SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞા ૫૧ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદાશ્રી : બધું પ્રજ્ઞાશક્તિનું જ કામ છે આ. પણ જ્યારે પ્રજ્ઞાશક્તિ એનું કામ ના લે, ત્યારે પેલો “ડિસ્ચાર્જ' અહંકાર બધો કામ કર્યા કરે. તે એમ કરતો હોય તેને આપણે જોવાનું, શેમાં તન્મયાકાર થયેલો એ ! આમાં પ્રજ્ઞામાં તન્મયાકાર રહેવો જોઈએ, તેને બદલે પેલામાં તન્મયાકાર, સ્લીપ થઈ જાય. એ જાગૃતિ હોય તો પ્રજ્ઞામાં રહે. પેલામાં જાય એટલે અજાગૃતિ એટલે આ વિજ્ઞાનથી મોક્ષમાં એને ચેતવનારી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ જાય છે. પછી એણે પોતે પોઝીટીવ રહેવું જોઈએ. નેગેટીવસેન્સ નહીં રાખવી જોઈએ. પોઝીટીવ એટલે આપણી ખુશી હોવી જોઈએ એમાં અને પોઝીટીવસેન્સ રાખે છે બધાં અને આ સંસારની કોઈ અડચણ ના અડવા દે પાછી. જો એ પોતે બરોબર રહે ને તો સંસારની અડચણ ના અડવા દે એવી ગોઠવણી થઈ જાય છે અંદર. કારણ કે આત્મા પ્રાપ્ત ન્હોતો થયો એટલે ભગવાન પ્રાપ્ત ન્હોતા થયા તો ય ચાલતો હતો સંસાર, તો પ્રાપ્ત થયા પછી એ બગડી જાય ? ત્યારે કહે, ના બગડે. રહે. પ્રજ્ઞા ચેતવે ક્યા ભાગને ? પ્રશ્નકર્તા : પછી આ પ્રજ્ઞા જે છે તે પ્રતિષ્ઠિત આત્માને ચેતવે છે ? દાદાશ્રી : હા, તે પ્રતિષ્ઠિત આત્મામાં અહંકાર ભાગને ચેતવે છે. હા, એ જેને છૂટવું છે એ ભાગને. બંધાવાનો અહંકાર અને છૂટવાનો અહંકાર. તે છૂટવાના અહંકારને ચેતવે છે. પ્રશ્નકર્તા : એટલે મૂળ ચંદુભાઈને જ ચેતવે છેને, એવું થયું ? પ્રશ્નકર્તા : આપે જે જ્ઞાન આપ્યું એટલે એને જાગૃતિમાં તો રહેવું હોય છે. દાદાશ્રી : ઈચ્છા તો હોય એની પણ રહે નહીં. એ ટેવ પડેલીને ! પેલી ટેવ પડેલી એટલે એ બાજુ થઈ જાય પછી. પણ જેનો સ્ટ્રોંગ ભાવ છે, એ તો ગયેલો હોય તો ય પાછો બોલાવે કે એય નથી જવાનું. ખબર તો પડેને પોતાને ? પ્રશ્નકર્તા : પ્રજ્ઞામાં તન્મયાકાર રહેવાનું કહ્યું તો જરા બરાબર ખુલાસો કરીને સમજાવો. દાદાશ્રી : સિન્સીયર રહેવું. સિન્સીયર કોને છે ? હવે આપણે જો મોક્ષે જવું હોય તો પ્રજ્ઞાને સિન્સિયર રહો. અને જો લટાકા-પટાકા ચાખવા હોય તો આમાં જાવ થોડીવાર. અત્યારે કર્મના ઉદય લઈ જાય એ વાત જુદી છે. કર્મનો ઉદય ઢસેડી જાય તોય આપણે આ બાજુનું રાખવું. નદી આ બાજુ ખેંચે ને આપણે છે તે કિનારે જવાનું જોર રાખવું. ના રાખવું જોઈએ કે એ ખેંચે તેમ ખેંચાઈ જવું ? પ્રશ્નકર્તા એટલે એનો નિશ્ચય જો પાકો હોય તો સિન્સિયર રહે ને? દાદાશ્રી : પાકો હોય તો જ રહેવાય ને ! નહીં તો તો પછી નિશ્ચય જ નથી, તેને શું પછી ? નદી એ બાજુ ખેંચે તે બાજુ જાય, કિનારો તો ક્યાંય રહી ગયો ! અને આપણે તો કિનારા તરફ ખેંચવું જોઈએ. નદી આમ ખેંચે. આપણે બાથોડિયા આમના મારવાં જોઈએ. થોડું ઘણું જે ખર્યું એ ખરું. ત્યારે હોરુ તો મહીં જમીનમાં આવી જાય ! દાદાશ્રી : ના, અહંકારને. ચંદુભાઈ નામનો જે માલિક છે, અહંકાર, એ અહંકાર બે પ્રકારનાં. એક જે અહંકારે આ ઊભું કર્યું અને એ અહંકાર ગયો. જે છૂટવા પાછો ફરે છે તે અહંકાર છે.... પ્રશ્નકર્તા: તેને ચેતવે છે. દાદાશ્રી : હા. એટલે છૂટવા ફરે છે, તેને હેલ્પ થઈ ગઈ. બાકી છૂટવા ફરે એવો અહંકાર દરેકનામાં હોય તો ખરો જ પણ એને જ્યાં સુધી પેલી પ્રજ્ઞા ઊભી ના થાય ત્યાં સુધી કોણ કહે ? એટલે ગૂંચવાડામાં રહે. ભૂલતી સામે પ્રતિભાવ કોનો ? પ્રશ્નકર્તા: આપણે કંઈ ભૂલ કરીએ તો અંદર મહીં પ્રજ્ઞા ચેતવે. હવે ત્યાં આગળ જે ભૂલ કરીએ તેનો જે પ્રતિભાવ મહીં ઉભો થાય છે કે આવું
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy