________________
પ્રજ્ઞા
૫૩
ના થવું જોઈએ, તો એ કોણ બતાડે છે ? એ ય પ્રજ્ઞા કરે છે ? એ પ્રતિભાવ જે બતાડે છે તે અને પ્રજ્ઞા બન્ને જોડે જોડે હોય?
દાદાશ્રી : પ્રકાશ પ્રજ્ઞાનો, એ પ્રકાશની અંદર ચિત્તવૃત્તિ શુદ્ધ થયેલીને તે વૃત્તિ કરે એવું. પણ પ્રકાશ પ્રજ્ઞાનો, એટલે પ્રજ્ઞા કરે છે એમ કહેવાય. બધા દોષ દેખાડે.
પ્રશ્નકર્તા : પણ જે ભૂલ થાય એની સામે પ્રજ્ઞાનો જે હાવભાવ કે આમ થવું ના જોઈએ એવો, એવો જે પ્રતિભાવ થાય, એ બેઉ જોડે જ હોય?
દાદાશ્રી : એ પ્રતિભાવ નહીં કહેવાતો.
પ્રશ્નકર્તા : આવું થવું ના જોઈએ, એ પ્રતિભાવ નહીં ? આપણાથી કંઈ ખરાબ ભાવ થઈ ગયો હોય તેની સામે આ ઊભું થાય છે ને ?
દાદાશ્રી : એ આત્મભાવ છે કે આવું ન થવું જોઈએ. અને આ થાય છે એ દેહાધ્યાસભાવ છે. બન્નેના ભાવ જુદા ને ! પેલો સ્વભાવ ભાવ છે, આ વિભાવ ભાવ છે.
પ્રશ્નકર્તા : તો પ્રશાશક્તિ એ જ વિશેષભાવ ?
દાદાશ્રી : ના. ક્રોધ-માન-માયા-લોભ એ વિશેષભાવ કહેવાય. હુંઅહંકાર ને એ બધું વિશેષભાવ કહેવાય.
પ્રશ્નકર્તા : આત્મધર્મનો કંઈ પુરુષાર્થ કરે એ ક્રિયા કોની ?
દાદાશ્રી : તે બધી પ્રજ્ઞાશક્તિ. પ્રશાશક્તિ ક્યાં સુધી રહે છે કે આપણે આ જ્ઞાન મળે તેથી આત્મા થયા, પણ હજુ આત્મા શ્રદ્ધામાં, પ્રતીતિમાં, દર્શનમાં છે પણ જ્ઞાનમાં નથી આવ્યો, આ ચારિત્રમાં નથી આવેલો, ત્યાં સુધી પ્રક્ષાશક્તિ કામ કર્યા કરે.
પ્રજ્ઞાતા પરિણામો ભોગવે કોણ ?
પ્રશ્નકર્તા : પ્રજ્ઞાથી કંઈ કામ થાય, પ્રજ્ઞાશક્તિ કામ કરે તો પણ
૫૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
એના જે પરિણામ પામે, એ પરિણામ કોણ ભોગવે છે ?
દાદાશ્રી : ભોગવવાનું શેનું ? પ્રજ્ઞાશક્તિની જે કરેલી વસ્તુ એમાં ભોગવવાનું હોતું નથી. આનંદ જ થાય છે અને આનંદ પોતાનો સ્વભાવ છે, એ જેને આનંદ નહોતો તે ભોગવે છે.
પ્રશ્નકર્તા : એ આનંદ એ ભોગવે છે કોણ ? રિલેટિવ ભોગવે છે કે રિયલ ભોગવે છે ?
દાદાશ્રી : ના, ના. રિલેટિવ જ ભોગવે છે ને ! રિયલ તો આનંદમાં જ છેને ! જેને ખૂટતી જરૂર હતી તે ભોગવે છે અને તમે પોતે જ કહો ને, તમે પહેલાં આ હતા, હવે તમારો છે તે અહંકાર ભોગવી રહ્યો છે. અને તમે છે તે હવે શુદ્ધાત્મા થયા એટલે પ્રજ્ઞા સ્વરૂપમાં આવી ગયા. અહંકાર ભોગવી રહ્યો છે. એટલે એને વિષાદ જે થતો હતો, એની જે ખોટ હતી, તે આ આનંદ ભોગવવાથી નીકળી જાય બધી, પ્લસ-માઈનસ થઈ જાય. જુદાં બે, વેદક તે જ્ઞાયક !
પ્રશ્નકર્તા : વેદનીય કર્મના ઉદય વખતે વેદના વેદે છે કોણ અને તે
જ વખતે વેદના થાય છે તે જાણે છે કોણ ?
દાદાશ્રી : વેદે છે અહંકાર ને પ્રજ્ઞા જાણે છે. પ્રજ્ઞા છે તે વેદકને પણ જાણે અને આ વેદક છે તે વેદના વેદે છે. વેદક એટલે અહંકાર કહો. અહંકારમાં બધું આવી ગયું.
અહંકાર માને છે કે આ દુઃખ મને જ પડે છે. એટલે એ વેદે છે. તેથી એ વેદક કહેવાય. અને પ્રજ્ઞાશક્તિ જાણે છે એમાં. હવે ઘણાં ખરાં આપણા મહાત્માઓને પ્રજ્ઞાશક્તિ રહી જાય છે અને વેદકભાવમાં આવી જાય છે, તે દુઃખ વધે બીજું કશું એમને નુકસાન નહીં. પોતે તન્મયાકાર થાય તો દુઃખ વધે.
હું અહીં આગળ બધાં છોકરાંઓને પ્રસાદ આપું છું. તે પ્રેમથી પ્રસાદ આપો, તેને દુઃખ લાગતું નથી અને સહેજ જ છે તે મોઢું બગાડીને