________________
પ્રજ્ઞા
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : ના, એટલે, એ કૃપા એના થકી ઉતરે. પ્રજ્ઞા તો બધે રહેવાની. પ્રજ્ઞા તો જ્યાં સુધી આ મોક્ષે ન જાય ત્યાં સુધી બહાર રહ્યા રહ્યા કામ કર્યા કરવાની.
પ્રશ્નકર્તા : એટલે એ પ્રજ્ઞાથી અમારા ઉપર કૃપા ઉતરે.
દાદાશ્રી : હા. પ્રજ્ઞાથી કૃપા ઉતરે. એટલે અમને ખબર પડી જાય કે આ કૃપા ઉતરી છે ભઇ ઉપર.
પ્રશ્નકર્તા : પણ પ્રજ્ઞાને વીતરાગતામાં વાંધો ના આવે ? દાદાશ્રી : વીતરાગ હોય જ નહીં પ્રજ્ઞા. પ્રશ્નકર્તા : પ્રજ્ઞા વીતરાગ નથી ?
દાદાશ્રી: હોય જ નહીં. પ્રજ્ઞા તો આ, આ બધું નિકાલ કરવાની જ ભાંજગડ લઈને આવેલી હોય. જેમ તેમ કરીને ઊંચું મૂકી એને મોક્ષે લઈ જવું આ એનો ધંધો..
પ્રશ્નકર્તા : પણ આપની પ્રજ્ઞા તો ઘણી મોટી.
દાદાશ્રી : એ તે ખૂબ ડેવલપ હોય, પણ તે ધંધો તો આ જ એનો. અમે એવું કહીએ ય ખરાં કે ‘જો ભઈ, કૃપા ભગવાનની ઓછી થઈ ગઈ છે તારી પર.”
પ્રશ્નકર્તા : એટલે કેવળજ્ઞાન થાય ત્યાં સુધી પ્રજ્ઞા હોય ? દાદાશ્રી : ત્યાં સુધી, ઠેઠ સુધી પ્રજ્ઞા. કેવળજ્ઞાન થયા પછી નહીં.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન થયા પછી તીર્થંકર થાય અથવા કેવળી થાય, તો પછી એમની કૃપાનો સવાલ હોતો જ નથી. કારણ કે પ્રજ્ઞા છે નહીં.
દાદાશ્રી : પૂરું થઈ ગયું ને ! બધું ખલાસ થઇ ગયું. પ્રજ્ઞા છે ત્યાં સુધી દેહ જોડે લેવા-દેવા છે કંઈકે. પછી તો દેહ જોડે સાવ છૂટે છૂટું ! અમને કેવળજ્ઞાન થયું નથી. હા, છતાંય એ કેવળજ્ઞાન શું છે, એ અમે જોયેલું છે.
જગતકલ્યાણમાં અહંકાર તિમિત તે પ્રજ્ઞા કરાવે !
પ્રશ્નકર્તા : આપણને નિમિત્તરૂપ બનાવીને જગત કલ્યાણનું કામ કોણ કરાવે છે ?
દાદાશ્રી : આ બધું પ્રજ્ઞાશક્તિનું કામ છે. પ્રજ્ઞાશક્તિ બધું કરાવડાવે છે. આત્મા આમાં કરાવતો નથી. આત્મામાં કરાવવાની કોઇ શક્તિ જ નથી. ઇગોઇઝમ નિમિત્ત છે.
પ્રશ્નકર્તા : નિમિત્ત છે, ઇગોઇઝમ. ‘હું કરું છું’ એ નિમિત્ત છે ?
દાદાશ્રી : હા, કરાવે છે કોણ ? ત્યારે કહે, પ્રજ્ઞાશક્તિ. બધું પ્રજ્ઞાશક્તિનું જ કામકાજ છે.
પ્રશ્નકર્તા : હવે આ જે બધું દેખાય છે તે આત્માની અંદર દેખાય છે, પણ જોનારો તો પર છે ને ?
દાદાશ્રી : આત્માની અંદર ભાસે છે બધું. દેખાય છે જુદું.
પ્રશ્નકર્તા : હા, પણ એને જે આ વર્ણન કરે છે તે જોનારો તો પર જ છે ને ?
પ્રશ્નકર્તા : એટલે એ પ્રજ્ઞાની જ વાત છે.
દાદાશ્રી : હં, પણ કૃપા અમુક કારણોને લઈને ઓછી થઈ ગઈ છે એમેય કહીએ, એ કારણો પાછાં ફેરવી નાખે, પાછી ઊતરે.
પ્રશ્નકર્તા : પણ એ બધી વાત પ્રજ્ઞાની છે.
દાદાશ્રી : પેલાં દાદા ભગવાન તો વીતરાગ જ છે ને ! વીતરાગને તો કશું ના હોય.
દાદાશ્રી : વર્ણન કરે છે એ બધું છે તે પ્રજ્ઞાનું કામ છે જે અજ્ઞાશક્તિ