SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞા ૩૭ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદાશ્રી : ના, એવું નહીં, હોય જ. પ્રશ્નકર્તા : સ્થિતપ્રજ્ઞ અને વીતરાગ વચ્ચેની ડિમાર્કેશન લાઈન કહો. બન્ને વચ્ચેની લક્ષ્મણરેખા... પ્રશ્નકર્તા : એટલે શુદ્ધ સમકિત અને પરમાર્થ સમકિત ? દાદાશ્રી : ના. એ શુદ્ધ સમકિત નહીં. શુદ્ધ સમકિતથી નીચેનું સમકિત છે. હજ તો કો'ક દહાડો અવળા સંયોગ મળે તો અવળું ય કરે. પણ બુદ્ધિ સ્થિર થઈ છે એટલે ડગે નહીં. હા. એટલે સમકિત ક્યારે ? અવળું પેસે નહીં ત્યારે સમકિત. કોઈ પણ સંજોગ એને હલાવે નહીં, ત્યારે સમક્તિ કહેવાય. અને સ્થિતપ્રજ્ઞને સંજોગ હલાવી દે. એટલે એને ભય હોય. પણ બુદ્ધિ સ્થિર થઈ ત્યાર પછી ડહાપણ આવે. બહુ ઊંચું ડહાપણ આવે. અત્યારે બુદ્ધિ સ્થિર થયેલાં માણસો કો’ક જ હોય, બહુ જૂજ, જવલ્લે જ હોય. હિન્દુસ્તાનમાં એક-બે, બાકી તે ય નથી, બળ્યું. પ્રશ્નકર્તા સ્થિતપ્રજ્ઞવાળાની પ્રજ્ઞા બેઠી થઈ નો'તી ? દાદાશ્રી : સ્થિતપ્રજ્ઞ એટલે, અહંકારની હાજરીમાં સંસારનો સારાસાર કાઢીને બદ્ધિ જે સ્થિર થઈ તે સ્થિતપ્રજ્ઞ, સ્થિતપ્રજ્ઞ દશા એ વિવેકમાં જ ગણાય. એ સારાસારનો વિવેક સમજે. પ્રશ્નકર્તા : અને વીતરાગતામાં, હાજરી નહીં અહંકારની ? દાદાશ્રી : ના. આ કાળમાં સ્થિતપ્રજ્ઞ ન થાય. સત્યુગમાં સ્થિતપ્રજ્ઞ થાય. આ કાળમાં તો છોડી કોલેજમાં જતી હોયને ? તો સાંજે આવે નહીં તો આપણે જાણીએ કે કેમ નહીં આવી હોય, કહે, એ તો પૈણી ગઈ. બોલો, બુદ્ધિ સ્થિર શી રીતે રહે તે ? અને તે દહાડે તો પૈણી જતાં હતાં. આવું નહોતું. કોઈ મુશ્કેલી જ ના આવે. અત્યારે બુદ્ધિ સ્થિર શી રીતે રહે ? છોડી ઘડીકમાં પૈણી જાય. ઘડીકમાં વહુ ડાયવોર્સ લઈ લે. એવા જમાનામાં બુદ્ધિ માણસની સ્થિર શી રીતે રહે ? ના રહે. આ તો ધન ભાગ હોજ આ અક્રમ વિજ્ઞાનનું કે, બધાનું કલ્યાણ કરી નાખ્યું. પચાસ હજાર માણસોનું કલ્યાણ થઈ ગયું. વજું-ઓછું હશે પણ કલ્યાણ તો જબરજસ્ત થઈ ગયું. દાદાશ્રી : ના. સારાસાર કાઢ્યો માટે વીતરાગતા ભણી ચાલ્યો હવે. એણે સરવૈયું કાઢી નાખ્યું અહીં આગળ કે આમાં સુખ નથી પણ અહંકારની હાજરીમાં. હવે એને આગળ જવાનો રસ્તો મળી ગયો અહીં, શરૂઆત થઈ ગઈ. હવે આપણે અહીં આગળ સ્થિતપ્રજ્ઞ નહીં, પ્રજ્ઞા હોય છે. એટલે સ્થિતપ્રજ્ઞ એ અહંકાર સહિત હોય, આ પ્રજ્ઞા અહંકાર રહિત હોય. એટલે સ્થિતપ્રજ્ઞ થયા પછી તો ઘણાં કાળે છે તે ‘વસ્તુ(આત્મા) પામે છે અને પ્રજ્ઞા તો થોડા અવતારમાં, એક-બે અવતારમાં મોક્ષે લઈ જાય. ફેર, સ્થિતપ્રજ્ઞ તે વીતરાગમાં ! પ્રશ્નકર્તા: તો પછી સ્થિતપ્રજ્ઞ અને વીતરાગમાં શું ફરક? દાદાશ્રી : બહુ ફેર. સ્થિતપ્રજ્ઞ એટલે શું કે પોતે પોતાની બુદ્ધિથી વિચારી વિચારીને સ્થિર થાય. અને સ્થિર થાય એટલે પોતે પોતાનાં સોલ્યુશન પોતે લાવી શકે. પણ એ સ્થિતપ્રજ્ઞ કહેવાય. સ્થિતપ્રજ્ઞ એ બુદ્ધિ સ્થિર કરેલી એટલું જ છે, બીજું કંઈ નહીં. પ્રશ્નકર્તા : પણ એમાંય રાગ-દ્વેષ રહિતતા કહેલી છે વીતરાગનાં અહંકારતું સ્થાન સ્થિતપ્રજ્ઞમાં ? પ્રશ્નકર્તા : સ્થિતપ્રજ્ઞ એ અહંકારનું લક્ષણ ખરું? દાદાશ્રી : અહંકાર હોય ને સ્થિતપ્રજ્ઞ થાય, બન્ને સાથે હોઈ શકે જેવી. પ્રશ્નકર્તા : અને ન પણ હોઈ શકે ? દાદાશ્રી : ના, એ રાગ-દ્વેષ રહિત દશા નથી. પણ દરેક પ્રશ્નોનું
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy