________________
રાગ-દ્વેષ
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
માટે પ્રતિક્રમણ કરો. વધુ પડતું હોય તો, નહીં તો દુ:ખદાયી સામાને ના થઈ પડતું હોય તો કશી જરૂર નહીં. એ તો ખાલી આપણી સમજ છે. આપણે આપણી મેળે ધોઈ નાખવાનું, ય તરીકે જોયું એટલે ધોવાઈ ગયું. અને અજ્ઞાન દશામાં તો કોઈનું એવું ખરાબ થાય તો સારું થયું? એમ લાગે અને એના ઉપર દ્વેષ વર્તતો જ હોય. અત્યારે દ્વેષ વર્તે નહીં પાછળ. લાગે ખરું કે ખરાબ થયું, સારું થયું એમ લાગે, એટલે ભરેલો માલ છે તે બધો નીકળે છે.
વિષયગ્રંથિ છેદત, ત્યાં તિજ સ્પષ્ટવેદત પ્રશ્નકર્તા : આ ષ છે તે જાગૃતિમાં રખાવે છે અને રાગ તન્મયાકાર કરાવે છે. તો આ કામ-ક્રોધથી શું ખોટ આવે છે ? એની જરૂર નહીં ?
કબૂલ કરે પાછાં. બે-પાંચ નહીં, બધાય. બધાય એકી સાથે આંગળી ઊંચી કરે. ત્યારે પેલા શું કહે બધા ? અરે, આ ગાંડા લાગે છે બધા, હં ! આ પેલી એમની દુનિયા ડાહી અને આપણી દુનિયા ગાંડી બધી !
પહેલાં તો સાહેબ કંઈક જરા ઊંધું-છતું કરતો હોય તો આપણે એના માટે રાત-દહાડો વિચારો મહીં આવે ને મનમાં એમ થયા કરે કે સાલાને કશુંક આવે તો ઘાટ કરીએ, એના માટે ખરાબ વિચારો આવે, એ બધું દ્વેષ કહેવાય. અને કોઈ ઉપરી છે તે આપણા માટે હેલ્પ કરતો હોય, તો એના માટે બહુ ભાવ આવે તો એ રાગ કહેવાય, બસ. તે આ હવે દ્વેષ ય ના થાય ને રાગે ય ના થાય, સમભાવે નિકાલ થઈ જાય.
ક્રિયાઓ બધી પ્રાકૃતિક છે. એમાં રાગ-દ્વેષ નહીં તે જ મોક્ષ છે. કડવા પર દ્વેષ ને મીઠાં પર રાગ થાય એ અજ્ઞાનતાનો સ્વભાવ છે. અજ્ઞાન જાય તો કડવું-મીઠું ના રહે.
પછી એ ભરેલો માલ ! પ્રશ્નકર્તા : જ્ઞાન લેતાં પહેલાં અને હજુ પણ કોઈ કોઈવાર એવું થાય છે કે આપણને પોતાને કંઈક તકલીફ પડી હોય પછી એવી કંઈ તકલીફ બીજાને પડે, તો અંદરથી એવું થયું કે, સારું થયું આવું થયું છે. એ શું છે ?
દાદાશ્રી : એ સારું થયું, એમ થાય એ દ્વેષનું પરિણામ છે, અને ખરાબ થયું એમ આવે તો, રાગનું પરિણામ છે. એ રાગ-દ્વેષના પરિણામનાં ભાવ જે મહીં ભરેલા તે માલ આજે નીકળે છે. ત્યાં ભગવાનને ત્યાં સારુંખોટું કશું છે નહીં. બધું જોય જ છે. એ જાણવા જેવું જ છે.
પ્રશ્નકર્તા : આવું થાય ત્યારે શું કરવું ? પ્રતિક્રમણ કરી લેવું ?
દાદાશ્રી : એવું થાય તે જોવાનું, આવું થયું અહીં આગળ ને અહીં આવું થયું. એમાં આપણે એ જ જોવાનું. અને જો કદી વધારે પડતું સામા માણસને અન્યાય થતો હોય, દ્વેષ પરિણામથી તો ત્યાં આગળ ચંદુભાઈને એમ કહેવાનું કે ભઈ, તમે પ્રતિક્રમણ કરો. તમે અતિક્રમણ કેમ કર્યું ?
દાદાશ્રી : કામ-ક્રોધ બધાં દુઃખ આપ્યા કરે. બહુ દુ:ખ આપે. એની જરૂર તો એવું છે ને કે સંસાર એને ગમતો હોય ત્યાં સુધી એની જરૂર છે. પણ એને દુઃખ સહન ના થતું હોય તો કામ-ક્રોધ જ દુ:ખ આપનાર છે, છોકરો નથી આપતો. બહાર કોઈ દુઃખ આપતું નથી. આ પોતાના અંતર શત્રુઓ જ દુઃખ આપે છે.
એ ષડરિપુ એ જ દુ:ખ આપે છે. બહાર કોઈ દુ:ખ આપનાર નથી, આ જ મૂઆ છે. એ જો છૂટા થઈ ગયા આનાથી તો નિવેડો આવ્યો. આ હું જોઉં છું ને મને કોઈ બહાર દુઃખ નથી આપતું. પડરિપુ મહીં હતાં ત્યાં સુધી દુઃખ આપતા હતા. હવે મહીં એ લોકોએ બધું બંધ કરી દીધું. સૌ સૌને ગામ ચલે ગયા.
ઘરમાં અકળામણ થાય છે, તેનું શું કારણ ? ત્યારે કહે, ધણી એવો છે ? ના. તો કહે, બૈરી એવી છે ? ના. રાગ-દ્વેષ છે માટે દુઃખ થાય છે. રાગ-દ્વેષ ના હોય તો કોઇની જોડે અથડામણ જ ના થાય. રાગ-દ્વેષ છે, પોતાને. રાગ-દ્વેષ એટલે સ્વાર્થ. સહુ સહુના સ્વાર્થમાં પડવું, એનું નામ રાગ-દ્વેષ, અમને સ્વાર્થની છે કોઇ ભાંજગડ ? કોઇની જોડે અમારે કશું જોઇએ જ નહીં, તો કશી ભાંજગડ નહીં. આ તો એક રસાસ્વાદ ચાખવા