SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ-દ્વેષ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) સારું જો ભાંજગડ, જો ભાંજગડ, જો ભાંજગડ અને ચાખીને જાણે કે ના કાયમના સુખિયા થઇ જતાં હોયને તો ય સારું. પણ આ ચાખ્યા તો ય રોકકળાટ, રોકકળાટ, બળ્યો. સાચું કહેજો, રોકકળાટ ખરો કે નહીં, ચાખ્યા તોય ? પ્રશ્નકર્તા : થાય, એકદમ સત્ય ! દાદાશ્રી : આ બધું રાગ-દ્વેષને લઇને છે. બઇનો ય દોષ નથી, ભઇનો ય દોષ નથી. સારાં સારાં માણસોની અંદર ઝઘડા હોય છે. એનું શું કારણ કે રાગ-દ્વેષ. અને જો વીતરાગતાપૂર્વક હોય તો તો ઝઘડો થાય નહીં. પણ તે તો ક્યારે હોય ? આત્મજ્ઞાન સહિત હોય ત્યારે. તે પેલી બઇ કહેશે, ‘તમારામાં અક્કલ નથી.' ત્યારે કહે, ‘તેં આજે કહ્યું, તે સારું થયું. આ ચંદુ તો આવો જ છે, પહેલેથી જ આવો છે. તેં આજ કહ્યું ત્યારે મેં જાણ્યું. તેં તો હમણે જ જાણ્યું, હું તો પહેલેથી જ જાણું આ ચંદુને !' પ્રશ્નકર્તા સ્પષ્ટ વેદન થાય ત્યારે તો વિષય-વિકાર પણ ના રહે સો ટકા ગયા રાગ-દ્વેષ ! જુઓ આમાં એવું લખ્યું છે કે “એક પરમાણુ જેટલો પણ રાગવૈષ, ક્રોધ-માન-માયા-લોભ ભાવ વિદ્યમાન છે, એ બધાં શાસ્ત્રોનો જાણનાર હોવા છતાં પણ આત્મા જાણતો નથી અને આત્મા જાણતો નથી એટલે અનાત્માનેય જાણતો નથી. એટલે સમ્યક્ દ્રષ્ટિ ય નથી” કહે છે. શું કરશો હવે ? તદન સો ટકા સાચી વાત લખી છે અને મેં સો ટકા સાચી વાત આપી છે. ત્યારે આ ભૂલ કોની થાય છે આ ? પ્રશ્નકર્તા : એક પરમાણુ પણ રાગનું રહ્યું નથી એવું વ્યક્તિને ભાન ક્યારે થાય ? અને એ ભાન કેમ થતું નથી ? દાદાશ્રી : પણ એનું ભાન પૂછવું જોઈએ. આ કરેક્ટ છે કે મારી કંઈ ભૂલ થાય છે એમ પૂછવું જોઈએ. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ખબર પડે કે આ રાગ-દ્વેષનું એક પણ પરમાણુ રહ્યું છે કે નથી રહ્યું ? દાદાશ્રી : રાગનું પરમાણું રહ્યું નથી એવું હું જાણું છું ને તમે નથી જાણતા એ કેમનું ? પ્રશ્નકર્તા : એમ નહીં, વ્યવહારમાં ? દાદાશ્રી : એ વિષયની હયાતી હોય, ત્યાં સુધી સ્પષ્ટ વેદન થાય જ નહીં. સ્પષ્ટ વેદન ક્યારે થાય કે આ મન-વાણી દેહમાંય પોતાનું માલિકીપણું ના હોય. અમારી નિર્વિચાર દશા છે, અમારી નિર્વિકલ્પ દશા છે, અમારી નિરીચ્છક દશા છે, ત્યારે આ દશા ઉત્પન્ન થઇ છે. એ દશાને અમે ધન્ય ધન્ય, એને નમસ્કાર કરીએ છીએ. એટલે આ દશાએ પહોંચવાનું છે. પછી એકાદ સ્ટેશન રહ્યું છે તો છોને રહ્યું. આટલા બધા સ્ટેશનો ઓળંગ્યા. હવે એકનો શું હિસાબ ? અને તે ય ભગવાનની હદમાં જ હોય. સિગ્નલે ય આવી ગયું, બધું આવી ગયું. ક્યારનું ય આવી ગયું. તમારે ય સિગ્નલ ઓળંગી લીધું. પ્લેટફોર્મ તો નથી આવ્યું પણ સિગ્નલ તો ઓળંગ્યું છે. પ્રશ્નકર્તા : ભગવાનની હદ અને ભગવાનની હાજરી બેય. દાદાશ્રી : હા, ભગવાનની હદ ને ભગવાનની હાજરી ! કલ્યાણ કરી નાખેને ! દાદાશ્રી : એ વ્યવહાર કહો કે તહેવાર કહો. પણ આ પરમાણુ નથી તમારામાં. આ તો વ્યવહાર કંઈ એક જાતનો હોય છે ? તહેવાર નથી આવતા ! દિવાળીનો તહેવાર, ધનતેરસનો તહેવાર, બધાં નથી આવતા ! પણ પરમાણુ રાગના નથી તમારામાં. પ્રશ્નકર્તા રાગનું એક પણ પરમાણુ ના હોય, બહુ જ મોટી વાત છે આ તો ! દાદાશ્રી : હા. એ એક પરમાણુ હોય તો તો પછી એ સમ્યક્ દ્રષ્ટિ કેમ હોય ? હા. ત્યારે પછી ! તમે સમ્યક દર્શનવાળા છો. અને આનું લખેલું
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy