઇ નુકસાન કરી જાય તો ય નિવેડો લાવી નાખજો. તમે કોઇનું નુકસાન કરી નાખો તો પ્રતિક્રમણ કરી લેજો. રીત છે એટલી તમને કહી દઇએ. કો'કનું કંઇક થઇ ગયું કશું ઊંધું
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy