________________
રાગ-દ્વેષ
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પ્રશ્નકર્તા ઃ અંદરખાને આવું છૂટું રાખીને જ બેસવા જેવું છે.
દાદાશ્રી : અંદરખાને અને બહાર હઉ છૂટું રાખવાનું ! બહારેય શું લેવા-દેવા છે ? તારી જોડે શું લેવા-દેવા છે ? એ તો એક કલાકમાં ગાળંગાળા થાય તો મારમારા કરે, એને શું લેવા-દેવા ?
મતતા વિરોધ સામે... મન વિરોધ ઉઠાવે તો ય રાગ-દ્વેષ ના થાય એટલે બહુ થઈ ગયું. મન વિરોધ ઉઠાવે તેનો વાંધો નહીં, પણ રાગ-દ્વેષ ન થવાં જોઈએ.
પ્રશ્નકર્તા : મનના વિરોધમાં વીતરાગતા કેવી રીતે રહે ?
દાદાશ્રી : રહે. મનનો વિરોધ તો જોયા કરવાનો છે. મન તો આખું જોવાનું જ છે ને ! મન દ્રશ્ય છે.
પ્રશ્નકર્તા એટલે મનનો વિરોધ હોય ત્યાં વીતરાગતા ના રહે, પણ જ્ઞાતા-દ્રષ્ટા રહી શકાય ?
દાદાશ્રી : એ જ્ઞાતા-દ્રષ્ટા એ જ વીતરાગપણું. રાગ-દ્વેષ રહિત થયા વગર જ્ઞાતા-દ્રષ્ટામાં રહી શકાય નહીં. જેટલો વખત રાગ-દ્વેષ રહિત થયા એટલો વખત જ્ઞાતા-દ્રષ્ટા રહી શકે.
પ્રશ્નકર્તા : મનનો વિરોધ ખૂબ લાંબો સમય ચાલતો હોય, પણ પછી આ મન જોય છે અને આપણે જ્ઞાતા છીએ, એ એક્ઝક્ટનેસમાં દેખાઈ જાય, તો એ મનનો વિરોધ ઊડી જાય છે.
દાદાશ્રી : એ સમાધાન થયું એટલે ઊડી ગયું, બસ. મન સમાધાન ખોળે છે, કોઈ પણ રસ્તે, એટ એની વે. એ તમે કહો છો કે સમાધાન થયું, એટલે ઊડી જાય, આખો ગ્લોબ ઊડી જાય તે ઘડીએ.
પ્રશ્નકર્તા : ઘણી વખત એવું થાય કે મનને તે વખતે સમાધાન થઈ જાય. પણ એ રિલેટિવ જ્ઞાનથી હોય તો પછી એનું પાછું રિએકશન તો આવવાનું ને ?
દાદાશ્રી : એની પાછળ અવસ્થાઓના રિએકશન હોય છે. એક પડ જતું રહે, પાછું બીજું પડ આવે. દરેક વસ્તુ પડવાળી હોય.
હવે લોકો તો આ જાણે નહીં કે આવી સ્થિતિઓ હોય છે ! એવું લોકો જાણતા હશે ? કલ્પના જ નહીંને લોકોને !
મહાત્માઓએ ત રહ્યાં રાગ-દ્વેષ ! રાગ-દ્વેષ વગરની બધી જે ક્રિયાઓ છે એ પુદ્ગલની ક્રિયાઓ છે. એ બધી ક્રિયાની ગણતરી નથી આવતી. રાગ-દ્વેષવાળી છે તેમાં આત્માની જવાબદારી આવે છે. મોટું ચિડાય તો ય રાગ-દ્વેષ થયા એવું કહેવાય નહીં આપણાથી. એ પોતે ધણી આપણને કહી શકે કે રાગ-દ્વેષ થયા હતા. મોટું ચિડાય તોય દ્વેષ થયો એમ આપણે કહી શકીએ નહીં.
પ્રશ્નકર્તા : પણ એ ચિડાવાનું થવું એ ભળ્યો હોય તો જ ચિડાયને ? દાદાશ્રી : ના, એવું કશું નહીં. પ્રશ્નકર્તા : એ ચિડાવાનું શાથી થાય છે ?
દાદાશ્રી : એ ના ભળ્યો હોય તોય થાય, પુદ્ગલ ક્રિયા છે. જો કદિ એને ના ગમતું હોય તોય આ ક્રિયા થયા કરે.
પ્રશ્નકર્તા : એ ના ગમતું થાય છે, માટે છૂટો છે એવું કહી શકાય?
દાદાશ્રી : એ તો દીવા જેવી વાત છેને, એ તો બધા કહે, નાનું છોકય કહે. પણ ચિડાયો તો એને કંઈ અમે એમ ના માનીએ કે આને રાગ-દ્વેષ થયા છે. તું ચિડાય તો હું ના માનું અને બીજો ના ચિડાય તો ય માનીએ આને રાગ-દ્વેષ છે. જ્ઞાન ના લીધેલું હોય ને આમ ઠંડાઈથી વાત કરતો હોય તોય આપણે કહીએ કે રાગ-દ્વેષ છે. સામાન તૈયાર છે, મશીનરી ચાલુ છે રાગ-દ્વેષવાળી. ચિડાય તો એ દ્વેષમાં છે ને ચિડિયો ના થાય તો કંઈ રાગમાં છે પણ છે ખરોને કશાકમાં. અને આ અક્રમ વિજ્ઞાનનો પ્રતાપ તો જો ! પાછું કોઈ સાધુ-આચાર્ય કબૂલ ના કરે. છતાં આપણા મહાત્માઓ