________________
રાગ-દ્વેષ
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
લીધે કેટલાંક લોક કહે છે, મારા આત્મામાં છે. કેટલાંક લોક કહે છે, પુદ્ગલમાં છે.
જ્ઞાતપ્રકાશને ત હોય મૂર્છા ! પ્રશ્નકર્તા ઃ શુદ્ધાત્મા જે છે એ તો જ્ઞાનસ્વરૂપ છે ને પ્રકાશસ્વરૂપ છેને?
દાદાશ્રી : આવો પ્રકાશ નથી હોતો. પ્રશ્નકર્તા : ના. જુદો પ્રકાશ પણ પ્રકાશરૂપી શુદ્ધ ચેતન...
દાદાશ્રી : આ તો પર પ્રકાશ છે, એવો પ્રકાશ નહીં. પ્રકાશ એટલે શું કે કોઈ વસ્તુમાં મૂછ ઉત્પન્ન ન થવા દે. જગતની બધી ચીજો જુએ પણ મૂછ ઉત્પન્ન થવા ના દે આ જગતમાં એવો પ્રકાશ છે. આ ફોર્ટમાં જાય તો બધી ચીજો જુએ તો કેટલી ચીજોમાં મૂર્છા થાય ?
પ્રશ્નકર્તા : થાય છે.
પ્રશ્નકર્તા : પુદ્ગલ એ વ્યતિરેક ગુણ કહેવાય ? દાદાશ્રી : હા, મૂળ પરમાણુનો ગુણ નથી આ કે ચેતનનો ગુણ નથી.
પુદ્ગલ એટલે પૂરણ ને ગલન. તે જ્ઞાન મળતાની સાથે પૂરણ બંધ થઈ ગયું. હવે ગલન એકલું રહ્યું. પૂરણ દોષોથી બંધન છે, ગલન દોષો એ નિર્જરા છે. ગલન દોષો એ બંધ વગરની નિર્જરા છે અને પૂરણ દોષો એ સંવર વગરનો બંધ છે.
પુદ્ગલમાં રાગ-દ્વેષ નહીં તે જ્ઞાત ! એ તો પુદ્ગલ જ છે. છે જ નહીં પુદ્ગલ સિવાય કશું. પુદ્ગલમાં રાગ-દ્વેષ થવા એનું નામ સંસાર. મૂર્છા થઈ એનું નામ સંસાર અને પુદ્ગલમાં રાગ-દ્વેષ ના થવા, એનું નામ જ્ઞાન. એનું નામ મુક્તિ, બસ. આટલું જ છે. પુદ્ગલ જ. એનું એ જ પુદ્ગલ. બીજું કંઈ આઘુંપાછું થતું નથી. પહેલાં રાગ-દ્વેષ થતા હતા ને આ રાગ-દ્વેષ ના થાય. ખાવું-પીવું, હરવું ફરવું, બોલવું-ચાલવું, સત્સંગ-અલંગ બધું પુદ્ગલ છે. પણ જેમ સાબુથી મેલ કાઢીએ તે સાબુ પોતાનો મેલ પાછો ચોંટાડતો જાય. એવું આપણે આ સત્સંગ કરીએ. તે જ્ઞાની પુરુષની પાસે સત્સંગ કરીએ તો શુદ્ધ સત્સંગ કહેવાય. એટલે મેલ જ્ઞાનીઓનો ના ચઢે આપણી ઉપર અને આપણો મેલ ઊતરી જાય અને બહાર તો ગુરુનો મેલ ચઢે પાછો. તે પાછો ટીનોપોલ નાખવો પડે. ત્યાર પછી એ મેલ નીકળે ત્યારે ટીનોપોલનો મેલ ચઢે. આ શુદ્ધ સત્સંગ કહેવાય. એટલે મેલ ચઢે નહીં. હવે રાગ-દ્વેષ નથી થતાંને ? થયું ત્યારે !
દાદાશ્રી : પણ આ મૂછ ના થવા દે એ પ્રકાશ, કશું ગજવામાં હોય, રૂપિયા હોય તોય લેવાનું મન ના થાય.
પ્રશ્નકર્તા: જો જો કરવાનું મન થયા કરે.
દાદાશ્રી : ના, જુએ તેનો વાંધો નહીં. જોવાનો તો આત્માનો ધર્મ જ છે પણ એમાં છે તે એને મૂછ ઉત્પન્ન ના થાય. આ પ્રકાશને લીધે જુએ છતાં મૂર્છા ઉત્પન્ન ના થાય તે પ્રકાશ ના હોય ત્યારે જુએ કે તરત જ મૂર્ણા થઈ જાય એને. સાડી દેખી કે ઘેર આવીને તેને યાદ રહ્યા કરે કે પેલી સરસ સાડી હતીને ! એ સાડીમાં ખોવાઈ ગયેલી હોય. અને આ જ્ઞાન મળ્યા પછી પ્રકાશ મળ્યો એટલે એને મૂર્છા ઉત્પન્ન ના થાય. મૂર્છા ઓછી થઈ છેને બધી ?
પ્રશ્નકર્તા : જોઈ હોય વસ્તુ પણ હવે એની ઇચ્છા ના થાય.
દાદાશ્રી : હા, એટલે મૂછ ના થાય. આ પ્રકાશ મૂર્છા ના કરાવડાવે. હેય રાગ-દ્વેષવાળું બધું જુએ, આમ જુએ, તેમ જુએ. આમ ફેરવીને જુએ, તેમ ફેરવીએ જુએ પણ મૂર્છા ના થાય. આત્મા આત્માની જગ્યા અને એ
ઈન્દ્રિયોથી જુએ છે, જાણે છે છતાં રાગ-દ્વેષ નથી એ અતીન્દ્રિય જ્ઞાન છે અને રાગ-દ્વેષ છે એ ઈન્દ્રિય જ્ઞાનથી જુએ છે, જાણે છે ! ઈન્દ્રિય દ્રષ્ટિ રાગ-દ્વેષ કરાવે, સમકિત દ્રષ્ટિ ‘શુદ્ધાત્મા’ જ જુએ.