________________
પ્રજ્ઞા
૪૧
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : એમાં ચિત્તની જરૂર જ નહીં. પ્રજ્ઞાશક્તિ પોતે જ દેખી
દાદાશ્રી : એટલે બુદ્ધિ અને હેલ્પ કરે પછી, અહંકાર કહે એ પ્રમાણે. પ્રશ્નકર્તા ઃ અચ્છા એટલે પછી સવળું ય પાછું બુદ્ધિ જ કરી આપે?
દાદાશ્રી : પછી બધા ભેગા થઈને સવળું કરી નાખે. એકલી બુદ્ધિ નહીં, બધાય.
દાદાનું નિદિધ્યાસત કરાવે પ્રજ્ઞા ! પ્રશ્નકર્તા: આજે સવારે સામાયિકમાં આપનું નિદિધ્યાસન બધે થઈ રહેલું એ શું છે ? એને હું શુદ્ધ ચિત્ત સમજુ છું.
દાદાશ્રી : ના, એ તો પ્રજ્ઞાશક્તિનું બધું કામ છે. શુદ્ધ ચિત્ત તો એ પોતે જ આત્મા છે. શુદ્ધાત્મા એ જ શુદ્ધ ચિદ્રુપ. આ તો પ્રજ્ઞા બધું કરે છે.
પ્રશ્નકર્તા : બધે દાદા બેઠેલા દેખાય એ શું?
દાદાશ્રી : એ જ પ્રજ્ઞાન. અજ્ઞાશક્તિ છે તે બીજું દેખાડે, લક્ષ્મી દેખાડે, સ્ત્રીઓ દેખાડે એ અજ્ઞાશક્તિ. અજ્ઞાશક્તિ સ્ત્રીનું નિદિધ્યાસન કરાવડાવે અને પ્રજ્ઞાશક્તિ જ્ઞાની પુરુષનું. જ્ઞાની પુરુષ એટલે આત્માનું નિદિધ્યાસન કરાવે.
પ્રશ્નકર્તા : આ એક્કેક્ટ ફોટોગ્રાફી કહીએ છીએ ?
દાદાશ્રી : હા, એક્કેક્ટ. ફોટોગ્રાફી કરતાં સારું. ફોટોગ્રાફીમાં એટલું સરસ ના આવે. સ્વપ્નાનું તો ફોટોગ્રાફી કરતાં ય સરસ આવે અને રૂબરૂ કરતાં ય છે તે સ્વપ્નમાં બહુ સરસ આવે.
પ્રશ્નકર્તા : ચિત્તનું કામ જ ના રહ્યું.
દાદાશ્રી : શુદ્ધ ચિત્ત હતું, તે આત્મામાં એક થઈ ગયું. આત્મામાં ભળી ગયું.
શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા ! પ્રશ્નકર્તા: તો નિદિધ્યાસનને જોનારું કોણ ? દાદાશ્રી : એ પ્રજ્ઞાશક્તિ. પ્રશ્નકર્તા : એ પોતે જ જુએ ને પોતે જ ધારણ કરે ?
દાદાશ્રી : એ પોતે જ બધું. એની જ બધી ક્રિયાઓ. ચિત્તની જરૂર જ ના રહી ત્યાં આગળ. અશુદ્ધ ચિત્ત હોય ત્યાં સુધી છે તે સંસારનું બધું દેખાય એને. અશુદ્ધ ચિત્ત, શુદ્ધની વાત ન દેખી શકે. એટલે ચિત્ત શુદ્ધ થયું
એટલે આત્મામાં એક થયું, આત્મામાં ભળી ગયું. રહ્યું કોણ ? વચ્ચે કોઈ રહ્યું નહીં. પ્રજ્ઞાશક્તિ ચાલ્યા કરે બસ. ડખલ હોય તો પાછું શુદ્ધ ચિત્તેય બગડતું જાય પાછું. અંધારું હોયને તો પાછું બગડતું જાય, તે પાછું ક્યાં રિપેર કરાવીએ ? એનાં ક્યાંય કારખાના ના હોય. અને પ્રજ્ઞાશક્તિને રિપેર કરવી નહીં પડે આપણે. જે ના હોય તેને મૂકી તો રિપેર કરાવવા જવું પડે. જે વસ્તુ નથી તેને તો બગડ્યું ત્યારે રિપેર કરાવવા જવું પડે. એટલે કોઈ ચીજની વચ્ચે જરૂર નથી કશી. બધી જ ક્રિયા પ્રજ્ઞા કરે છે.
પ્રશ્નકર્તા : આ શુદ્ધ ચિત્ત થાય ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છેને ?
પ્રશ્નકર્તાઃ હવે જ્ઞાન લીધું છે અત્યારે એને પણ આ સ્ત્રીનું નિદિધ્યાસન ઊભું થાય તો એ અજ્ઞા ડિપાર્ટમેન્ટ છે?
દાદાશ્રી : એ તો પેલો ચંદુભાઈનો ભાગ છે, એમાં આપણે શું લેવા-દેવા ?
પ્રશ્નકર્તા : ના, એટલે ચિત્તનું આમાં ફંકશન ક્યાં આવ્યું ? દાદાશ્રી : એ તો ચંદુભાઈનો ભાગ છે, અશુદ્ધ ચિત્ત છે.
પ્રશ્નકર્તા : તો આ પ્રજ્ઞા જે જ્ઞાની પુરુષનું નિદિધ્યાસન કરાવે છે, એમાં ચિત્તનું ફંકશન ક્યાં આવ્યું ?