SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞા આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) પ્રશ્નકર્તા અમે યાદ કરીએ અને દાદા આવે, તો એમાં આપનો થોડો અંશ આવે કે સંપૂર્ણ આવે ? દાદાશ્રી : એ બધું પ્રજ્ઞાનું કામ છે. જે દાદા યાદ આવે છે ને તે તો આત્માએ કરીને એક જ સ્વભાવી છે. તમારો જ આત્મા દાદા થઈને કામ કરી રહ્યો છે. એટલે એ વસ્તુ પોતાના ભાવ ઉપર આધાર રાખે છે અને તે ભાવ પાછાં પ્રજ્ઞાના હોવા જોઈએ. ત્યારે કહે છે કે અજ્ઞાની માણસોને ય એમના ગુરૂઓ દેખાય છે. ત્યારે કહે, એ ચિત્તની શુદ્ધતા અને તમને ત્રણ જણનું હો હો હોય તો ગભરામણ થઈ જાય. ‘મને કરે છે' એવું મને અડે જ નહીંને ! હું એવી રીતે બેસું, બહાર બેસું નહીંને ! મને શોખ નથી એવો. તમને શોખ હોય તે બહાર બેસીને ત્રણ જણ જોડે તમે હો હો કરો. હું તો મારી રૂમમાં બેઠો બેઠો હો હો કર્યા કરું. આટલું બધું માણસ મારે ક્યારે પાર આવે !? પ્રશ્નકર્તા: તમે પોતાની રૂમમાં એમ સીફતથી સરકી જાઓ છો, પેસી જાવ છો મહીં. દાદાશ્રી : બેઠેલો જ હોઉં છું મહીં. બહાર નીકળતો જ નથી. તમને લાગે છે કે બહાર નીકળ્યા હશે એ જ ભૂલ છે, વખતે પડછાયો દીઠો હોય તો. ખરેખર હું નહીં હોતો. પ્રશ્નકર્તા: એ વાત ખરી. અમે ખેંચીએ તો ય નથી આવતા. દાદાતી પ્રજ્ઞાતી અનોખી શક્તિ ! દાદાશ્રી : હું બહાર નીકળે તો આ ભાઈને ઘેર જાય કોણ ? આવે છેને તમારે ત્યાં, સવારના પાંચ વાગે ! તે કાયમનુંને ! પેલા અમેરિકાવાળા ય કહે છે કે “મારે ત્યાં આવે છે. જાય છે તે વાત તો સાચીને ! પ્રશ્નકર્તા : હા, પણ એ કોણ જાય છે ? દાદાશ્રી : એ હકીકત છેને પણ જાય છે એ ! પ્રશ્નકર્તા : લોકોને અનુભવ થાય છે. અહીંથી જાય છે કે નહીં એ ખબર નહીં, પણ એમને લાગે છે. એ શું છે ? દાદાશ્રી : એ તો બધી શક્તિ છેને, પ્રજ્ઞાશક્તિની જબરજસ્ત શક્તિ ! પ્રશ્નકર્તા : અમે દાદાનું સ્મરણ કરીએ અને દાદા અમારે ઘેર આવીને આર્શીવાદ આપે એ શું છે ? એ ફિનોમિના શું છે ? એ કઈ પ્રક્રિયા પ્રશ્નકર્તા : એટલે ‘આપના તરફથી પ્રજ્ઞાશક્તિ કામ કરી રહી છે? એમને જે અનુભવ થાય છે કે દાદા અહીંયા આવ્યા એ આપની પ્રજ્ઞાશક્તિનું છે કે એમની પ્રજ્ઞાશક્તિનું ? દાદાશ્રી : આ પ્રજ્ઞાશક્તિ છે તેમાંથી જ. જે ‘જનાર’ છે એની જ પ્રજ્ઞાશક્તિ. પ્રશ્નકર્તા: ‘જનાર’ છે એટલે ? દાદાશ્રી : એમને ત્યાં ‘’ આવે છે, ‘એમની” પ્રજ્ઞાશક્તિ. પ્રશ્નકર્તા એમને ત્યાં જે આવે છે, એ મૂળ એવી કલ્પના કરે છે અથવા એને એવું ભાસે છે એ એમનું પોતાનું જ થયું ને ? આપને તો કહ્યું ત્યારે ખબર પડી કે આપ ત્યાં ગયેલાં. દાદાશ્રી : એ તો એના ભાવ હશે તો ભેગું થઈ જાય. એ શક્તિને વાર નથી લાગતી, સામાનો ભાવ હોય તો શક્તિ પહોંચી જાય છે. અહીંથી અમેરિકા હઉ પહોંચે. પ્રશ્નકર્તા : એટલે આ જે છે આપની પ્રજ્ઞાશક્તિ એ તો વીતરાગ ભાવે છે. જે ભાવ કરે એની પાસે ખેંચાઈ જાય.. દાદાશ્રી : એ બધું પ્રજ્ઞાની પ્રક્રિયામાં જાય છે. દાદાશ્રી : ખેંચાઈ આવે. બીજું શું? જેનો ભાવ મજબૂત હોય, તેને
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy