________________
રાગ-દ્વેષ
૮૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
માલ ભરેલો એટલે અત્યારે ખેંચાય એ રાગ ના કહેવાય. રાગનો કરનાર જોઈએ, રાગનો કર્તા જોઈએ અને કર્તા વગર રાગ થાય નહીં. તું કર્તા છું ?
પ્રશ્નકર્તા : કોઈ વાર તન્મય થઈ જવાય છે. એટલે કર્તા થઈ જવાય
દાદાશ્રી : ત્યારે એ જ આત્મા અને તે બધું ‘જોયા જ કરે છે. મનમાં ખરાબ વિચાર આવ્યો હોય, સારો વિચાર આવ્યો હોય, બીજું થયું હોય, ત્રીજું થયું હોય, બધું તરત જ જોયા કરે. કો'ક શું વાણી બોલ્યો, કોઈ ખરાબ બોલ્યો હોય કે સારી બોલ્યો હોય તો ય પણ રાગ-દ્વેષ ના થાય. રાગ-દ્વેષ ના થાય એનું નામ આત્મા અને રાગ-દ્વેષ થાય એનું નામ સંસાર, દેહાધ્યાસ.
દાદાશ્રી : એ તો રુચિ હોય ત્યાં તન્મય થઈ જાય. આ લોકો પૈસા ગણે ત્યાં આગળ તન્મય થાય કે ના થઈ જાય ?
પ્રશ્નકર્તા : થઈ જાય.
દાદાશ્રી : હે બસ, તેનો એ કંઈ ગુનો નથી. તેથી આત્મા એમ નથી કહેતો કે તમે કેમ તન્મય થઈ ગયા ? આત્મા આત્મા જ છે. અને ધીમે ધીમે એ દશા ઓછી થતી જાય છે. કેવળજ્ઞાન તરફ આ જતું જાય છે. નિરંતર જ્ઞાન રહે એ કેવળજ્ઞાન કહેવાય. આ તો હજુ ફાઈલના નિકાલ કરવા પડે છે ને ?!
રાગ-દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી તે જ મોક્ષનો પંથ.” - શ્રીમદ્ રાજચંદ્ર
જેનાથી આ રાગ-દ્વેષની નિવૃત્તિ થાય એ મોક્ષનો પંથ. એ તમારા રાગ-દ્વેષ નિવૃત્ત થઈ ગયા.
પ્રશ્નકર્તા: હા, આ અક્રમથી થાય. માટે અક્રમ એ મોક્ષનો પંથ. દાદાશ્રી : હા, એ જ મોક્ષનો પંથ.
‘હોય મારું' ત્યાં છૂટ્યા ! બંધાવું હોય તેને તો છે જ ને માર્ગ ! બંધાવું હોય તેને બુદ્ધિનો માર્ગ છે જ. છૂટવું હોય એને બધી રીતે ખુલ્લું–છૂટું છે.
રાગ-દ્વેષ નહીં કરવા એનું નામ મોક્ષમાર્ગ. જે થાય તે જોયા કરે. સંસાર તો રાગ-દ્વેષનું નિમિત્ત જ છે, પોતે જ નિમિત્ત છે. નિમિત્ત શું કરાવડાવે ?
પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ જ કરાવડાવે.
તો જ પમાય મોક્ષનો પંથ ! તમે પોતે ચંદુભાઈ થાવ તો રાગ-દ્વેષ તમારો કહેવાય, નહીં તો રાગ-દ્વેષ કેમ કહેવાય ? ત્યારે કહેશે કે આ શું થાય છે ? ત્યારે કહે, આ જે થાય છે એ ચંદુભાઈને થાય છે અને તમે શુદ્ધાત્મા જાણો છો કે આ શું થઈ રહ્યું છે અને તમે એમેય કહો, ‘આવું ન થવું જોઈએ.’
પ્રશ્નકર્તા : હા, એ બધું બરોબર.
દાદાશ્રી : એટલે તમારો અભિપ્રાય જુદો છે માટે તમે વીતરાગ છો. એટલે અમે કહ્યું કે પુરુષાર્થ તો તમારો જબરજસ્ત ચાલી રહ્યો છે. પુરુષ થયા પછી પુરુષાર્થ રહે, નહીં તો એમ ને એમ રાગ-દ્વેષ બંધ રહે નહીં જરા વારેય. રાગ-દ્વેષ કોની પર થાય છે ?
દાદાશ્રી : હં, તો પછી એ નિમિત્તમાં પડીએ જ નહીં ને ! એટલે આ ‘મારું હોય” એમ કહીએ તો પછી છૂટી જાય. આ “મારું ન્હોય’ કહ્યું કે એ પોતે જુદો થઈ ગયો. અમે જે જ્ઞાન આપ્યું છે તે ‘તારું કયું' અને એ ‘તારું હોય કયું' તે દેખાડ્યું છે. એ જો અત્યારે કહી દે તો પછી છૂટો થઈ જાય. એ જ્ઞાન ચૂક્યા ને આ એકાકાર થયો કે ચોંટ્યું.
પ્રશ્નકર્તા : નથી થતાં.