SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞા ૪૭ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) ત્યાં ખેંચાઈ જાય. પ્રશ્નકર્તા : આપને ખબર પડે કે ખેંચાઈ તે ? દાદાશ્રી : હું શું કરવા ધ્યાન રાખ રાખ કરું ? પ્રશ્નકર્તા : ના, એટલે ખબર પડી જાય, ધ્યાન ન રાખો તો ? દાદાશ્રી : ના.. પ્રશ્નકર્તા: આમ ઝળકે નહીં આમ ? આપને જ્ઞાનમાં આમ ઝળકે નહીં એવું ? દાદાશ્રી : ઝળકે પણ ધ્યાન રાખીએ તો ને ! એ બાજુ શું કરવા ધ્યાન રાખીએ ? કેટલાય જણની છે ફિલ્મો, તેમાં ક્યારે હું ધ્યાન રાખું ને ક્યારે પાર આવે ? પ્રશ્નકર્તા : એવું કરવાની શી જરૂર, જોયા કરવાનું. દાદાશ્રી : એમાં તો ઊલટું ઈન્ટરેસ્ટ પડી જાય. એવું છે, ટેવ પડી જાય. આપણે તે ફિલ્મ જોવાની જરૂર નથી. ફિલમ જોવાની હોય તો થિયેટરમાં ત્યાં જઈને ના જોઇએ ? ફિલ્મ છૂટી તો જાય ત્રણ કલાકમાં અને આ છૂટે નહીં આપણી પાસેથી. સમભાવે નિકાલમાં પ્રજ્ઞાનો રોલ ! પ્રશ્નકર્તા: પ્રજ્ઞાશક્તિનો એક નંબરની ફાઈલ ઉપર કંટ્રોલ ખરો કે નહીં ? દાદાશ્રી : ના, નો કંટ્રોલ. પ્રશ્નકર્તા : હવે હું કહું કે ‘ચંદુભાઈ, તમે જરા આમાં બરાબર ધ્યાન રાખો.’ હવે એ ચંદુભાઈને કોણે કહ્યું, તે વખતે વ્યવહારની ક્રિયા થાય છે. તે બુદ્ધિની થાય છે કે અહંકારની થાય છે કે પ્રજ્ઞાની થાય છે ? દાદાશ્રી : વ્યવહાર ક્રિયા, બુદ્ધિ અને અહંકાર બેઉની હોય. પ્રશ્નકર્તા : એમાં પ્રજ્ઞા ખરી ? દાદાશ્રી : પ્રજ્ઞા નહીં. પ્રજ્ઞા તો જે એમ કહે છે કે સમભાવે નિકાલ કરવો છે, એ પ્રજ્ઞા છે. પ્રશ્નકર્તા : પણ તે બુદ્ધિ અને અહંકાર, એમાં જ્યારે બે ભાગ ભજવે તો તો પછી એ ક્રિયા વ્યવસ્થિતને આધીન રહીને થઈને ? દાદાશ્રી : વ્યવસ્થિતને આધીન જ, કશી તમારે જોખમદારી નથી. પ્રશ્નકર્તા : જ્યારે ચંદુભાઈને ‘હું કહું, ત્યારે ‘હું’ એટલે તો પછી પ્રજ્ઞા જ કહે ને ચંદુભાઈને ? દાદાશ્રી : હા, એ પ્રજ્ઞા જ કહે. ‘હું’ હોય તે પ્રજ્ઞા. પ્રશ્નકર્તા : પછી બાકીની ક્રિયા વ્યવસ્થિતને આધીન થાય છે ? દાદાશ્રી : હા, વ્યવસ્થિતને આધીન. પણ વ્યવસ્થિતને આધીન થઈને પેલાને હાથ વાગી ગયો તો તમારે કહેવું કે ‘ચંદુભાઈ, આ અતિક્રમણ કર્યું, તે પ્રતિક્રમણ કરો, બસ.' અને પેલું સેફસાઈડ રહ્યું. એને કંઈ દુ:ખ થયું હોય તો વાંધો નહીં, નાનું અમથું. પણ પ્રતિક્રમણ કરી લે પછી આપણે કશું લેવા-દેવા નહીં. પ્રશ્નકર્તા : ફાઈલનો નિકાલ કોણ કરે છે? દાદાશ્રી : એ પ્રજ્ઞાશકિત. એ જ ચેતવે-બેતવે, બધું એ જ કરે. ફાઈલોનો નિકાલ-બિકાલ બધું એ જ કરે. પ્રશ્નકર્તા : એટલે ચંદુભાઈની પણ ફાઈલ ખરી એટલે મને શંકા પડી એટલે મેં પૂછયું. નહિતર ચંદુભાઈ બધી ફાઈલોને જુએ એવું નહીં ? દાદાશ્રી : એવું બને નહીંને ! ચંદુભાઈને લેવા-દેવા નહીં. ફાઈલોનો નિકાલ પેલી પ્રજ્ઞાશક્તિ કર્યા કરે અને ચેતવે હલે. કંઈક ભૂલ થાયને તો ચેતવે. તે ચંદુભાઈ ચેતવતાં નથી. ચંદુભાઈ તો ભૂલવાળા છે. આત્મા ય ચેતવતો નથી. આત્મા એ ચેતવવાનો ધંધો કરે નહીં. એટલે આ પ્રજ્ઞાશક્તિ આ બધું કામ કરી રહી છે. એટલે ફાઈલોનો સમભાવે નિકાલ એ
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy