SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞા આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) પ્રશ્નકર્તા : પ્રજ્ઞા જુએ છે ? દાદાશ્રી : પ્રજ્ઞા જ બધું અત્યારે કામ કરી લેવાની. જ્યાં સુધી મોક્ષ ના જઈએ, જ્યાં સુધી આ સામાન છે ત્યાં સુધી પ્રશા. આ સામાન બંધ થયો કે પ્રજ્ઞા મહીં શુદ્ધાત્મામાં ભેગી જ થઈ જાય. પ્રશ્નકર્તા: ‘હું શુદ્ધાત્મા છું' એવું બોલે છે, તે ય પ્રજ્ઞા જુએ છે ? દાદાશ્રી : બોલે છે ટેપરેકર્ડ, પણ ભાવ પ્રજ્ઞાનો છે. પ્રશ્નકર્તા : તો એ સહજ ક્રિયા થઈ પ્રજ્ઞાની ? દાદાશ્રી : પ્રજ્ઞાની બધી ક્રિયાઓ સહજ જ હોય, સ્વભાવિક જ હોય. શુદ્ધાત્મા, પ્રતિષ્ઠિત આત્મા તે પ્રજ્ઞા ! પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા અને પ્રતિષ્ઠિત આત્મા વચ્ચે પ્રજ્ઞાથી સબંધ દાદાશ્રી : હા. પણ એ સંજોગવશાત્. પ્રશ્નકર્તા : પ્રકૃતિને જાણે છે અને પ્રકૃતિના આધારે ચાલે છે, એ કોણ ? દાદાશ્રી : એ અહંકાર, બસ. પ્રકૃતિને જાણે. જ્યારે વિચારવા બેસે ત્યારે બધું જાણે. આ શાનાથી દોષ થયા એ બધું ય જાણે છે. અમુક જ ભાગ ઓછો હોય છે. બીજું બધું જાણે. નવ્વાણું સુધી જાણી શકે, સો ના જાણે. બુદ્ધિ એટલી બધી કેળવે તો નવ્વાણું સુધી જાણી શકે. પણ તો ય છે તે અહંકારથી કામ ના થાય. શુદ્ધ જ જોઈએ. પ્રશ્નકર્તા પોતાને જાણે છે અને પોતાના આધારે ચાલે છે, એ કોણ ખરો? દાદાશ્રી : એ આપણી પ્રજ્ઞાશક્તિ છે. પોતે પોતાના પ્રકાશથી જ જાણી રહી છે. ચાલવાનું એટલે ચાલવાની ભાષામાં નહીં, એ વ્યાપે ! દાદાશ્રી : બેને સંબંધ ? આપણને પ્રજ્ઞાથી સંબંધ. પેલા લોકોને પ્રજ્ઞા ય ના હોય. એને અજ્ઞાથી સંબંધ. - જ્ઞાયકતા કોની ? પ્રશ્નકર્તા : આત્માની સાથે અજ્ઞાનથી સંબંધ ખરો ? દાદાશ્રી : આત્માને અજ્ઞાન અડે નહીં ને પ્રકાશને અંધારું શી રીતે અડે ? એ તો આધાર વગરનું કહેવાય અને આ તો પોતાના આધારે ઊભું રહેલું. પ્રશ્નકર્તા : પોતાના એટલે શું ? દાદાશ્રી : એટલે પોતાના ગુણધર્મથી. પુદ્ગલ પોતાના ગુણધર્મથી. પ્રતિષ્ઠિત આત્મા એટલે પાવર. પાવરવાળો ખલાસ થઈ જાય અને મૂળ વસ્તુને કશું ન થાય. બસ, બીજું કશું છે નહીં. પ્રશ્નકર્તા : એ મૂળ વસ્તુમાંથી આ પ્રતિષ્ઠિત આત્મા ઊભો થયો ? પ્રશ્નકર્તા આત્માના સ્વરૂપની અંદર તો બધી વસ્તુઓ ઝળકે છે ને આમ ? આત્માનું જ સ્વરૂપ છે દર્પણની માફક, દર્પણ કંઈ જોવા માટે બહાર આવતું નથી. પણ દર્પણની અંદર દ્રશ્યો બધા ઝળકે છે આમ. દાદાશ્રી : એ ઝળકે છે એ જુદું છે. પણ આ તો જ્ઞાયક ! એટલે આ અત્યારે જ્ઞાયકતા કોની છે ? એ પ્રજ્ઞાશક્તિની છે. હા, કારણ કે પ્રજ્ઞાશક્તિ અત્યારે કાર્યકારી છે. મૂળ આત્મા કાર્યકારી ના હોય. આ સંસાર છે ત્યાં સુધી કાર્યકારી શક્તિ ઊભી થઈ છે, પ્રજ્ઞા. એ પ્રજ્ઞા બધા કાર્યો પૂરાં કરી, આટોપી ને પછી મોક્ષે જાય. જુગલ જોડી, જાગૃતિ તે પ્રજ્ઞાતી !
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy