________________
પ્રજ્ઞા
૩૯
૪૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) અહીં ચાલે નહીં ને ! લૌકિકને શું કરવાનું ? લૌકિકને ત્યાં આગળ પૈસા ના આપે !
સોલ્યુશન લાવી નાખે. એટલે કોઈની પર રાગ-દ્વેષ કરે નહીં એ. સોલ્યુશન આવે એટલે કોણ કરે ? બધું બુદ્ધિથી. અવ્યાભિચારીણી બુદ્ધિની સ્થિરતા એનું નામ સ્થિતપ્રજ્ઞ. સ્થિર બુદ્ધિ જેની થયેલી છે, લોકોની અસ્થિર બુદ્ધિ હોય. સ્થિર થયેલી બુદ્ધિ એ જ સ્થિતપ્રજ્ઞ કહેવાય. કારણ કે એ વિશેષ વધી વધીને અજ્ઞામાંથી આગળ વધતી વધતી ઠેઠ પ્રજ્ઞા સુધી પહોંચે.
એને હજુ વીતરાગતાનો સ્ટડી કરવાનો છે, વીતરાગ માર્ગનો સ્ટડી કરવાનો છે. વીતરાગ માર્ગ હાથમાં આવી ગયો અને ધીમે ધીમે વીતરાગતા વધતી જાય. એટલે સ્થિતપ્રજ્ઞના સ્ટેશને આવ્યા પછી વીતરાગતાનો ગુણ વધતા જાય.
પ્રશ્નકર્તા : અને સ્થિતપ્રજ્ઞને દયા સાથે સંબંધ કે કરુણા સાથે સંબંધ ?
દાદાશ્રી : હા, એ દયા સાથે. કરુણા ના હોય. વીતરાગ ભગવાન સિવાય કરુણા કોઈને હોય નહી. કરુણા એટલે શું ? રાગે ય નહીં અને ષે ય નહીં. ઉદર જોડે રાગ નહીં બચાવવામાં કે બિલાડી જોડે દ્વેષ નહીં, એનું નામ કરુણા.
પ્રજ્ઞા ચેતવે અહંકારતે ! પ્રશ્નકર્તા અમુક વિચારો આવે છે, એને આપણે કહીએ કે આ બધું ખોટું છે તારું. હવે એ કહેનાર કોણ ? તમે મળ્યા પછી, પહેલાં તો હતું જ નહીં કશું, તો એ કોણ દોરવણી આપે છે ? પ્રજ્ઞા કે બુદ્ધિ ?
દાદાશ્રી : પ્રજ્ઞા ચેતવે આપણને. કારણ કે મોક્ષે જવાનો હવે વિઝા મળી ગયો છે. પછી એ પ્રજ્ઞાને દબાવી દે માણસ અહંકારે કરીને, તો પાછું ગાંડું કાઢે.
પ્રશ્નકર્તા: આ પ્રજ્ઞા મહીં ચેતવે છે એ મન દ્વારા ચેતવે છે, બુદ્ધિ દ્વારા ચેતવે છે, ચિત્ત દ્વારા કે અહંકાર દ્વારા ચેતવે છે ?
દાદાશ્રી : પ્રજ્ઞા ચેતવે છે, તે અહંકારને ચેતવે છે, બીજા કોઈને નહીં.
પ્રશ્નકર્તા : પણ ડાયરેક્ટ ચેતવે છે ?
દાદાશ્રી : ડાયરેક્ટ. બીજા કોઈને અધિકાર જ નહીંને ! અહંકારનો કોઈ ઉપરી નહીં. અહંકારનો ઉપરી નહીં છતાંય એ કહેલું કરે આખો દિવસ બુદ્ધિનું.
પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞા અહંકારને ચેતવે ત્યારે બુદ્ધિ શું કરે ? ત્યારે પછી બુદ્ધિ છેટી પડી જાય છે ?
દાદાશ્રી : બુદ્ધિને શી લેવા-દેવા ? બુદ્ધિ નામ જ ના દે. પ્રશ્નકર્તા : કશું નહીં પછી ? દાદાશ્રી : બુદ્ધિનું કાર્ય જ નહીં ને ! પ્રશ્નકર્તા : પ્રજ્ઞા હાજર થાય ત્યારે બુદ્ધિનું અસ્તિત્વ જ ના રહેને ?
આ શોધખોળો, પ્રજ્ઞાથી કે બુદ્ધિથી ? પ્રશ્નકર્તા : આ સાયન્ટીસ્ટો શોધખોળને બધું કરે છે તે પ્રજ્ઞાથી કે એ શું હોય છે કે બુદ્ધિથી ?
દાદાશ્રી : ના, એમને દર્શન હોય છે. દર્શન વગર તો કોઈ દહાડો સાયન્ટીસ્ટ હોય જ નહીં. એ દર્શન કુદરતી છે. કુદરતે એને હેલ્પ કરી એ એનું દર્શન જ છે.
પ્રશ્નકર્તા ઃ અખો ને એ બધા સંતો થઈ ગયા, તેમને પ્રજ્ઞા ખરી કે
નહીં ?
દાદાશ્રી : નહીં, એ દર્શન કહેવાય. પ્રજ્ઞા ના કહેવાય. પ્રજ્ઞા આત્મા પ્રાપ્ત થયા પછી પ્રજ્ઞા કહેવાય. એ લૌકિકમાં પ્રજ્ઞા કહે પણ લૌકિકનું