SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞા ૬૮ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદાશ્રી : એકરૂપ થઇ જાય. ત્યાં સુધી જુદી ને જુદી રહે, નહિ તો મારી ખટપટ ક્યાંથી હોય ? આમ “આવો, તમને જ્ઞાન આપીએ છીએ,’ એ બધી ખટપટ ના કહેવાય ? એ ખટપટ પ્રજ્ઞાને લીધે છે. પ્રશ્નકર્તા : પ્રજ્ઞા ખટપટ કરાવડાવે. દાદાશ્રી : હું અને જેને પ્રજ્ઞા નથી, એ ખટપટ ના કરે. તમારું અહિત થવાનું હોયને, તમે દર્શન કરો, તો ય કશું ના બોલે. ઇમોશ્નલ ના થાય તે ઘડીએ. કારણ કે અમારે બુદ્ધિ નથી. બુદ્ધિ ઇમોશનલ નહીં કરાવતી અમને. પ્રજ્ઞા એ ખટપટ કરાવડાવે છે. તમારા હિતાહિતનું બોલીએ એટલે અમે ખટપટિયા કહેવાઇએ. અમારી ખટપટ કેવી કે અમે જે સુખ પામ્યા એ સુખ તમે બધા પામો. આ અમારી ખટપટ, અને તે પામવા ના આવો તો અમે તમને કહીએ કે “ભઇ, કેમ કાલે નહોતા આવ્યા ?” કોઈ પૂછે કે આમાં તમારે શું ગરજ ? ત્યારે કહીએ, “આ અમારી ખટપટ છે. ગરજ નથી.’ લોકો મને કહે છે, “દાદા, એવો ખટપટ શબ્દ કાઢી નાખો ને ! ખરાબ દેખાય છે.” મેં કહ્યું, “ના, ના, એ જ સારો દેખાય છે. એ જ રૂપાળો દેખાય છે. જો તો ખરો, એની કદર આવશે એક દહાડો. ખટપટ શબ્દની કદર થશે એક દહાડો. ખટપટ શબ્દ આખો, એના તરફ લોકોને ધૃણા થઇ ગઇ છે, તે ખટપટ શબ્દ ઉપર એને આનંદ થઇ જશેખટપટ આવી ય હોય છે, એ ય હોય છે અને આ ય હોય દાદાશ્રી : ના, પણ એ દાદા ભગવાનની કૃપા ઉતરે એટલે જ્ઞાનીને બીજી બધી ભાંજગડ રહી નહીં ને ! પ્રશ્નકર્તા : પણ આમ કહેવાય તો એવું છે ને, જ્ઞાની પુરુષનો રાજીપો, જ્ઞાની પુરુષની કૃપા. દાદાશ્રી : એ તો વ્યવહારમાં એવું કહેવાની વાત. એ જ ભગવાન ને એ જ બધું. આ તો આપણે જુદું પાડીએ છીએ. બાકી, બીજે બધે તો જુદું પાડે જ નહીં ને ! આપણે એટલાં માટે જદું પાડીએ છીએ કે લોકોને કરેક્ટ લાગે, કે આ ચોખે ચોખ્ખી વાત ! અને અમને કંઈ એવો શોખ નથી ભગવાન થઈ બેસવાનો. પ્રશ્નકર્તા: પણ દાદા ભગવાન મહીં વીતરાગ છે ને, પોતે ? દાદાશ્રી : હા, વીતરાગ ! પ્રશ્નકર્તા : પછી એમને ઓછી ને વધુ કૃપા ઉતારવાનું શું ? દાદાશ્રી : ના, એમ નહીં. એ એમના સિવાય જે અમે જ્ઞાની છીએ એને એવું નથી કે આ બધા અમને ભગવાન કહે તો સારું, એ સ્વાદ ને એ મીઠાશની કંઈ જરૂર નથી. આ બધી ભૂખ મટી ગઈ છે. પ્રશ્નકર્તા : ના, એ તો ખરું પણ આ આપણા દાદા ભગવાન.... દાદાશ્રી : એ તો સંપૂર્ણ વીતરાગ જ છે ! પ્રશ્નકર્તા કૃપા ઉતરવાનું જે બને છે, એ ઓટોમેટીક છે ને ? એ સ્વયં છે ને ? કે દાદા ભગવાનની કૃપા છે ? દાદાશ્રી : દાદા ભગવાન, એ તો વીતરાગ પ્રભુ, પણ જે પેલી પ્રજ્ઞા છે ને, એ પ્રજ્ઞા થકી બધું ઉતરે કૃપા. પ્રશ્નકર્તા : પણ એ તો જ્ઞાની પુરુષને તો હવે આત્મા પોતે જ છે, પછી પ્રજ્ઞા ક્યાં આવી ? છે. કૃપાનું રહસ્ય ! પ્રશ્નકર્તા ઃ દાદા ભગવાનની કૃપા અને જ્ઞાની પુરુષની કૃપા, એ જુદી હોય ? એમાં શું ફેર હોય ? દાદાશ્રી : દાદા ભગવાનની કૃપા હું જાણી જઉં કે આની પર સારી છે ને જ્ઞાનીને તો કપા કે ના કપાની સાથે લેવા-દેવા જ નથી ને ! એવી ખાસ કંઈ લેવા-દેવા નહીં ને ! પ્રશ્નકર્તા : જ્ઞાનીને કૃપા સાથે કેમ લેવા-દેવા નહીં ?
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy