________________
પ્રજ્ઞા
૨.
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
વર્ણન કરતી હતી તે છે તે બુદ્ધિબળથી કરતી'તી. અને પ્રજ્ઞાશક્તિ જ્ઞાનબળથી કરે છે, સ્વાભાવિક બળથી.
પ્રશ્નકર્તા: અજ્ઞા પરિગ્રહથી વાત કરે છે ને પ્રજ્ઞા પરિગ્રહ વગર વાત કરે છે.
બોલીએ એટલું જ !
પ્રશ્નકર્તા : હું તો પહેલાં એવું સમજેલો કે આપણે મહાત્માઓને જ્ઞાન લીધા પછી, પ્રજ્ઞા છે એ જાગૃતિ બરોબર રાખે. કંઈક પણ દોષ થાય તરત જ એ ટકોર કરે કે ‘આટલાં આ... આ.... દોષ થયાં'
દાદાશ્રી : હા, ચેતવે, ચેતવે. પ્રશ્નકર્તા : પણ આ જે જ્ઞાતા-દ્રષ્ટા રહે છે એ બરાબર ખ્યાલ ન
દાદાશ્રી : પરિગ્રહ નામે ય નહીં, નો પરિગ્રહ !
ત્યાં સુધી પ્રજ્ઞા જ જ્ઞાતા-દ્રષ્ટા ! પ્રશ્નકર્તા : આપણે જે આ જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં રહીએ છીએ એ પ્રજ્ઞા રહે છે કે આત્મા જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં છે ?
દાદાશ્રી : ના, એ પ્રજ્ઞા જ બધે જ્ઞાતા-દ્રષ્ટા. આત્મા ફક્ત કેવળજ્ઞાન એકલું જ જોઈ શકે છે.
દાદાશ્રી : ના, અત્યારે પ્રજ્ઞા જ્ઞાતા-દ્રષ્ટા. પ્રજ્ઞા એ આત્માનો જ ભાગ છે. અત્યારે બધું કામ પ્રજ્ઞા કરી રહી છે. એ પ્રજ્ઞા જ્યારે આત્મામાં એક થઈ જાય ત્યારે કેવળજ્ઞાન થાય અને કેવળજ્ઞાન થાય, થોડા વખત થયા પછી મોક્ષે જતો રહે.
પ્રશ્નકર્તા : એટલે જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે જ આત્મા જ્ઞાતાદ્રષ્ટા થાય, ત્યાં સુધી પ્રજ્ઞા જ કામ કરે.
દાદાશ્રી : આ ય આત્મા જ કહેવાય. આને કંઈ જદું પાડશો નહીં. એવું તમે આ જુદું પાડવા જશો, તો તમને સમજણ પડશે નહીં.
પ્રશ્નકર્તા તો પછી પ્રજ્ઞા શું કરવા કહો છો ? આત્મા જ કહી દોને.
દાદાશ્રી : હંઅ. તે એવું કહી દઈએ છીએ તેનું પણ આ લોકો પાછું એનું ઉપાડી લાવે છે. વિગત સમજણ પાડવા માટે કહેલી છે. વિગતનો અર્થ આવો ના કરશો કે આમ...
પ્રશ્નકર્તા : અત્યારે આપ જ્ઞાની પુરુષનો આત્મા તો જ્ઞાતા-દ્રષ્ટા છે. અમારે પ્રજ્ઞા જ્ઞાતા-દ્રષ્ટા છે.
દાદાશ્રી : મારે હઉ એ પ્રજ્ઞા છે. કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી પ્રજ્ઞા.
પ્રશ્નકર્તા : તો પછી આત્મા બધું જાણે છે, જુએ છે. જાણે-જુએ તો આત્મા જ છે ?
દાદાશ્રી : એ જ, પણ એ પ્રજ્ઞા નામનો ભાગ.
પ્રશ્નકર્તા તો જ્યારે આ જ્ઞાન લીધા પછી જે પોતાની પ્રકૃતિને જુએ છે, એ પોતે કોણ જુએ છે ?
દાદાશ્રી : એ જ આત્મા જુએ. બીજું કોણ ? બધું આત્માને માથે. આત્મા એટલે પ્રજ્ઞા પાછી એ. અહીં પાછું સીધું આત્મા ના ગણવો. આત્મા એટલે પહેલાં પ્રજ્ઞા જ બધું, આ બધું કાર્ય કરે છે પણ અમે આત્મા બોલીએ.
પ્રશ્નકર્તા : આ ઝીણું કાંતો તો પ્રજ્ઞા, જાડું કાંતવું હોય તો આત્મા. તો પછી મૂળ આત્મા ચેતવે નહીં ?
દાદાશ્રી : હા, એ મૂળ આત્મા ચેતવે નહીં. અત્યારે આ પ્રજ્ઞા ચેતવે. એ પછી એક જ થઈ જાય છે. તે ઘડીએ જ્યારે આપણું આખું રામાયણ પૂરું થાય, એ ય એક થાય.
જે જ્ઞાનથી સંસાર છૂટી જાય એ આત્મજ્ઞાન કહેવાય અને એ જ્ઞાન વપરાય તે ઘડીએ પ્રજ્ઞા કહેવાય.